કુતરો 2 વર્ષની બાળકીને કરડ્યો, પછી તે ગામના 40 લોકોને કરડી, માસૂમનું મોત

ઉત્તર પ્રદેશના જાલૌનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગામમાં કુતરો 2 વર્ષની બાળકીને કરડ્યો હતો અને એ બાળકી ગામના 40 લોકોને કરડી હતી. એ પછી બાળકીનું મોત થયું છે અને ગામના લોકો ટેન્શનમાં આવી ગયા છે.

UPના જાલૌનમાં એક રખડતો કૂતરો 2 વર્ષની બાળકીને કરડ્યો હતો. જે બાદ માસૂમનું મોત થયું હતું. પરંતુ  બાળકીના મોત પહેલાં તેણે રમતા રમતા પરિવારના અને ગામના 40 લોકોને કરડી લીધું હતું. માસૂમના મોતના સમાચાર બાદ હવે ગામના લોકો ચિંતામાં આવી ગયા છે અન્ સ્થાનિક હેલ્થ સેન્ટર પર હડકવાની રસી લેવા માટે દોડી રહ્યા છે.માસૂમના પિતાએ આરોપ લગાવતા કહ્યું છે કે સાસરિયા પક્ષના લોકોએ મારી દીકરીની સારવાર કરાવવાને બદલે તંત્ર મંત્રના ચક્કરમાં પડી ગયા હતા, જેને કારણે મારી દીકરીનું મોત થયું છે.

આ ઘટના કોંચ તહસીલના ક્યોલારી ગામનો છે. અહીં 2 વર્ષની માસૂમ બાળકી કાવ્યાનું કૂતરાના કરડવાથી મોત થયું હતું. બાળકીના પરિવારના સભ્યોએ તેની સમયસર સારવાર ન કરાવી અને તે વિધી માટે બાવાઓના ચક્કરમાં પડ્યા હતા. એ પછી  જ્યારે માસૂમ બાળકી કાવ્યાની હાલત વધુ ખરાબ થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. માસૂમની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને ઝાંસીની હોસ્પિટલમાં રિફર કરી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કાવ્યાનું  રસ્તામાં જ મોત થઈ ગયું હતું.

જ્યારે કાવ્યાના મોતની ગામના લોકોને ખબર પડી ત્યારે ગામમાં હડકંપ મચી ગયો હતો, કારણકે કાવ્યા 40 લોકોને કરડી ચૂકી હતી. હવે લોકો ગામની આરોગ્ય હોસ્પિટલ પહોંચીને હડકવાની રસી મુકાવી રહ્યા છે.

ક્યોલારી ગામના રહેવાસી મોહન કુશવાહાની 2 વર્ષની પુત્રી કાવ્યા થોડા દિવસો પહેલા તેની માતા અનિતા દેવી સાથે હિંડોખરા ગામ ખાતે તેના મામાના ઘરે ગઈ હતી. જ્યાં તેને બીમાર કૂતરો કરડ્યો હતો. પરિવારના સભ્યોએ કોઇ ઓઝા પાસે  વિધિ કરાવી હતી.

એ પછી બાળકીના પરિવારને લાગ્યું કે હવે બાળકી બિમાર નહીં પડે. બાળકી તેની માતા સાથે તેના ગામ પાછી આવી ત્યારે તેને હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા, પરંતુ તેમ છતાં પરિવારના સભ્યોએ ધ્યાન આપ્યું નહીં. કાવ્યા ગામના લગભગ 40 લોકોને કરડી હતી અને કેટલાંક લોકો ઘાયલ પણ થયા હતા, આમ છતા બાળકીની હરકતો પર કોઇએ ધ્યાન આપ્યું નહીં. જ્યારે બાળકી બિમાર પડી ત્યારે તેને બચાવી શકાઇ નહીં.

ગામના CHCના ચીફ ફાર્માસિસ્ટ રાજકુમાર મિશ્રાએ કહ્યું હતું કે, ક્યોલારી ગામના 40થી વધારે લોકો હડકવાની રસી લેવા માટે હોસ્પિટલ આવ્યા છે. ઇંજેકશનનો પુરતા છે, હજુ વધું લોકો આવે તેવી સંભાવના છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.