અજીત પવારના શપથ ગ્રહણમાં ગયેલા MLA આજે કહે છે હું તો શરદ પવારની સાથે છું અને...

શિવસેના પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન થતાં શરદ પવારના જૂથમાં ગભરાટ ફેલાયો છે અને એકબીજા પર નિવેદનો આપવાનું ચાલુ કર્યું છે. જેમાં પક્ષના ધારાસભ્યો અને સંગઠન સાથે જોડાયેલા લોકો કઈ બાજુ છે, હવે તેઓ આગળ આવીને મીડિયાને જણાવી રહ્યા છે. દૌલત દરોડા મહારાષ્ટ્રની શાહપુર સીટ પરથી NCPના ધારાસભ્ય છે. રવિવાર, 2 જુલાઈના રોજ, જ્યારે અજિત પવાર સહિત NCPના નવ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે દૌલત  દરોડા રાજભવનમાં બેઠા હતા. આ કારણથી તેમની ગણતરી અજિત પવારની છાવણીના ધારાસભ્યોમાં કરવામાં આવી હતી.

પરંતુ હવે શપથ ગ્રહણ સમારોહના બીજા દિવસે દૌલત દરોડા કંઈક બીજું જ કહેતા જોવા મળે છે. સોમવાર, 3 જુલાઈના રોજ, મીડિયા સૂત્રો સાથેની વાતચિત દરમિયાન દોલત દરોડાને પૂછવામાં આવ્યું કે, શું તેઓ અજિત પવારની છાવણીમાં છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, 'NCP પાર્ટી શરદ પવારની છે અને તેથી હું શરદ પવારની સાથે છું. ભલે હું રાજભવનમાં શપથ ગ્રહણ વખતે ગઈ કાલે અજિત પવાર સાથે હાજર હતો, પરંતુ આજે પણ હું શરદ પવાર સાથે છું, મને પણ મંત્રી પદની ઑફર કરવામાં આવી હતી, પરંતુ મેં કહ્યું હતું કે, જે સરકારમાં CM એકનાથ શિંદે હશે. તેવી સરકાર સાથે હું નહિ રહીશ.'

23 નવેમ્બર 2019ની વહેલી સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ દિવસે BJPમાંથી દેવેન્દ્ર ફડણવીસ અને NCPના અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરીને સરકાર બનાવી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ CM અને અજિત પવાર DyCM બન્યા. જો કે, બંને માત્ર 80 કલાક જ પદ પર રહી શક્યા અને પછી આ સરકાર પડી ગઈ. અજિત પવાર કાકા પાસે પાછા ફર્યા હતા.

આ બનાવ બન્યો ત્યારે પણ ધારાસભ્ય દૌલત દરોડા ચર્ચામાં હતા. હકીકતમાં શપથગ્રહણના દિવસે જ દૌલત દરોડાના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. તેઓ શપથ લીધાના સમયથી જ ગાયબ હતો. કહેવાય છે કે, અજિત પવાર તેમને લઈને BJP સાથે ચાલ્યા ગયા છે. જો કે, ગુમ થયાની ફરિયાદ દાખલ થયાના બીજા જ દિવસે, NCP ધારાસભ્ય દૌલત દરોડા આગળ આવ્યા અને કહ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી બદલવાનો કોઈ સવાલ જ નથી. શરદ પવાર અને અજિત પવાર જે પણ નિર્ણય લેશે, તે નિર્ણયમાં તેઓ સાથે રહેશે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.