ગજબનો ચોર, ચોરીના પૈસાથી કરાવતો ગામનો વિકાસ, ગરીબ છોકરીઓના લગ્ન પણ કરાવતો

પોતાના જીવનમાં ચોરીના ઘણા બધા કેસો અંગે જાણ્યું હશે પરંતુ યુપીના ગાઝિયાબાદ જિલ્લામાં એક એવો ચોર પકડવામાં આવ્યો છે, જે ચોરી તો કરતો હતો પરંતુ સમાજના હિત માટે કરતો હતો. આ ચોર એટલો શાતિર અને ટેક્નીકલ છે કે તે માત્ર એ જ પૈસાની ચોરી કરતો હોય જે બ્લેક મનીના હોય. ચોરને પકડવામાં આવ્યા પછી તેના વિરુદ્ધ કોઈ કેસ પણ કરી શકાય તેમ નથી. એમ કહી તો ચાલે કે સલમાન ખાનની કીક ફિલ્મની જેમ સ્ટાઈલમાં ચોરી કરીને ઘટનાને અંજામ આપતો હતો.

ભ્રષ્ટાચાર તથા મંત્રીઓને લૂટીને ગરીબ બાળકોના ઈલાજમાં પૈસા ખર્ચ કરનારો એક એવો જ અપરાધી ઈરફાન ઉર્ફ ઇજાલાને કવિનગર પોલીસે પકડી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપીએ કબૂલ કર્યું હતું કે તેની પત્ની બિહારના એક જિલ્લામાં નગર પંચાયત અધ્યક્ષ છે અને આ અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતો હતો. આ તે રાજ્યોમાં તે જગ્યા પર ચોરી કરતો હતો જ્યાં બ્લેક મની રાખવામાં આવતું હતું અથવા મંત્રી વિધાયકના કાળા પૈસાની ચોરી કરતો હતો.

તે આવી જગ્યાએ એટલા માટે ચોરી કરતો હતો કારણ કે તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ ના કરી શકે. એટલું જ નહીં તેણે કહ્યું કે ચોરી કરેલા પૈસા તે પોતાના ગામના વિકાસ કાર્યોમાં વાપરતો હતો. ગામમાં રોડ અથવા લાઈટ લગાવવાની હોય અથવા તો સોલર લાઈટ આ બધી જરૂરત આ જ પૈસાથી પૂરો કરતો હતો. તે ગરીબ ઘરની છોકરીઓના લગ્ન પણ કરાવતો હતો. જ્યાં એક તરફ અલગ અલગ રાજ્યોમાં ચોરીના લગભગ 26 કેસ ઈરફાન ઉર્ફ ઉજાલા પર ચાલી રહ્યા છે ત્યાં જ આજે કવિ નગર પોલીસે તેને ગેંગસ્ટર એક્ટમાં શંકાશીલ લાગતા તેની ધરપકડ કરી છે. ઈરફાનને રોબિનહુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈરફાને છેલ્લા 10 વર્ષમાં સુરત, દિલ્હી, બેંગ્લોર, પંજાબ અને બિહારમાં જેગુઆરઅને ઓડી જેવી કારની પણ ચોરી કરી છે. તેને ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં પિસ્તોલ સાથે સુરતના કીમ પોલીસે પકડી પાડ્યો હતો. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.