જોવા મળ્યા દેશના 'અનોખા ગરીબ'... એકની વાર્ષિક આવક 0 રૂપિયા છે, સરકારે પોતે આપ્યું પ્રમાણપત્ર!

મધ્યપ્રદેશ ખરેખર વિચિત્ર છે અને અહીંના સરકારી કચેરીઓના કાર્યો અદ્ભુત છે. તાજેતરનો કિસ્સો સતના જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાંથી બહાર પાડવામાં આવેલા આવક પ્રમાણપત્રોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. કોઠી તાલુકાના રામસ્વરૂપ નામના ખેડૂતને આપવામાં આવેલા આવક પ્રમાણપત્રમાં, તેમની વાર્ષિક આવક ફક્ત 3 રૂપિયા દર્શાવવામાં આવી હતી, જ્યારે ઉચેહરા તાલુકાના સંદીપ કુમાર નામદેવને 0 રૂપિયા વાર્ષિક આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

MP Income Certificate
etvbharat.com

કોઠી અને ઉચેહરા તાલુકામાંથી બહાર પાડવામાં આવેલા આ બે આવક પ્રમાણપત્રો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ પ્રમાણપત્રો ચર્ચાનો વિષય બન્યા છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત અને ચિંતિત છે કે શું આ મજાક છે કે સાચું? શું કોઈ વ્યક્તિની વાર્ષિક આવક આટલી ઓછી હોઈ શકે છે? આ પ્રમાણપત્રો અનુસાર, બંને વ્યક્તિઓ દેશના સૌથી ગરીબ સાબિત થઈ રહ્યા છે.

રામ સ્વરૂપની વાર્ષિક આવક 3 રૂપિયા એટલે કે 25 પૈસા પ્રતિ માસ અને સંદીપની આવક 0 રૂપિયા દર્શાવવામાં આવી છે. આ પ્રમાણપત્રોએ સરકારી તંત્ર પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, અધિકારીઓ અને કર્મચારીઓએ કહ્યું છે કે, આ અંગે તપાસ કરવામાં આવશે.

MP Income Certificate
etvbharat.com

કોઠી તાલુકાના તહસીલદાર સૌરભ દ્વિવેદીએ નયાગાંવ નિવાસી રામસ્વરૂપને આવકનું પ્રમાણપત્ર આપ્યું હતું અને તેમની વાર્ષિક આવક 3 રૂપિયા પ્રમાણિત કરી હતી. આ પ્રમાણપત્ર 22 જુલાઈ 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. તે તહસીલદાર સૌરભ દ્વિવેદીની સહી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, બીજું એક આવકનું પ્રમાણપત્ર પ્રકાશમાં આવ્યું, જેમાં સંદીપ કુમાર નામદેવની વાર્ષિક આવક ૦ રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ પ્રમાણપત્ર 7 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

MP Income Certificate
bhaskar.com

આ મામલો હેડલાઇન્સમાં આવ્યા પછી, તહસીલદારે 'કારકુની ભૂલ'નો હવાલો આપીને આવકનું પ્રમાણપત્ર રદ કર્યું અને નવું પ્રમાણપત્ર બહાર પાડયું હતું.

આ બાબતે જ્યારે જિલ્લા કલેક્ટર ડૉ. સતીશ કુમાર સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે તહસીલદાર સૌરભ દ્વિવેદી અને જાહેર સેવા કેન્દ્રના સંચાલકને ઠપકો આપ્યો અને તપાસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.

આ સાથે તેમણે મીડિયાને આ મામલા સંબંધિત માહિતી આપવાનું પણ કહ્યું. તહસીલદાર સૌરભ દ્વિવેદીએ તેને 'કારકુની ભૂલ' ગણાવી. મોટો પ્રશ્ન એ છે કે, જ્યારે પીડિત ખેડૂત રામસ્વરૂપ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, તેમણે કોઈ આવકનું પ્રમાણપત્ર બનાવ્યું જ નથી. આનાથી મામલો વધુ જટિલ બન્યો છે. હવે અધિકારીઓ સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની વાત કરી રહ્યા છે.

About The Author

Top News

અંતિમ સંસ્કાર પહેલા 103 વર્ષના દાદી જીવતા થયા, સ્મશાન યાત્રા રદ કરી ધામધૂમથી જન્મદિવસ ઉજવાયો

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. અહીં ...
National 
અંતિમ સંસ્કાર પહેલા 103 વર્ષના દાદી જીવતા થયા, સ્મશાન યાત્રા રદ કરી ધામધૂમથી જન્મદિવસ ઉજવાયો

I-PAC દરોડા મામલે સુપ્રીમ કોર્ટ મમતા સરકારને ઝટકો આપ્યો, ED સામે FIR પર સ્ટે અને...

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તાજેતરમાં IPACની ઓફિસ પર પડેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડાનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ...
National 
I-PAC દરોડા મામલે સુપ્રીમ કોર્ટ મમતા સરકારને ઝટકો આપ્યો, ED સામે FIR પર સ્ટે અને...

જોવા મળ્યા દેશના 'અનોખા ગરીબ'... એકની વાર્ષિક આવક 0 રૂપિયા છે, સરકારે પોતે આપ્યું પ્રમાણપત્ર!

મધ્યપ્રદેશ ખરેખર વિચિત્ર છે અને અહીંના સરકારી કચેરીઓના કાર્યો અદ્ભુત છે. તાજેતરનો કિસ્સો સતના જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાંથી...
National 
જોવા મળ્યા દેશના 'અનોખા ગરીબ'... એકની વાર્ષિક આવક 0 રૂપિયા છે, સરકારે પોતે આપ્યું પ્રમાણપત્ર!

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો...
Opinion 
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

Opinion

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો...
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.