જોવા મળ્યા દેશના 'અનોખા ગરીબ'... એકની વાર્ષિક આવક 0 રૂપિયા છે, સરકારે પોતે આપ્યું પ્રમાણપત્ર!

મધ્યપ્રદેશ ખરેખર વિચિત્ર છે અને અહીંના સરકારી કચેરીઓના કાર્યો અદ્ભુત છે. તાજેતરનો કિસ્સો સતના જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાંથી બહાર પાડવામાં આવેલા આવક પ્રમાણપત્રોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. કોઠી તાલુકાના રામસ્વરૂપ નામના ખેડૂતને આપવામાં આવેલા આવક પ્રમાણપત્રમાં, તેમની વાર્ષિક આવક ફક્ત 3 રૂપિયા દર્શાવવામાં આવી હતી, જ્યારે ઉચેહરા તાલુકાના સંદીપ કુમાર નામદેવને 0 રૂપિયા વાર્ષિક આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

MP Income Certificate
etvbharat.com

કોઠી અને ઉચેહરા તાલુકામાંથી બહાર પાડવામાં આવેલા આ બે આવક પ્રમાણપત્રો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ પ્રમાણપત્રો ચર્ચાનો વિષય બન્યા છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત અને ચિંતિત છે કે શું આ મજાક છે કે સાચું? શું કોઈ વ્યક્તિની વાર્ષિક આવક આટલી ઓછી હોઈ શકે છે? આ પ્રમાણપત્રો અનુસાર, બંને વ્યક્તિઓ દેશના સૌથી ગરીબ સાબિત થઈ રહ્યા છે.

રામ સ્વરૂપની વાર્ષિક આવક 3 રૂપિયા એટલે કે 25 પૈસા પ્રતિ માસ અને સંદીપની આવક 0 રૂપિયા દર્શાવવામાં આવી છે. આ પ્રમાણપત્રોએ સરકારી તંત્ર પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, અધિકારીઓ અને કર્મચારીઓએ કહ્યું છે કે, આ અંગે તપાસ કરવામાં આવશે.

MP Income Certificate
etvbharat.com

કોઠી તાલુકાના તહસીલદાર સૌરભ દ્વિવેદીએ નયાગાંવ નિવાસી રામસ્વરૂપને આવકનું પ્રમાણપત્ર આપ્યું હતું અને તેમની વાર્ષિક આવક 3 રૂપિયા પ્રમાણિત કરી હતી. આ પ્રમાણપત્ર 22 જુલાઈ 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. તે તહસીલદાર સૌરભ દ્વિવેદીની સહી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, બીજું એક આવકનું પ્રમાણપત્ર પ્રકાશમાં આવ્યું, જેમાં સંદીપ કુમાર નામદેવની વાર્ષિક આવક ૦ રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ પ્રમાણપત્ર 7 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

MP Income Certificate
bhaskar.com

આ મામલો હેડલાઇન્સમાં આવ્યા પછી, તહસીલદારે 'કારકુની ભૂલ'નો હવાલો આપીને આવકનું પ્રમાણપત્ર રદ કર્યું અને નવું પ્રમાણપત્ર બહાર પાડયું હતું.

આ બાબતે જ્યારે જિલ્લા કલેક્ટર ડૉ. સતીશ કુમાર સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે તહસીલદાર સૌરભ દ્વિવેદી અને જાહેર સેવા કેન્દ્રના સંચાલકને ઠપકો આપ્યો અને તપાસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.

આ સાથે તેમણે મીડિયાને આ મામલા સંબંધિત માહિતી આપવાનું પણ કહ્યું. તહસીલદાર સૌરભ દ્વિવેદીએ તેને 'કારકુની ભૂલ' ગણાવી. મોટો પ્રશ્ન એ છે કે, જ્યારે પીડિત ખેડૂત રામસ્વરૂપ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, તેમણે કોઈ આવકનું પ્રમાણપત્ર બનાવ્યું જ નથી. આનાથી મામલો વધુ જટિલ બન્યો છે. હવે અધિકારીઓ સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની વાત કરી રહ્યા છે.

About The Author

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.