અહીં જપ્ત થઈ 10 કરોડ કિંમતની વ્હેલની ઉલ્ટી, જાણો આખરે શા માટે હોય છે આટલી મોંઘી

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UPSRF)એ લખનૌમાં 4 લોકોની ધરપકડ કરી છે. તેમના પર વ્હેલની ઊલ્ટી (એમ્બરગ્રીસ)ની તસ્કરીનો આરોપ છે. UPSRFએ છાપેમારી કરીને તેમની પાસેથી 4.12 કિલોગ્રામ વ્હેલની ઊલટી જપ્ત કારીઓ છે, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. તેનો ઉપયોગ ફરફ્યૂમ બનાવવા માટે થાય છે. વન્યજીવ સંરક્ષણ કાયદા, 1972 હેઠળ વ્હેલની ઊલટી વેચવાનું પ્રતિબંધિત છે. વ્હેલની ઊલટી એટલે કે એમ્બરગ્રીસ વ્હેલના પાચન તંત્રમાં ઉત્પન્ન થાય છે.

તે વ્હેલના આંતરડામાં બનેલો મોમ જેવો ઠોસ અને જ્વલનશીલ પદાર્થ છે. તેનો ઉપયોગ કોસ્મેટિક અને દવાઓમાં કરવામાં આવે છે. રોચક વાત એ પણ છે કે સ્પર્મ વ્હેલ માત્ર 1 ટકા જ એમ્બરગ્રીસનું ઉત્પાદન કરે છે. રાસાયણિક રૂપે એમ્બરગ્રીસમાં કોલેસ્ટ્રોલ જેવો અલ્કલોઇડ, એસિડ અને એમ્બરગ્રીસ નામના એક વિશિષ્ટ યૌગિક હોય છે. તેની કિંમતના કારણે તેને તરતુ સોનું પણ કહેવામાં આવે છે. વ્હેલના પેટમાંથી નીકળનારી એમ્બરગ્રીસની ગંધ શરૂઆતમાં કોઈ અપશિષ્ટ પદાર્થની જેમ હોય છે, પરંતુ થોડા વર્ષ બાદ ખૂબ જ મીઠી સુગંધ આપે છે.

તેને એમ્બરગ્રીસ એટલે કહેવામાં આવે છે કેમ કે તે બાલ્ટિકમાં સમુદ્ર તટ પર મળતા ધૂંધળા એમ્બર જેવો દેખાય છે. આ અત્તરના ઉત્પાદનમાં પ્રયોગ કરવામાં આવે છે અને આ કારણે ખૂબ કિંમત હોય છે. તેના કારણે અત્તરની સુગંધ ઘણા સમય સુધી બનેલી રહે છે. આ કારણે વૈજ્ઞાનિક એમ્બરગ્રીસને તરતુ સોનું પણ કહેવામાં આવે છે. તેનું વજન 15 ગ્રામથી 50 કિલો થઈ શકે છે. સામાન્ય રીતે વહેલ સમુદ્રના તટોથી ખૂબ દૂર જ રહે છે, એવામાં શરીરમાંથી નીકળેલા આ પદાર્થને સમુદ્ર કિનારા સુધી આવવામાં ઘણા વર્ષ લાગી જાય છે. સૂરજની રોશની અને નમકીન પાણીના સંપર્કના કારણે આ અપશિષ્ટ પથ્થર જેવી ચીકણી, ભૂરી ગાંઠમાં બદલાઈ જાય છે જે મીણ જેવું દેખાય છે.

દુબબઇ જેવી જગ્યાઓ પર જ્યાં પરફ્યૂમનો મોટો બજાર છે, ત્યાં તેની માગણી વધારે છે. જૂના સમયમાં મિસ્ત્રના લોકો સુગંધિત ધૂપ બનાવવામાં તેનો ઉપયોગ કરતા હતા. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેના વેપાર અને રાખવા પર રોક લાગેલી છે. તો કેટલાક દેશોમાં તેની સાથે વેપાર કરી શકાય છે. યૂરોપમાં બ્લેક એજ દરમિયાન લોકોનું માનવું હતું કે, એમ્બરગ્રીસનો એક ટુકડો સાથે લઈ જવાથી તેને પ્લેગ રોકવામાં મદદ મળી શકે છે. એવું એટલે હતું કેમ કે સુગંધ હવાની ગંધને ઢાંકી લેતી હતી, જેને પ્લેગનું કારણ માનવામાં આવતું હતું.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.