26 વર્ષ લગ્નમાંથી પાછા ફરતી વખતે ગાયબ થયેલી વાન નહેરમાંથી મળી, અંદર હતા હાડપિંજર

પંજાબના રોપર જિલ્લામાં ભાખરા નહેરમાંથી મળી આવેલી એક જૂની, જર્જરિત મારુતિ ઓમ્ની વાનના કારણે એક 26 વર્ષ જૂનું રહસ્ય ખુલી ગયું છે. વાનની અંદરથી મળી આવેલા હાડપિંજર, એક બાળકનો શર્ટ અને અન્ય સામાનથી ત્રણ પરિવારોની દાયકાઓથી ચાલતી રાહ અને આશાનો અંત આવ્યો છે.

કેબલ, લોખંડની સાંકળો અને ટ્રેક્ટરનો ઉપયોગ કરીને નહેરના 32 ફૂટ ઊંડા તળિયેથી કાટ લાગી ગયેલી અને જર્જરિત મારુતિ ઓમ્ની કારને બહાર કાઢવામાં આવી હતી. વાહનમાંથી એક બાળકનો શર્ટ, કેટલાક બુટ, વેરવિખેર સામાન અને માનવ હાડકાના અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષો 17 ઓક્ટોબર, 2000ના રોજ લગ્નમાંથી પાછા ફરતી વખતે ગાયબ થયેલા 4 લોકોના છે.

Bhakra-Canal-Van2
tv9hindi.com

કોટલા ગામ ચંદીગઢથી 80 કિલોમીટર દૂર આવેલું છે. મુન્ની લાલ, તેજ રામ, સુરજીત સિંહ અને સુરજીતનો 8 વર્ષનો પુત્ર કાલુ લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ચારેય જણા તેજરામની કારમાં ગયા હતા, જે તેમણે પોતાની જમીન વેચ્યા પછી એક મહિના પહેલા ખરીદી હતી. રાત્રે, ચારેય લગ્નની જાનમાંથી ઘર તરફ જવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં સુધી પહોંચ્યા નહીં. કાર સાથે બાકીના બધા લોકો ગાયબ થઈ ગયા હતા. તેમના પરિવારોએ વ્યાપક શોધખોળ શરૂ કરી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં.

સ્થાનિક મરજીવો કમલપ્રીત સૈની તાજેતરમાં જ ભાખરા નહેરમાં એક મૃતદેહ શોધવા માટે ઉતાર્યા હતા. તેમની શોધખોળ દરમિયાન, તેમની નજર નહેરના તળિયે એક કાટ લાગેલી મારુતિ ઓમ્ની વાન પર પડી હતી. 32 ફૂટ ઊંડી નહેરમાં વર્ષોથી પડેલી વાન ખુબ જ જર્જરિત હાલતમાં હતી. વાનની છત અને પાછળનો ભાગ સંપૂર્ણપણે કાટ લાગવાથી ક્ષતિગ્રસ્ત થયેલો હતો. જોકે, આગળનો ભાગ કોઈ પણ રીતે એવો જ રહ્યો હતો. સ્થાનિક લોકો, ટ્રેક્ટર, લોખંડની સાંકળો અને કેબલની મદદથી, વાનને નહેરમાંથી બહાર કાઢવામાં આવી.

Bhakra-Canal-Van3
samachareisamay.com

કમલપ્રીત સૈનીએ કહ્યું કે, જ્યારે તેમણે વાન જોઈ, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તે એ જ વેન હોઈ શકે છે, જે વર્ષો પહેલા અકસ્માતમાં ગાયબ થઇ ગઈ હતી. ત્યાર પછી ગ્રામજનો દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી.

કીરતપુર સાહિબના SHO, ઇન્સ્પેક્ટર રાહુલ શર્માએ જણાવ્યું કે, કારમાંથી મળેલા હાડપિંજરના અવશેષો સંપૂર્ણ વિધિઓ સાથે એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારપછી, પીડિતોના પરિવારોએ રોપરના પાતાલપુરી સાહિબ ગુરુદ્વારામાં સામૂહિક અંતિમ પ્રાર્થના કરી અને તેમના પ્રિયજનોને પવિત્ર જળમાં અવશેષોનું વિસર્જન કરીને અંતિમ વિદાય આપી. ચારેયને આંખમાં આંસુઓ સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલો ચઢાવવામાં આવ્યા, તેઓ પાછા આવશે એવી આશા સાથે જેમના ફોટા છેલ્લા 26 વર્ષથી તેમની દિવાલો પર લટકાવેલા હતા.

About The Author

Top News

AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

તાજેતરમાં જ NEETની પરીક્ષાનું પેપર લીક થવાને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી...
Gujarat 
AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના એક કાર્યકર્તાએ ગ્રામજનોનો પીવાનું પાણી બંધ કરી દીધું. બે દિવસ સુધી, ...
Gujarat 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટો...
Business 
સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?

તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને સત્તામાંથી બહાર કરી દેવામાં આવી છે, અને TVKના વડા થલાપતિ વિજય ...
National 
ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.