પંજાબના અમૃતસરમાં આખી રાત કરાયું બ્લેકઆઉટ, તંત્રએ જણાવ્યું કારણ

પંજાબના અમૃતસરમાં રાત્રે 1.30 વાગ્યે કરવામાં આવેલ બ્લેકઆઉટ આખી રાત લાગુ રહ્યો. જિલ્લામાં કથિત વિસ્ફોટના અવાજો સંભળાયા બાદ આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. જોકે, વિસ્ફોટના અવાજ અંગે, અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલ્લરે સ્પષ્ટતા કરી, "મેં પણ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ અમે ઘટનાસ્થળે જઈને તપાસ કરી અને કંઈ મળ્યું નહીં. અમે સાવચેતી રાખીને બ્લેકઆઉટ કરી દીધું."

નેશનલ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલના ભાગ રૂપે, મંગળવારે દેશના ઘણા મોટા શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, અમૃતસરમાં રાત્રે 10.30 થી 11 વાગ્યા સુધી અડધા કલાક માટે બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો હતો. બાદમાં લાઇટો પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ તેના થોડા સમય પછી વહીવટીતંત્રે ફરીથી બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લીધો. જિલ્લા જનસંપર્ક અધિકારી (DPRO) એ બુધવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી.

blackout
thehindu.com

એરપોર્ટ વિસ્તારમાં રાત્રે લાઇટો કરવામાં આવી  પુનઃસ્થાપિત 

DPRO અનુસાર, "સંપૂર્ણ સાવધાની રાખીને, અમૃતસર જિલ્લા વહીવટીતંત્રે ફરીથી બ્લેકઆઉટ પ્રક્રિયા શરૂ કરી." બીજા બ્લેકઆઉટ પછી, કેટલાક વિસ્તારોમાં ફરીથી લાઇટ ચાલુ કરવામાં આવી. જેમકે એરપોર્ટ વિસ્તારમાં પણ બ્લેકઆઉટ કરાયું હતું, જ્યાં બપોરે 3.15 વાગ્યા સુધીમાં લાઇટ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

ગૃહ મંત્રાલયે આપી હતી મોક ડ્રીલ માટે સૂચનાઓ 

આ બ્લેકઆઉટ ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ભવિષ્યના જોખમો માટે કટોકટીની તૈયારી ચકાસવા માટે આયોજિત એક સિવિલ ડિફેન્સ મોક ડ્રીલના ભાગ રૂપે અમલ કરવામાં આવ્યો હતો. આ કવાયતમાં દેશભરના મુખ્ય સ્થળોએ આયોજિત બ્લેકઆઉટનો સમાવેશ થતો હતો..

blackout-1
m.rediff.com

અમૃતસરમાં પહેલા અડધા કલાક માટે કરવામાં આવ્યો બ્લેકઆઉટ 

અમૃતસરમાં અગાઉ થયેલા બ્લેકઆઉટ વિશે વાત કરતા, ASI જગતાર સિંહે ANI ને જણાવ્યું, "બ્લેકઆઉટ રાત્રે 10.30 થી 11 વાગ્યા સુધી અડધા કલાક માટે હતો. સૂચનાઓ એવી છે કે કોઈ પણ લાઇટ ચાલુ ન હોવી જોઈએ જેથી દુશ્મનને ખબર ન પડે કે અહીં એક શહેર છે. આ કવાયત દેશના હિત માટે કરવામાં આવી રહી છે... કેટલાક લોકો બ્લેકઆઉટને અનુસરી રહ્યા છે અને કેટલાક નહીં... સાયરન સક્રિય કરવામાં આવ્યું અને પછી બે મિનિટમાં સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ ગયું."

ઘણા રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને બિહારમાં પણ આવી જ રીતે બ્લેકઆઉટ કરવામાં આવ્યું. બાડમેર, ગ્વાલિયર, સુરત, શિમલા અને પટના જેવા શહેરોએ મહત્વપૂર્ણ ઇમારતો અને જાહેર સ્થળોએ લાઇટ બંધ કરીને મોક ડ્રીલમાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રપતિ ભવનમાં પણ કરવામાં આવ્યું બ્લેકઆઉટ 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, રાષ્ટ્રપતિ ભવન અને વિજય ચોક પણ આ કવાયત માટે અંધારામાં હતા. બ્લેકઆઉટના ભાગ રૂપે પટનાના રાજભવનમાં પણ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. તેના પહેલા દિવસે, દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ, ગ્વાલિયર અને જયપુર જેવા મુખ્ય શહેરોમાં નાગરિક સંરક્ષણ અભ્યાસ કરવામાં આવ્યો. 

 

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.