રામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરાયા 2.52 કરોડ રૂપિયા કરાવી લીધા ટ્રાન્સફર

મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી ડિજિટલ અરેસ્ટની ખૂબ જ ગંભીર સમાચાર સામે આવ્યા છે. અહીં ઠગોએ રામકૃષ્ણ આશ્રમના સ્વામી સુપ્રદીપ્તાનંદ સાથે 2.5 કરોડથી વધુની સાયબર છેતરપિંડીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. આ દરમિયાન, તેમને 26 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા. એટલે કે આ અત્યાર સુધીની સૌથી વધુ સમય સુધીની ડિજિટલ અરેસ્ટની ઘટના છે.

કહેવામાં આવી રહ્યું છે કે, સ્વામી સુપ્રદીપ્તાનંદને નરેશ ગોયલ મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. વાસ્તવમાં, તેમના પર 17 માર્ચે એક ફોન આવ્યો હતો. આ દરમિયાન તેમને ફોન પર ધમકી આપીને કહેવામાં આવ્યું હતું કે, તેમના નામે કેનેરા બેંકમાં એક ખાતું છે, જેમાં 20 કરોડ રૂપિયાની અનૈતિક લેવડ-દેવડ થઈ છે. તેની તેમણે રીતસરની PDF પણ મોકલીહતી. ધમકી આપનારા પોલીસની વર્દીમાં હતા. વીડિયોમાં નકલી અધિકારીઓની પાછળ નાસિક પોલીસનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠગોએ 26 દિવસ માટે દેશભરના અલગ-અલગ બેન્ક ખાતાઓમાં 2.52 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે, તપાસ બાદ જો બધું યોગી જણાશે તો આ રકમ 15 એપ્રિલે પરત કરવામાં આવશે.

digital-arrest2
livemint.com

ગ્વાલિયરના થાટીપુર ખાતે રામકૃષ્ણ મિશન આશ્રમના સચિવ સ્વામી સુપ્રદીપ્તાનંદને 26 દિવસ સુધી ડિજિટલી અરેસ્ટ કરીને 2.52 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ઠગોએ નાસિક પોલીસ અધિકારી બતાવીને ફોન કર્યો કર્યો હતો. સ્વામી સુપ્રદીપ્તાનંદને નરેશ ગોયલ મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવવાની ધમકી આપીને છેતરવામાં આવ્યા હતા. તેમને પહેલો ફોન 17 માર્ચે આવ્યો હતો. ત્યારબાદ તેમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા. ગ્વાલિયરના એડિશનલ SP નિરંજન શર્માએ જણાવ્યું હતું કે ઠગોએ તેમને 15 એપ્રિલ સુધીમાં પૈસા પરત કરવા કહ્યું હતું, જ્યારે પૈસા ન આવ્યા ત્યારે તેમણે ગ્વાલિયરના SPનો સંપર્ક કરીને સમગ્ર મામલાની જાણકરી આપી હતી.

digital-arrest-1
ndtv.com

આ મામલે ગ્વાલિયર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે FIR નોંધી લીધી છે. સુપ્રદીપ્તાનંદની ગણતરી સમાજના અગ્રણી લોકોમાં થાય છે. થોડા મહિના અગાઉ, RSSના સરસંઘચાલક મોહન ભાગવત પણ તેમને મળવા માટે આશ્રમની પહોચ્યા હતા. સંભવતઃ મધ્ય પ્રદેશમાં આ કદાચ અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ અરેસ્ટની ઘટના  છે. તમને જણાવી દઈએ કે, રામકૃષ્ણ આશ્રમના સચિવ સ્વામી સુપ્રદીપ્તાનંદ અગાઉ પણ ઉજ્જૈનમાં રામકૃષ્ણ આશ્રમનું કામ જોનારા મેનેજર સાથે પણ આજ પ્રકારની ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી. તેમને ડિજિટલી અરેસ્ટ કરીને 71 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.