આ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જેમ ચૂંટણી લડવાનો AAPનો પ્લાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે મોર્ચાની લડાઇ હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ ત્રીજા મોર્ચા તરીકે ગુજરાતમાં આક્રમક મેહનત કરીને પોતાનું સ્થાન બનાવ્યું. ભલે ધારણાં જેટલી સીટ  આમ આદમી પાર્ટીને ન મળી, પરંતુ આટલા ઓછા સમયમાં પાર્ટીનું મહત્ત્વનું યોગદાન રહ્યું. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી આ બે રાજ્યોમાં ગુજરાતની જેમ જ ચૂંટણી લડશે તેવી યોજના બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામાથી સંતુષ્ટ નજરે પડી રહી છે. હવે એ જ તર્જ પર આમ આદમી પાર્ટી મધ્ય પ્રદેશ અને હરિયાણા વિધાનસભાની ચૂંટમી લડવાની તૈયારી કરી રહી છે. આ બંને રાજ્યોમાં 2023 અને 2024માં ચૂંટણી થવાની છે. AAPના એક નેતાએ કહ્યું કે 2023માં જે 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યાં અમારા ઉમેદવારોને મેદાનમાં ઉતારાશે.AAP નેતાએ એમ પણ કહ્યુ કે, પાર્ટી માત્ર  મધ્ય પ્રદેશ અને હરિયાણામાં જ ગુજરાતની જેમ ચૂંટણી અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકની તાજેતરમાં આ રાજ્યોના પ્રમુખો સાથે થયેલી બેઠક પછી આ નિર્ણય લેવાયો છે.

ધી ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ નહીં છાપવાની શરતે કહ્યું હતું કે ચૂંટણી લડતા પહેલાં પાર્ટીએ પોતાના ઉમેદવારની તાકાત, આંતરિક સર્વેક્ષણ અને નાણાંકીય સ્થિતિને જોવી પડશે. એક પાર્ટી જે એક સંગઠન બનાવવાની કોશિશ કરી રહી છે, એના માટે બધી ચૂંટણીઓમાં ઉતરવું સંભવ નથી.

આ વર્ષમાં મેઘાલય, ત્રિપુરા, મિજોરમ, નાગાલેન્ડ, તેલગાંણા, કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.AAPએ જે રાજ્યોમાં ભાજપ- કોંગ્રેસની સીધી લડાઇ હતી તેવા રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. દિલ્હી, પંજાબ અને ગુજરાત તાજા ઉદાહરણ છે. 2023માં આમ આદમી પાર્ટીને આ અવસર મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળી શકે છે.

આમ આદમી પાર્ટીએ મધ્ય પ્રદેશની નગર પાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. અહીં આમ આદમી પાર્ટીના એક મેયર પણ છે. AAP નેતાએ કહ્યુ કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીને સંભાવના દેખાઇ રહી છે. રાજસ્થાન જે પંજાબ અને દીલ્હીથી નજીક છે અને મધ્ય પ્રદેશમાંAAPનું સંગઠન મજબુત છે.

મધ્ય પ્રદેશ ઉપરાંત આમ આદમી પાર્ટીએ હરિયાણા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો છે, જ્યાં ઓકટોબર 2024માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પાર્ટી હવે દરેક વિધાનસભા ક્ષેત્રમાં ટીમની નિમણૂંક કરશે.<

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.