ટ્રાન્સજેન્ડર શિક્ષિકાને બે વાર નોકરીમાંથી કાઢી મૂકાઈ, કોર્ટે શાળા અને સરકાર બંનેને વળતર ચૂકવવાનો હુકમ કર્યો

જેન કૌશિક નામની 32 વર્ષીય ટ્રાન્સજેન્ડર મહિલાએ ટ્રાન્સજેન્ડર ઓળખને કારણે બે વાર નોકરી ગુમાવી. શાળા શિક્ષિકા તરીકેની લાયકાત પૂર્ણ કરવા છતાં, તેને ખાનગી શાળામાં નોકરી આપવામાં આવી નહીં. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે જેન કૌશિકને રાહત આપી અને શાળા અને રાજ્ય સરકારોને પીડિતાને 50,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. રાહત છતાં, જેન કૌશિક આ નિર્ણયથી નાખુશ છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મૂળ દિલ્હીની જેનને 2022 અને 2023 વચ્ચે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ખાનગી શાળાઓમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. 2022માં, તેણે આ શાળાઓ સામે ફરિયાદો દાખલ કરી. વિવિધ કાનૂની પાસાઓમાંથી પસાર થતો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. આ વર્ષે 17 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદો આપ્યો કે ખાનગી સંસ્થાઓને ટ્રાન્સ વ્યક્તિઓ સાથે ભેદભાવ કરવાની પરવાનગી નથી.

Transgender Teacher
en.themooknayak.com

કોર્ટે શાળાઓ અને સંબંધિત રાજ્ય સરકારો બંનેને જેનને 50,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. ટ્રાન્સજેન્ડર અધિકારોનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે એક સલાહકાર સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. બેન્ચે એવી પણ ભલામણ કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ટ્રાન્સજેન્ડર લોકોને રોજગાર અને શિક્ષણમાં સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા માટે સમાન ક્ષેત્ર નીતિ વિકસાવશે.

આ નીતિ ડ્રાફ્ટ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર લાગુ થવી જોઈએ. જો કોઈ સંસ્થા (જેમ કે શાળા, કાર્યાલય, વગેરે) પાસે પોતાની નીતિ નથી, તો કેન્દ્ર સરકારની નીતિ લાગુ થશે. જોકે, જેન કૌશિકે આ નિર્ણયથી નિરાશા વ્યક્ત કરી હતી.

Transgender Teacher
independent.co.uk

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તે આ નિર્ણયથી નાખુશ છે. તેને ઉત્તર પ્રદેશની એક શાળામાંથી 45,000 રૂપિયાનો પગાર મળતો હતો. તેને આઠ મહિના સુધી કામથી દૂર રહેવું પડ્યું. અંતે, 2023માં, તેને ગુજરાતની એક શાળા તરફથી ઓફર લેટર મળ્યો. પરંતુ જ્યારે શાળાને ખબર પડી કે તે એક ટ્રાન્સજેન્ડર મહિલા છે, ત્યારે તેઓએ તેને નોકરી પર રાખવાનો ઇનકાર કર્યો જ નહીં પરંતુ તેને શાળામાં દાખલ થવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

જેને બતાવ્યું હતું કે, જો તેને નોકરી છોડવાની ફરજ પાડવામાં ન આવી હોત, તો તે લાખો રૂપિયા કમાઈ શકી હોત. આ વળતર તેને જીવનનિર્વાહ ચલાવવા માટે પૂરતું નથી. જો શાળા કે સરકારને પાઠ ભણાવવા માંગતા હોતે તો વળતર વધારે આપવાનું કહેવું હતું.

Transgender Teacher
en.themooknayak.com

જેન સમજાવે છે કે, તેણે 2018માં તેના પરિવાર સમક્ષ પોતાનું સત્ય જાહેર કર્યું. ત્યારે તેના માતાપિતા અને બે નાના ભાઈ-બહેનોએ તેને સંપૂર્ણ ટેકો આપ્યો. તેઓએ તેના ટ્રાન્સજેન્ડર ટ્રાન્સફર અને લિંગ સર્જરીમાં પણ સાથ આપ્યો હતો, અને તે બાબતે સંપૂર્ણ ટેકો આપ્યો. 2022માં સ્નાતક થયા પછી, તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, ત્રણ કે ચાર શાળાઓએ તેને નકારી કાઢી. ઘણી શાળાઓએ તેને ફક્ત ત્યારે જ નોકરી પર રાખવાની ઓફર કરી જો તે તેની ઓળખ છુપાવી રાખે.

જેનના મતે, તે પરિવારનો ખર્ચ ઉઠાવવા માટે મદદ કરી શકે તેમ ન હતી. આનાથી ઘરનું વાતાવરણ વધુ ખરાબ થયું. ત્યાર પછી તેને ઘર છોડવું પડ્યું. આ દરમિયાન, તેને રસ્તા પર રહેવા, ભીખ માંગવા અને સેક્સ વર્કર તરીકે પણ કામ કરવાની ફરજ પડી. તમામ સંઘર્ષો વચ્ચે, તે હાલમાં હૈદરાબાદની એક શાળામાં તેની લિંગ ઓળખ છુપાવીને કામ કરી રહી છે, કારણ કે તે શાળાની આ જ શરત હતી.

Transgender Teacher
theprint.in

તે કહે છે કે તે દિલ્હી-NCRમાં કામ કરવા માંગતી હતી, પરંતુ તેને નોકરી મળી નહીં. જેન માને છે કે, ટ્રાન્સજેન્ડર સમુદાય સામેની વાસ્તવિક સમસ્યા રાજકીય અને વહીવટી ઉદાસીનતા છે. તે કહે છે કે, જ્યાં સુધી નેતાઓ અને અધિકારીઓ સમુદાય સાથે સીધા જોડાઈને કામ કરશે નહીં, ત્યાં સુધી કંઈ બદલાશે નહીં.

About The Author

Related Posts

Top News

રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

જાન્યુઆરી 2026માં, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)નો કેમ્પ પ્રજાસત્તાક દિવસથી રાજધાની દિલ્હીમાં શરૂ થયો. આ કેમ્પ દર...
National 
રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.