આ ગામમાં કિડની ફેલ્યોરને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, પીવાનું પાણી બની રહ્યું છે ઝેરી!

આઝાદીના 75 વર્ષ પછી પણ મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં હજારો લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. અહીં અકોલા જિલ્લાના બાલાપુર, તેલહારા અને અકોટ તાલુકાઓના ખારા પાણીવાળા પટ્ટામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અહીંના 60થી વધુ ગામડાઓના લોકોને ખારું પાણી પીવા માટે મજબૂર થવું પડે છે, જેના કારણે સેંકડો લોકો કિડની ફેલ્યોર અને અન્ય ગંભીર રોગોનો ભોગ બન્યા છે.

અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના સાવરપાટી ગામમાં, વર્ષોથી લોકો ખારા પાણીને કારણે ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. ગામના લોકો નળ અને બોરવેલનું પાણી પીવા માટે મજબૂર છે, જે સંપૂર્ણપણે આલ્કલાઇન (ક્ષારયુક્ત) છે. પરિણામે ઘણા લોકોની કિડની ખરાબ થઈ ગઈ છે. ગામના પ્રશાંત કાલેને કિડની ફેલ્યોર થઈ ગઈ હતી. સારવાર પાછળ 12 લાખ રૂપિયા ખર્ચાયા, જેના માટે તેમણે પોતાનું ખેતર વેચવું પડ્યું, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.

Akola-Salty-Water1
lokmatnews.in

આ જ ગામના મયુર વિરોકરને પણ આ ખારા પાણીના સતત સેવનથી કિડનીમાં પથરીની બીમારી થઈ.  તેમની સારવાર ચાલી રહી છે. ફક્ત સાવરપાટી જ નહીં, બાલાપુર તાલુકાના નિમકરદા ટાકલી ગામમાં પણ ખારા પાણીનો કહેર ચાલુ છે. શોભા સાબલેએ કિડની ફેલ્યોરને કારણે એક વર્ષની અંદર જ તેમના પતિ ગજાનન અને પુત્ર પ્રકાશને ગુમાવ્યા. શોભા સાબલેએ કહ્યું, ગામનું પાણી ખારું છે, જેના કારણે મારા પુત્ર અને પતિ બંનેની કિડની ખરાબ થઈ ગઈ છે. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. પીવા માટે ચોખ્ખું પાણી પણ ઉપલબ્ધ નથી.

સાવરપાટીના તમામ ગ્રામજનો કહે છે કે વહીવટીતંત્ર વર્ષોથી ફક્ત ખાતરીઓ આપી રહ્યું છે, પરંતુ પરિસ્થિતિ એવીને એવી જ છે. મીઠા પાણી માટે, લોકોને 15-20 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડે છે અથવા તેમને વધારે કિંમત આપીને પાણી ખરીદવાની ફરજ પડે છે.

સ્થાનિક રહેવાસી પુરુષોત્તમ ઘોગરેએ કહ્યું, 'પાણી એટલું ખારું છે કે તેને પીધા પછી મોં સુકાઈ જાય છે.' ગામના લોકો બીમાર પડી રહ્યા છે, પણ વહીવટીતંત્ર કંઈ કરી રહ્યું નથી. આ બાબત અંગે સ્થાનિક પત્રકાર દેવાનંદ પાટીલે વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'દરેક સરકાર વચનો આપે છે પણ સત્તામાં આવતાની સાથે જ આ સમસ્યા ભૂલી જાય છે. ગામલોકોની હાલત ખરાબથી પણ ખરાબ થતી જાય છે.'

Akola-Salty-Water
aajtak.in

બાલાપુર પંચાયત સમિતિના અધિક બ્લોક વિકાસ અધિકારી વિનોદ કાલેએ આ મામલે ગામડાઓમાં તબીબી તપાસ કરાવવાની ખાતરી આપી હતી. આ સમય દરમિયાન, ગામલોકોએ તેને ગામનું પાણી પીવા માટે આપ્યું જે ખૂબ જ ખારું હતું અને તેણે તે પાણી મોંમાં લેતાની સાથે જ થૂંકી નાખ્યું.

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ ગામડાઓમાં કિડનીના દર્દીઓની તપાસ માટે તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવશે. પાણીની ગુણવત્તાનું પણ પરીક્ષણ કરવામાં આવશે. જ્યારે, બાલાપુર વિધાનસભા મતવિસ્તારના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય, નીતિન દેશમુખે આરોપ લગાવ્યો કે, સત્તા પરિવર્તનને કારણે પાણી પુરવઠા યોજના બંધ થઈ ગઈ હતી, જેના કારણે સમસ્યા વધુ વકરી હતી. હવે આ કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે, આગામી 4-5 મહિનામાં લોકોને મીઠા પાણી મળશે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.