રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર પાડવામાં આવ્યો હતો. કેટલાંક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા કે સરકારે GRમાં બદલાવ કર્યો છે અને જે લોકો ડાયમંડ ઉદ્યોગ છોડીને અન્ય રોજગારી મેળવે છે તેમને પણ બેરોજગારની વ્યાખ્યામાં ગણવામાં આવશે.

 આ બાબતે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઇન્ટ કમિશ્નર જે.બી. દવેએ કહ્યુ કે, GRમાં કોઇ પણ ફેરફાર કરાયો નથી. 31 માર્ચ 2024 પછી છુટા થયેલા રત્નકલાકાર કોઇ બીજી રોજગારી મેળવતો હોય જેમ કે ફુડની દુકાન શરૂ કરી હોય તો તે બેરોજગાર ગણાશે, પરંતુ જો ડાયમંડ ઉદ્યોગમા જ રોજગારી મેળવતો હોય તો તેને બેરોજગાર ગણવામાં નહીં આવે.

બેરોજગાર રત્નકલાકારોએ સુરત ડાયમંડ એસોસિયેશન, શ્રમ અધિકારી કે રોજગાર અધિકારી પાસેથી રત્નકલાકાર હોવાનું સર્ટિફિકેટ મેળવવું પડશે.

રત્નકલાકારોએ  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી આવવાની જરૂર નથી, જે તે સ્કુલમાં જ ફોર્મ ભરીને આપી દેવાનું રહેશે.સ્કુલ વાળા એ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પહોંચાડશે.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.