વરિષ્ઠ નાગરિકો માટે આવ્યા સારા સમાચાર, હવે મફતમાં કરો હવાઈ મુસાફરી

દેશભરમાં વરિષ્ઠ નાગરિકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. સરકારથી લઈને રેલવે અને બેંકો દરેક બાજુએથી વરિષ્ઠ નાગરિકોને ઘણા કામોમાં છૂટ મળે છે. આજે અમે તમને એક એવી સુવિધા વિશે જણાવીશું, જેના હેઠળ હવે વરિષ્ઠ નાગરિકો મફતમાં હવાઈ મુસાફરી કરી શકશે. રેલવે તરફથી મળતી છૂટ બાદ હવે ફ્લાઈટમાં ફ્રી મુસાફરી કરવાની સુવિધા મળી રહી છે.

રાજ્ય સરકારે શરૂ કરી સુવિધા

અહીં તમને જણાવી દઈએ કે કેન્દ્રની સાથે જ રાજ્ય સરકાર તરફથી પણ અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધા શરૂ કરી છે, જેમાં તેમને હવાઈ મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ કરી જાહેરાત

રાજ્યના CMએ જાણકારી આપતા કહ્યું છે કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકોની પાસે આવતા મહિનાથી હવાઈ માર્ગે તીર્થયાત્રા કરવાનો વિકલ્પ હશે. મુખ્યમંત્રીએ ભિંડમાં સંત રવિદાસની જન્મજયંતિ અને ચંબલ વિભાગની વિકાસ યાત્રાના શુભારંભના પ્રસંગે આ જાહેરાત કરી છે.

સરકારી ખર્ચ પર કરી શકાય છે યાત્રા

અહીં તમને જણાવી દઈએ કે, આ તીર્થ દર્શન યોજનામાં ઘણી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં સંત રવિદાસની જન્મભૂમિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.અહીં જણાવી દઈએ કે આ તીર્થ દર્શન યોજના હેઠળ, 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો સરકારી ખર્ચે તીર્થસ્થળોની યાત્રા કરી શકે છે.

રાજ્ય સરકાર કરી રહી છે અપગ્રેડ

આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, ભીંડમાં હાલના સમયે વર્તમાનમાં નગર પાલિકા પરિષદ છે. જેને રાજ્ય સરકાર નગરપાલિકા તરીકે અપગ્રેડ કરવા પર કામ કરી રહી છે. આ સાથે જ શહેરને એક મેડિકલ કોલેજ પણ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 'વિકાસ યાત્રા' રાજ્યના તમામ વોર્ડ અને ગામડાઓમાં જશે અને લાયક લોકોને સરકારી યોજનાઓનો લાભ આપશે, જ્યારે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે.

કેજરીવાલ ટ્રેન અને બસથી કરાવી રહ્યા છે યાત્રા

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી રહ્યા છે. આ હેઠળ દિલ્હીમાં રહેતો કોઈપણ વ્યક્તિ, જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, તે આ યોજના (MMTY) હેઠળ અરજી કરી શકે છે.

વરિષ્ઠ નાગરિકો તેમની સાથે 21 વર્ષથી વધુ ઉંમરના એક એટેન્ડન્ટને પણ લઈને જઈ શકે છે. પાત્રતાની શરતોને પૂરી કરનાર કોઈ પણ વ્યક્તિ તેના જીવનકાળમાં માત્ર એક વાર જ આ યોજનાનો લાભ લઈ શકે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.