કાર્તિકેય દીપમ વિવાદ પર તમિલનાડુ સરકારને લાગ્યો ઝટકો, હાઇકોર્ટે આપ્યો આ આદેશ

તમિલનાડુના મદુરાઇમાં તિરુપરાંકુંદરમ પર્વત સ્તંભ પર કાર્તિકેય દીપમ પ્રગટાવવા અંગેના એક ન્યાયાધીશના આદેશને હાઇકોર્ટે માન્ય રાખ્યો છે. ન્યાયાધીશ G. જયચંદ્રન અને K.K. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, દીવા પ્રગટાવવાના વિવાદ પર બિનજરૂરી રીતે રાજનીતિનો રંગ આપવામાં આવ્યો છે. કોર્ટના આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, તહેવારના દિવસે દીપમ એ જ સ્થળે પ્રગટાવવો જોઈએ.

Karthigai-Deepam7
vikatan.com

આ કેસ હિન્દુ તમિલ પાર્ટીના નેતા રામ રવિકુમાર દ્વારા દાખલ કરાયેલી અરજીથી ઉદ્ભવ્યો હતો, જેમાં પથ્થરના સ્તંભ પર કાર્તિકેય દીપમ પ્રગટાવવાનો નિર્દેશ માંગવામાં આવ્યો હતો. ગયા વર્ષે 1 ડિસેમ્બરના રોજ, ન્યાયાધીશ G.R. સ્વામીનાથને અરજી સ્વીકારી હતી અને તહેવારના દિવસે દીપમ પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે વહીવટીતંત્રે આદેશનો અમલ કર્યો નથી.

Karthigai-Deepam3
hindupost.in

મંદિર સત્તાવાળાએ જણાવ્યું હતું કે, આ એ જ સ્થાન છે જ્યાં સો વર્ષથી વધુ સમયથી દીપમ સતત પ્રગટાવવામાં આવે છે. આ પ્રથા સ્થાપિત રિવાજો અને અગમ ઉપદેશો અનુસાર કરવામાં આવે છે. મંદિર પક્ષ માને છે કે ધાર્મિક પ્રથાઓનું સમ્માન જળવાઈ રહે તે માટે દીપમ ઉત્સવ એ જ પરંપરાગત સ્થળે યોજવો જોઈએ.

Karthigai-Deepam5
vikatan.com

આ વિવાદ વધુ ત્યારે વકર્યો, જ્યારે આ મુદ્દાથી નારાજ 40 વર્ષીય વ્યક્તિએ આત્મદાહ કરીને આત્મહત્યા કરી. આ ઘટનાથી સ્થાનિક સમુદાય અને ધાર્મિક સંગઠનોમાં ચિંતા અને વિરોધ ફેલાયો છે. ઘણા લોકોએ વહીવટ અને મંદિર વ્યવસ્થાપન સ્પષ્ટ સૂચનાઓનું પાલન કરે તેવી માંગ કરી છે.

amul-dahi2
financialexpress.com

કોર્ટે જણાવ્યું હતું કે, તહેવારના દિવસે એક જ સ્થળે દીપમ પ્રગટાવવો એ ધાર્મિક પ્રથાનો એક ભાગ છે અને તેને કોઈપણ અવરોધ કે રાજકીય દખલગીરીથી અસર થવી જોઈએ નહીં. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીને આ સુનિશ્ચિત કરવા વહીવટને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય પછી, સ્થાનિક ધાર્મિક અને સામાજિક સંગઠનોએ રાહતનો શ્વાસ લીધો છે અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

માદુરો જેલમાં, ટ્રમ્પનો તેલ ભંડાર પર નિયંત્રણ; તો પછી વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો કેમ?

વેનેઝુએલાની કટોકટી હાલમાં વિશ્વમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય બનેલી છે. અને એવું થાય પણ કેમ નહીં? આખરે અમેરિકાએ દેશના...
Business 
માદુરો જેલમાં, ટ્રમ્પનો તેલ ભંડાર પર નિયંત્રણ; તો પછી વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો કેમ?

હવામાન વિભાગે જણાવ્યું ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, ઠંડી કેટલી પડશે

ગુજરાતમાં હવે શિયાળો તેના અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો...
Gujarat 
હવામાન વિભાગે જણાવ્યું ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, ઠંડી કેટલી પડશે

અમેરિકામાં 92 વર્ષના જજ સામે માદુરોનો કેસ! USમાં ન્યાયાધીશો નિવૃત્ત કેમ નથી થતા?

વિશ્વની સૌથી શક્તિશાળી અદાલતોમાંની એક ગણાતી અમેરિકન ન્યાયિક વ્યવસ્થા ફરી એકવાર સમાચારમાં છે. એનું કારણ એ છે કે, વેનેઝુએલાના...
World 
અમેરિકામાં 92 વર્ષના જજ સામે માદુરોનો કેસ! USમાં ન્યાયાધીશો નિવૃત્ત કેમ નથી થતા?

અમેરિકાના ન્યૂ જર્સીને પહેલા ગુજરાતી મેયર મળ્યા

અમેરિકામાં એક ગુજરાતીએ ઇતિહાસ રચી દીધો છે. મુળ ગુજરાતના વલસાડના પુલકિત દેસાઇ ન્યુ જર્સીની પાર્સીપની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર બન્યા છે....
World 
અમેરિકાના ન્યૂ જર્સીને પહેલા ગુજરાતી મેયર મળ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.