‘મોમોઝ ખાવા હોય તો સોનું લઈ આવ...’, બાળકે ઘરમાંથી 86 લાખના ઘરેણા ચોરીને દુકાનદારને આપી દીધા; ગજબની છે કહાની

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક મોમો વિક્રેતાઓ પર એક બાળકને લલચાવીને તેના ઘરમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં હડપવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના રામપુર કારખાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પીડિત પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભગવાનપુર તિવારી ગામના રહેવાસી અને વારાણસીના એક મંદિરના પૂજારી વિમલેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર દેવરિયામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. પરિવારનો આરોપ છે કે ડુમરી ચોકડી પર મોમોનો સ્ટોલ ચલાવતા કેટલાક યુવાનોએ બાળકને મોમોનું ખવડાવવાની લાલચ આપીને પોતાના પ્રભાવમાં લઈ લીધો. બાળકની મોમો ખાવાની આદત હતી, જેનો ફાયદો ઉઠાવીને તેને લલચાવવામાં આવ્યો હતો.

momo shopkeeper
x.com/i/grok

પરિવારના જણાવ્યા મુજબ, આ લાલચમાં ફસાઈને બાળકે ઘરના કબાટમાંથી ઘરેણાં કાઢીને આરોપીઓને આપી દીધા. પિતાનું કહેવું છે કે ચોરાયેલા ઘરેણાંની કિંમત લગભગ 86 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આ ઘરેણાં તેની બહેન અને તેના પોતાના હતા, અને તેને સુરક્ષિત રીતે કબાટમાં રાખવામા આવ્યા હતા.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે રવિવારે જ્યારે તેની બહેને તેના ઘરેણાં માંગ્યા. કબાટ ખોલ્યો તો ઘરેણાં ગાયબ હતા. પરિવાર ચોંકી ગયો. પૂછપરછ દરમિયાન, પુત્રએ જણાવ્યું હતું કે તેણે મોમોના બદલામાં દુકાનદારને ઘરેણાં આપ્યા હતા. પિતાનો આરોપ છે કે, આ સમગ્ર મામલે 3 યુવક સામેલ છે, જેમણે બાળકની નિર્દોષતાનો લાભ ઉઠાવ્યો.

momo shopkeeper
x.com/i/grok

પીડિતાએ રામપુર કારખાના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આટલી મોટી માત્રામાં ઘરેણાં ગાયબ થવાને કારણે પરિવાર ઘેરા આઘાત અને આર્થિક સંકટમાં છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દેવેન્દ્ર કુમાર સિંહનું કહેવું છે કે, FIR નોંધવામાં આવી છે. ચોરાયેલા ઘરેણાંની કિંમત 85-86 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. બાળકની પણ પૂછપરછ કરવામાં આવી છે, જેથી પૂરું સત્ય સામે આવી શકે.

About The Author

Related Posts

Top News

પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

ક્યારેક, એકદમ સરળ માહિતીથી પણ મોટામાં મોટો ગુનો ઉકેલાઈ જતો હોય છે. ગાઝિયાબાદમાં આ નકલી પાસપોર્ટ કેસ આવો જ...
National 
પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના...
National 
રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની આજે શરૂઆત કરી દીધી છે. યાત્રા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ...
Gujarat 
ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ...
Politics 
મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.