આ રાજ્યમાં પણ બનશે રામ મંદિર, ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની જાહેરાત

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન રામ મંદિર બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ બજેટ રજૂ કરતા કહ્યું કે, રામનગરમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. કર્ણાટક વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇનું બીજું અને હાલના કાર્યકાળમાં ભાજપ સરકારનું અંતિમ બજેટ હશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ કર્ણાટકમાં ચૂંટણી થવાની છે, તે પહેલા મતદારોને આકર્ષવા માટે આ જાહેરાત કરાઈ હોવાનું કહેવાય છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇની એપ્રિલ-મે મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કલ્યાણકારી યોજનાઓ અને ઘણા મુખ્ય સમુદાયોની માગ પૂરી કરવા જેવી મોટી જાહેરાત કરવાની સંભાવના છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની જેમ જ કર્ણાટકમાં પણ મંદિરનું નિર્માણ કરવાનો વાયદો કર્યો છે. મુખ્યમંત્રીએ બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરતા કહ્યું કે, આગામી 2 વર્ષોમાં કર્ણાટક સરકાર 1,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંદિરો અને મઠોના વ્યાપક વિકાસ અને નવીનીકરણનું કાર્ય કરશે.

બજેટમાં બીજું શું છે?

આ કાર્યકાળના પોતાના છેલ્લા બજેટમાં કર્ણાટકની ભાજપ સરકારે ઘણા મોટા વાયદા કર્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ જળ સંરક્ષણ માટે કૂવાઓ, ડેમ અને નાળા વિકસિત કરવા માટે બે પરિયોજનાઓ માટે 75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મખ્યમંત્રીએ વાહનવ્યવહારની ભીડ ઓછી કરવા માટે બેંગ્લોરમાં 5 કિલોમીટરના એલિવેટેડ રોડના નિર્માણ માટે 350 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. બેંગ્લોરમાં રસ્તાઓના નિર્માણ માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 120 કિલોમીટરની સફેદી માટે 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યું કે, સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે 75 જંક્શનોને 150 કરોડમાં વિકસિત કરવામાં આવશે. બેલ્લારીમાં 100 કરોડના ખર્ચે એક મેગા ડેરીનું નિર્માણ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ વિભાગ માટે 20,494 કરોડ રૂપિયા સાથે ભૂસીરી પરિયોજના માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વર્ષે 77,750 કરોડ રૂપિયાની સકલ ઉધારી સાથે 3.09 લાખ કરોડના બજેટની જાહેરાત કરી છે. આ વર્ષનું બજેટ રજૂ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને શૂન્ય વ્યાજદર પર લોન આપવામાં આવશે.

અત્યાર સુધી ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી, પરંતુ હવે લોનની રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તેની સાથે જ પાક સંરક્ષણ અને ભંડાર માટે 175 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એ સિવાય તેમણે કહ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં 30 લાખ કરતા વધુ ખેડૂતોને 25,000 રૂપિયાની લોન વિતરિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ બજેટમાં મહિલાઓ માટે શ્રમ શક્તિ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ ખેતી વિહોણી મહિલા મજૂરોને દર મહિને 500 રૂપિયાની સહાયતા આપવામાં આવશે. તો બજેટમાં વિદ્યાર્થીઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓને મફત બસ પાસ આપવામાં આવશે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.