શરદ પવાર અને અજીત પવારની સિક્રેટ મીટિંગ, બિઝનેસમેનના બંગલા પર ચાલી એક કલાક બેઠક

બે ભાગ થઈ ચૂકેલી એનસીપીને ફરીથી એકજૂથ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ક્રમમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર વચ્ચે પડેલી તિરાડ ભરવા માટે શનિવારે એક બિઝનેસમેનના બંગલા પર સિક્રેટ મીટિંગ થઈ હતી. જો કે, એક કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી મીટિંગમાં શું વાત થઈ અને તેનો હેતુ શું હતો? તેના પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે નેતાઓની ગાડીઓ બંગલાથી બહાર આવતી નજરે પડી રહી છે.

શનિવારે પૂણેના કોરેગાંવ પાર્ક ક્ષેત્રની લાઇન નંબર-3માં બિઝનેસમેન અતુલ ચોર્ડિયાના બંગલા પર એનસીપી નેતા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે એક સિક્રેટ મીટિંગ થઈ. એક કલાક કરતા વધુ સમય સુધી થયેલી મીટિંગ બાદ સૌથી પહેલા અતુલ ચોર્ડિયાના બંગલાથી શરદ પવારનો કાફલો નીકળ્યો. પછી લગભગ એક કલાક બાદ અજીત પવાર પણ ત્યાંથી નિકળ્યા. આ દરમિયાન બહાર નીકળતી વખત તેમની ગાડી પણ ગેટ સાથે ટકરાઇ ગઈ.

મીડિયા રિપોર્ટ મુજબ એનસીપી નેતા અમોલ મિટકારીએ કહ્યું કે, “આ બંને નેતાઓ વચ્ચે પારિવારિક મુલાકાત હોય શકે છે.” શરદ પવાર બપોરે લગભગ એક વાગ્યે કોરેગાંવ પાર્ક ક્ષેત્રમાં આવેલા બિઝનેસમેનના આવાસ પર પહોંચતા દેખાયા હતા. સાંજે લગભગ પાંચ વાગ્યે તેઓ બહાર નીકળ્યા. એક કલાક કરતા વધુ સમય બાદ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાંજે 6:45 વાગ્યે કેમેરાથી બચવાનો પ્રયાસ કરતા એક કારમાં પરિસરથી બહાર નીકળતા જોવા મળ્યા.

માનવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્ર એનસીપી (શરદ પવાર ગ્રુપ) જયંત પાટિલ પણ બેઠકમાં સામેલ થયા. શરદ પવાર અને અજીત પવાર અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થવા માટે શનિવારે પૂણે ગયા હતા. ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કહ્યું કે, “તેમને (પવાર અને જયંત પાટિલને) પૂછવું સારું હશે કે બેઠક દરમિયાન શું વાતચીત થઈ. શરદ પવાર અને અજીત પવાર પરિવારના સભ્ય છે.”

મહારાષ્ટ્રમાં 2 જુલાઇના રોજ અજીત પવારે પક્ષ બદલીને એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થઈ ગયા હતા. તેમણે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અજીત સાથે છગન ભુજબલ, ધનંજય મુંડે સહિત એનસીપીના 8 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ કાકા ભત્રીજા વચ્ચે ઘણા ચરણની બેઠક કરી ચૂક્યા છે. રાજનૈતિક ગલિયારાઓમાં તેને લઈને જાત જાતની વાત થઈ રહી છે.

અજીત પવારે બળવા બાદ પણ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ શરદ પવાર ગ્રુપના ધારાસભ્ય બેચેન નજરે પડ્યા હતા. ધારાસભ્ય પ્રદેશન અધ્યક્ષ જયંત પાટીલ, અજીત પવાર અને બળવાખોર ધારાસભ્યો બાબતે વહેલી તકે વલણ સ્પષ્ટ કરવા કહી ચૂક્યા છે. તેમણે આ મુદ્દા પર એનસીપી પ્રમુખ પવારની લાંબા સમય સુધીના મૌનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ અગાઉ જ જયંત પાટિલે એનસીપી ધારાસભ્યોને તાજમહલ હોટલમાં ડિનર માટે આમંત્રિત કર્યા હતા.

તેમનો હેતુ સહયોગી ધારાસભ્યોની ભાવનાઓને સમજવાનો પ્રયાસ હતો. ડિનરમાં એક ડઝનથી વધુ ધારાસભ્યો પહોંચ્યા હતા. તેમાં જિતેન્દ્ર અવ્હાડ, રોહિત પવાર સહિત અન્ય ધારાસભ્ય સામેલ હતા. ડિનરમાં સામેલ એક ધારાસભ્યએ કહ્યું હતું કે, હોટલમાં પાટીલની ડિનર ડિપ્લોમસીની એકદમ વિરુદ્ધ અસર થઈ હતી. એનસીપીના બળવાખોર ધારાસભ્યો છગન ભુજબલના ગઢ યેઓલામાં શરદ પવારની રેલી બાદ અજીત પવારે પોતાના કાકા સાથે સતત એ 3 વખત મુલાકાત કરી હતી.

અજીત પવારે શરદ પવારને પોતાના નેતા બનવા અને ભાજપ સાથે હાથ મળાવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પહેલી મુલાકાત એક ખૂબ જ પરિચિત ઘટના હતી. જ્યારે તેઓ પોતાની પત્ની સુનેત્રા અને દીકરા પાર્થ સાથે શરદ પવારના આવાસ સિલ્વર ઓક પર ગયા હતા. આ મુલાકાત બાદ અજીત પવારે પોતાના નવા બનેલા મંત્રીઓ અને પોતાના સમર્થનો સાથે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.