વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો

બિહારના જમુઈમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીને ટ્યૂશન જવા દરમિયાન પોતાના જ શિક્ષકની દીકરી સાથે પ્રેમ થઈ  ગયો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા અને હવે તેઓ સુરક્ષા માટે અનુરોધ કરી રહ્યા છે. હકીકતમાં, અલીગંજ વિસ્તારમાં ટ્યૂશન દરમિયાન શરૂ થયેલી આ પ્રેમ કહાની 8 વર્ષ બાદ લગ્નના પડાવ સુધી પહોંચી ગઈ, પરંતુ હવે આ પ્રેમી યુગલ પોતાના પરિવારથી જ જીવનું જોખમ અનુભવી રહ્યું છે અને પોલીસ પાસેથી સુરક્ષાની માગ કરી રહ્યું છે. મામલાની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી, જ્યારે અલીગંજ બજારમાં ચા વેચનાર અનિલ રામનો પુત્ર રાજીવ કુમાર ટ્યૂશન માટે શિક્ષક જિતેન્દ્ર કુમાર પાંડેના ઘરે જતો હતો. ત્યાં જ, તે તેની પુત્રી ગુડિયા સાથે નજીકતા વધી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બંને અલગ-અલગ જાતિના હતા, જેના કારણે ગુડિયાના પરિવારજનો આ સંબંધ વિરુદ્ધ હતા. તેમણે ગુડિયા પર નજર રાખવાનું શરૂ કરી દીધું અને તેના પર જાત જાતના પ્રતિબંધો લગાવવાના ચાલું કરી દીધા હતા. તેને અત્યાચારિત પણ કરવામાં આવતી હતી.

Jamui Love Story
hindustantimes.com

ગુડિયાના જણાવ્યા મુજબ, તેને ખાવાનું પણ આપવામાં આવતું નહોતું અને ઘરમાં કેદ રાખવામાં આવતી હતી. તેણે કહ્યું કે, રાજીવ તેના અભ્યાસનો બધો ખર્ચ ઉઠાવતો હતો અને તેનો પૂરો ખ્યાલ રાખતો હતો. અત્યાચારથી કંટાળીને બંનેએ 17 માર્ચ 2025ના રોજ દેવઘર મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેના કારણે મામલો ગરમાયો. ત્યારબાદ, ગુડિયાના પરિવારજનોએ પ્રેમી રાજીવના પિતા અનિલ રામ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો. રાજીવનો આરોપ છે કે, પોલીસે તેના પિતાને કસ્ટડીમાં લઈને છોડવા માટે 10,000 રૂપિયાની માગણી કરી હતી, જેને ચૂકવ્યા બાદ છોડવામાં આવ્યો હતો.

Jamui Love Story
aajtak.in

લગ્ન બાદ, બંનેને જીવથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી, જેના કારણે તેઓ છેલ્લા ઘણા દિવસોથી છુપાઈને રહેતા હતા. આખરે બંનેએ જમુઈના SP મદન કુમાર આનંદને મળીને સુરક્ષા અને ન્યાયની માગ કરી હતી. SPના નિર્દેશ પર, કલમ 164 હેઠળ ગુડિયાનું નિવેદન નોંધવામાં આવ્યું અને કોર્ટના આદેશ પર, તેને રાજીવના પરિવારને સોંપી દેવામાં આવી. પ્રેમી યુગલ હવે પ્રશાસન પાસેથી રક્ષણની માગ કરી રહ્યું છે.

Top News

RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30મી તારીખે પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી...
Business 
RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
Politics 
મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનો સામાન્ય માણસ (કોમન મેન) અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. એક સમયે ઓટો રિક્ષા ચલાવનારા DyCM ...
National 
DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યા પછી કે મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024ની ચૂંટણીમાં 'ગડબડ' ...
National 
રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.