ઝેરી ખોરાક નાંખ્યા બાદ તૂટી જતી હતી શાહજહાંની પ્લેટ, હજુ પણ મ્યુઝિયમમાં છે

વિશ્વમાં માટીકામની હાજરીના નિશાન 24,000 વર્ષ જૂના છે. આજે ખોરાકને ગરમ અને ઠંડા રાખવા માટે વાસણોની શોધ થઈ છે. જો કે, માટીકામનો ઇતિહાસ વર્તમાન જેટલો જ સમૃદ્ધ રહ્યો છે. મુઘલ સમ્રાટ શાહજહાં પાસે એક એવી પ્લેટ હતી, જેમાં ખોરાક નાખતા જ તેનો રંગ બદલાઈ જતો હતો અથવા તો તે તૂટી જતી હતી.

હા, આવી પ્લેટ આજે પણ આગ્રાના તાજ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. પ્લેટને કેટલાક સુરક્ષા કર્મચારીઓ અને CCTV કેમેરાની દેખરેખ હેઠળ કાચની ફ્રેમમાં રાખવામાં આવી છે. પ્લેટની બરાબર ઉપર એક સૂચનાની તકતી હિન્દી અને અંગ્રેજીમાં પ્લેટની વિશેષતા લખે છે, 'પોઇઝન ટેસ્ટ રકાબી (તશ્ત્રી) એક પ્રકારનું સિરામિક પાત્ર કે જેમાં ઝેરી ખોરાક નાખવામાં આવે ત્યારે તેનો રંગ બદલાય છે અથવા તૂટી જાય છે.'

સલમા યુસુફ હુસૈન, તેમના પુસ્તક 'ધ મુગલ ફિસ્ટ: રેસિપીસ ફ્રોમ ધ કિચન ઓફ એમ્પરર શાહજહાં'માં અહેવાલ આપે છે કે, મુઘલ બાદશાહ સામાન્ય રીતે તેની રાણીઓ અને હરમમાં રહેતી સ્ત્રીઓની સાથે ભોજન કરતા હતા. તે તહેવારોના પ્રસંગો સિવાય ઉમરાવો અને દરબારીઓ સાથે જમતા. રોજનું ભોજન સામાન્ય રીતે વ્યંઢળો દ્વારા પીરસવામાં આવતું હતું.

હકીમ (શાહી ચિકિત્સક) દ્વારા તૈયાર કરાયેલા મેનૂ અનુસાર શાહી રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે, પુલાવમાં ચોખાના દરેક દાણાને ચાંદીના વરખથી કોટેડ કરવામાં આવતા હતા. આ કરવા પાછળ હકીમનો તર્ક એ હતો કે, ચાંદીના વરખવાળા ચોખા પાચનક્રિયામાં સુધારો થાય છે અને તે ચોખામાંથી બનેલી વાનગીઓ પણ કામોત્તેજક તરીકે કામ કરે છે.

શાહજહાંનો ખોરાક પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. જો કે, આ મહાન સમ્રાટના છેલ્લા વર્ષો ખૂબ પીડાદાયક હતા. શાહજહાંના પુત્ર ઔરંગઝેબે તેને પદભ્રષ્ટ કરીને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા હતા. તે આઠ વર્ષ જેલમાં રહ્યા અને વર્ષ 1666માં તેમનું અવસાન થયું. દંતકથા છે કે, ઔરંગઝેબે આદેશ આપ્યો હતો કે, તેના પિતાને તેની પસંદગીની માત્ર એક જ સામગ્રી આપવામાં આવે. પછી શાહજહાંએ ચણા પસંદ કર્યા.

એવું કહેવાય છે કે, તેમણે ચણા એટલે પસંદ કર્યા, કારણ કે તેને ઘણી અલગ અલગ રીતે રાંધી શકાય છે. આજે પણ ઉત્તર ભારતીય ભોજનની વિશેષતાઓમાંની એક શાહજહાની દાળ છે, જે મલાઈની ભરપૂર ગ્રેવીમાં ચણાને રાંધીને બનાવવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.