પીએમ મોદીએ એક જ દિવસમાં લીધી 3 રાજ્યોની મુલાકાત

પીએમ મોદીએ એક જ દિવસમાં 3 રાજ્યોની મુલાકાત લીધી છે. તેમણે ગઈકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લીધી. એટલે કે તેણે મધ્યપ્રદેશમાં નાસ્તો, બિહારમાં લંચ અને આસામમાં ડિનર કર્યું. પ્રધાનમંત્રીની આ મુલાકાત અંતર્ગત, મધ્યપ્રદેશમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનો પ્રારંભથી રોકાણના નવા દરવાજા ખોલશે. બિહારથી દેશભરના ખેડૂતોને તેમના ખાતામાં પીએમ કિસાન હેઠળ સીધો લાભ મળ્યો અને આસામમાં, પીએમનું ભવ્ય સ્વાગત થયું અને રેકોર્ડ 9000 કલાકારો દ્વારા ઝુમોઇર બિનંદિની નૃત્ય પ્રદર્શનના સાક્ષી બન્યા. 

PM-MODI2

મધ્યપ્રદેશમાં પીએમ મોદી 

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગઈકાલે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 'ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ' શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલમાં 'ઇન્વેસ્ટ મધ્ય પ્રદેશ'નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ અહીં મધ્યપ્રદેશ સરકારની 18 વી નીતિઓનું અનાવરણ કર્યું જેનો હેતુ મોટા પાયે રોકાણ આકર્ષવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કાપડ, પર્યટન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં કરોડો નોકરીઓનું સર્જન થશે. પીએમ મોદીએ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી કહ્યું, "ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે આખી દુનિયા ભારત માટે આટલી ઓપ્ટિમિસ્ટિક છે." સમગ્ર વિશ્વમાં ભલે સામાન્ય લોકો હોય, નીતિના નિષ્ણાતો હોય, વિવિધ દેશો હોય કે સંસ્થાઓ હોય, દરેકને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

બિહારમાં પીએમ મોદી

બિહારમાં, પીએમ નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો બહાર પાડ્યો. આ અંતર્ગત લગભગ 22 હજાર કરોડ રૂપિયાની રકમ  9.8 કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બિહારની પવિત્ર ભૂમિ પરથી આપણા ખેડૂત બહેનો અને ભાઈઓના ખાતામાં પીએમ-કિસાનનો 19મો હપ્તો ટ્રાન્સફર કરવાની સાથે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતા મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભો છે. આ આધારસ્તંભ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો છે. એનડીએ સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં મખાનાના ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે ખેડૂતોની દરેક સમસ્યાના ઉકેલ માટે પૂરી તાકાતથી કામ કર્યું છે. સરકારના પ્રયાસોને કારણે છેલ્લા વર્ષોમાં ભારતની કૃષિ નિકાસમાં વધારો થયો છે.

PM-MODI

આસામમાં પીએમ મોદી

આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભાજપ સરકાર આસામનો વિકાસ કરી રહી છે અને અહીં ચાના ખેડૂતોની સેવા પણ કરી રહી છે. વાવેતર કામદારોની આવક વધવી જોઈએ. આ દિશામાં, આસામ ટી કોર્પોરેશનના કામદારો માટે બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને વાવેતરમાં કામ કરતી આપણી બહેનો અને દીકરીઓને ગર્ભાવસ્થા દરમિયાન આવકના સંકટનો સામનો કરવો પડતો હતો. આજે, આવી લગભગ 15 લાખ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન 15000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે જેથી તેમને ખર્ચની ચિંતા ન કરવી પડે.

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.