ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, બે રૂપિયે કિલો વેચાઈ રહી છે...', કોંગ્રેસે કહ્યું- બરબાદ કરી દીધા

મધ્યપ્રદેશના માલવાંચલ ક્ષેત્રના કૃષિ ઉત્પાદન બજારોમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. રતલામ, મંદસૌર અને નીમચ જિલ્લાના બજારોમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહ્યા નથી, જેના કારણે તેઓ પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. જથ્થાબંધ બજારમાં ડુંગળી માત્ર 2 થી 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે છૂટક ભાવ 15 રૂપિયા પ્રતિ કિલોથી વધુ રહે છે. કોંગ્રેસે ડુંગળીના ભાવમાં આ ઘટાડા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.

ખેડૂતોનું કહેવું છે કે તેઓને બજારમાં તેમના ડુંગળીના પાકનો પરિવહન ખર્ચ પણ મળી રહેતો નથી. રતલામના કૃષિ ઉત્પાદન બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલ માત્ર 600 રૂપિયા છે, જ્યારે લઘુત્તમ ભાવ 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 2 રૂપિયા પ્રતિ કિલો જ મળી રહ્યો છે.

Onion-Farmers
x.com/INCIndia

રતલામ મંડીના ખેડૂત મફતલાલે કહ્યું કે, તેમણે રૂ. 30 ક્વિન્ટલ ડુંગળી બજારમાં લાવવા માટે ટ્રેક્ટર-ટ્રોલી પરિવહન માટે 2000 રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ તેમને પ્રતિ ક્વિન્ટલ માત્ર 250 રૂપિયા મળ્યા. પરિણામે, તેઓ ડુંગળીના જાળવવાનો અને ઉત્પાદન ખર્ચ તો દૂર, પરિવહન ખર્ચ પણ નીકળી શક્યો નથી.

ધરાડ અને નગરા ગામના ખેડૂતોએ જણાવ્યું કે, એપ્રિલમાં જ્યારે ડુંગળીની કાપણી કરવામાં આવી હતી, ત્યારે તેમને વાજબી ભાવ મળી રહ્યા હતા. હવે, પાક સંભાળ્યાના પાંચ મહિના પછી, ભાવમાં વધુ ઘટાડો થયો છે. ખેડૂતોને મહત્તમ 850 રૂપિયા અને ઓછામાં ઓછા 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે.

Onion-Farmers
abplive.com

કોંગ્રેસ પાર્ટીએ તેના સત્તાવાર 'X' એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને મધ્યપ્રદેશમાં ડુંગળીના ભાવમાં ઘટાડા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર નિશાન સાધ્યું. કોંગ્રેસે લખ્યું કે, મધ્યપ્રદેશમાં ડુંગળીના ખેડૂતો ખુબ પરેશાન થઈને રડી રહ્યા છે. બજારમાં ડુંગળી 2 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. ખેડૂતો પોતાનો પાક જે ભાવ મળે તે ભાવે વેચવા માટે મજબુર થઇ રહ્યા છે. તેમના પાકને યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તેમના ઉત્પાદનને ફેંકી દેવાની ફરજ પડી રહી છે. આ પોસ્ટમાં, પાર્ટીએ PM નરેન્દ્ર મોદીના 'ખેડૂતોની આવક બમણી કરવાના' વચન પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, તેઓને બરબાદ કરી નાખ્યા છે. આ પોસ્ટ સાથે રતલામ કૃષિ ઉત્પાદન બજારનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે આ પોસ્ટને આગળ શેર કરી છે.

ડુંગળી અને લસણના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ડુંગળીનો વિસ્તાર અને ઉત્પાદન વધારે પ્રમાણમાં થયો હતો. ખેડૂતોએ ભાવ વધવાની અપેક્ષાએ ડુંગળીનો પાક સ્ટોક કરીને રોકી રાખ્યો હતો. હવે નવી ડુંગળીનું આગમન પણ શરૂ થયું છે, જેના કારણે જૂની ડુંગળીના ભાવ ઝડપથી ઘટવા લાગ્યા છે. ઘટતા ભાવ વચ્ચે, ખેડૂતો હવે પોતાનો જૂનો સ્ટોક ફેંકી દેવાના ભાવે વેચવા મજબૂર છે.

About The Author

Top News

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.