થરૂર મોદી સરકારની વિદેશ નીતિના વખાણ કરવા પર અડગ, કહ્યું- અગાઉના મારા મંતવ્યો ખોટા હતા

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સ્વીકાર્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની ટીકા કરતા તેમના અગાઉના મંતવ્યો ખોટા હતા. તેમણે પોતાની ભૂલ સ્વીકાર્યા પછી, કોંગ્રેસમાં જ પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા, જેના પર તેમણે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી. શશિ થરૂરે કહ્યું કે, મેં એક ભારતીય તરીકે મારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને તેમને તેમાં કોઈ રાજકારણ દેખાતું નથી. થરૂરે મંગળવારે કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી ભારતના વલણનો વિરોધ કરવો તેમના માટે શરમજનક સાબિત થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિને કારણે, દેશ હવે એવી સ્થિતિમાં છે જ્યાં તે કાયમી શાંતિ માટે ભૂમિકા ભજવી શકે છે.

Shashi Tharoor
livehindustan.com

જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે થરૂરે ભારતના વલણની ટીકા કરી હતી અને મોસ્કોના પગલાની નિંદા કરવાની માંગ કરી હતી. તેમણે બુધવારે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'મેં આ બાબતે એક ભારતીય તરીકે વાત કરી. મને આમાં કોઈ રાજકારણ દેખાતું નથી.' થરૂરે કહ્યું કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ તેમણે તેના પર વધુ વિગતવાર વાત કરી નથી. આ દરમિયાન, કેરળના BJP નેતૃત્વએ થરૂરના વલણમાં ફેરફારની પ્રશંસા કરી, અને કહ્યું કે, PM નરેન્દ્ર મોદીની કૂટનીતિની પ્રશંસા કરવામાં તેમની પ્રામાણિકતા પ્રશંસનીય છે.

BJPના પ્રદેશ પ્રમુખ K. સુરેન્દ્રનાથે કહ્યું કે, તેઓ હંમેશા કોંગ્રેસ સાંસદની સ્પષ્ટવક્તાની પ્રશંસા કરતા આવ્યા છે. તેમણે કહ્યું કે, તિરુવનંતપુરમના સાંસદ થરૂર, PM મોદીના નેતૃત્વમાં ભારતનો વૈશ્વિક ઉદય જોઈ રહ્યા છે અને તે 'ખરેખર એક નવો દ્રષ્ટિકોણ' છે. 'X' પરની એક પોસ્ટમાં, સુરેન્દ્રને કહ્યું, 'પ્રિય શશિ થરૂર જી, મેં હંમેશા તમારી સ્પષ્ટવક્તા હોવાની પ્રશંસા કરી છે. 'મેં શરૂઆતમાં તેનો વિરોધ કર્યો હતો' એમ કહેવાની અને હવે રશિયા-યુક્રેન પર PM મોદીની કૂટનીતિની સફળતાની પ્રશંસા કરવાની તમારી પ્રામાણિકતા પ્રશંસનીય છે. તમે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો વૈશ્વિક ઉદય જોઈ રહ્યા છો, જે ખરેખર એક નવું વિઝન છે. જોકે કોંગ્રેસના તમારા સાથીદારો આ જોઈ શકતા નથી.'

Shashi Tharoor
oneindia.com

થરૂરે મંગળવારે કહ્યું હતું કે, ભારત દ્વારા અપનાવવામાં આવેલી નીતિ હેઠળ, PM નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી બંનેને ગળે લગાવી શકે છે. 'રાયસીના ડાયલોગ'ના એક સત્ર દરમિયાન, ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી થરૂરે કહ્યું, 'હું હજુ પણ શરમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છું, કારણ કે મેં ફેબ્રુઆરી 2022માં સંસદીય ચર્ચા દરમિયાન ભારતના વલણની ટીકા કરી હતી.'

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.