હિન્દુ વ્યક્તિ 8 વર્ષથી રાખે છે રોઝા, બોલ્યો- મુસ્લિમ ભાઈ પણ છઠ પર્વ કરે છે

પરિવારનો એક વ્યક્તિ ભગવાનને ખુશ કરવા માટે ધર્મના બંધનમાં બંધાયો નથી. ગયાના બંગલા સ્થાનનો રહેવાસી અમરદીપ કુમાર સિંહા છેલ્લા 8 વર્ષથી ભારે ગરમીના કારણે રોઝામાં મુસ્લિમ ભાઈઓ સાથે રોઝામાં મુસ્લિમ ભાઈઓ સાથે પૂરા નિયમ મુજબ રોઝા રાખે છે. તેની આ આસ્થા લોકોને એક નવી આશા અને સમાજમાં ભાઇચારાનો સંદેશ આપી રહી છે. તેનો રમઝાન અને રોઝા પર એટલો વિશ્વાસ છે કે વિધિવત સૂર્યોદય પહેલા સેહરી અને સૂર્યોદય બાદ ઇફ્તાર ઉપરાંત રોઝામાં આપવામાં આવનારી સદકા ફિત્રાનું પણ તે વિધિવત પાલન કરે છે.

રોઝા રાખવા દરમિયાન તે સેહરીથી લઈને ઇફ્તાર સુધી પૂરી આસ્થા સાથે રોઝા રાખે છે. સાંજે તે પોતાના મુસ્લિમ મિત્રો સાથે પૂરા પરંપરાગત ઢંગે રોઝા ખોલે છે. રોઝા દરમિયાન રાખવામાં આવતી સાવધાનીઓ બાબતે તેને સારી રીતે ખબર છે. ઇફ્તારના સમયે હિન્દુ-મુસ્લિમ મિત્ર પણ ખૂબ ખુશ રહે છે. તેઓ તેનો તેમાં સહયોગ કરે છે. તેના મિત્ર અમરદીપને સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ માને છે.

તેઓ કહે છે કે તેમના જેવા દેશના કારણે જ દેશમાં શાંતિ કાયમ છે. અમરદીપ બતાવે છે કે 8 વર્ષ અગાઉ મુશ્કેલી આવી તો મિત્રોએ કહ્યું રોઝા રાખ, બધી સમસ્યા દૂર થઈ જશે. તેણે માનતા માની હતી કે અલ્લાહના રજા માટે રોઝા રાખશે. જીભથી નીકળેલી ફરિયાદ ખુદાએ કબૂલ કરી અને તેણે સતત રોઝા રાખવાના શરૂ કર્યા. અમરદીપ બતાવે છે કે, આજે રબની રહેમતથી ખૂબ ફળી-ફૂલી રહ્યો છું. જ્યારે મુસ્લિમ છઠ પર્વ કરી શકે છે તો હું રમઝાનમાં રોઝા કેમ નહીં રાખી શકું. આ અગાઉ અમરદીપે નવરાત્રિમાં 9 દિવસ સુધી મા દુર્ગાની આરાધનામાં ઉપવાસ કરીને વિધિવત પૂજા પાઠ કર્યા હતા.

અમરદીપનો મિત્ર નસિમ અખ્તર બતાવે છે કે, ધર્મ બધા એક છે, બધાનો પોત પોતાનો માનવાનો ધર્મ છે, બધામાં પોત પોતાની આસ્થા હોય છે. અમે બધા છઠ પર્વમાં સામેલ થઈએ છીએ. મંદિરમાં જઈને નારિયેળ ફોડીએ છીએ. બધાના પોત-પોતાના વિચાર છે. અમરદીપનો મિત્ર મુકેશ કુમાર કહે છે કે, હાલના દિવસોમાં બિહારમાં અરસપરસ દંગા થઈ રહ્યા છે, પરંતુ અમરદીપ અને નસીમની આ પહેલ એક સારું ઉદાહરણ છે કે કેવી રીતે એક-બીજા સાથે હળીમળીને રહેવું જોઈએ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.