ચીફ જસ્ટિસે જે કહ્યું તે વાંચીને તમને આપણા જજોની હાલત વિશે દયા આવશે

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ અને જજોની રજાઓને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં મીડિયાના એક કોન્ક્લેવમાં જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચુડને જજોની રજાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે વિગતવાર જવાબ આપ્યો. અન્ય દેશોના ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા.

CJI ચંદ્રચુડે કહ્યું કે, લોકો અમને કોર્ટમાં સવારે 10.30 થી બપોરના 4 વાગ્યા સુધી જ બેઠેલા જુએ છે. તેઓ દરરોજ 40 થી 60 કેસ સાંભળે છે. કોર્ટના સમય એટલે કે 10.30 થી 4 દરમિયાન અમે જે કામ કરીએ છીએ તે અમારા કામનો એક નાનો ભાગ છે.

CJI DY ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, અમારે કેસની તૈયારી માટે લગભગ એટલો જ સમય ફાળવવો પડે છે, જે બીજા દિવસે સાંભળવાની હોય છે. તમામ કેસોમાં જજમેન્ટ અનામત રાખવામાં આવે છે, એવા કેસમાં જજ શનિવારે પોતાનો ચુકાદો લખે છે. પછી રવિવારે અમે સોમવારના કેસો વાંચીએ છીએ અને તેની તૈયારી કરીએ છીએ. આમ સુપ્રીમ કોર્ટના દરેક જજ અઠવાડિયામાં 7 દિવસ કામ કરે છે.

એક ડેટા શેર કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટ મહિનામાં 8 થી 9 દિવસ અને વર્ષમાં લગભગ 80 દિવસ બેસે છે. ઑસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટ મહિનામાં માત્ર 2 અઠવાડિયા અને વર્ષમાં લગભગ 100 દિવસ માટે બેસે છે. સિંગાપોરની કોર્ટ વર્ષમાં 145 દિવસ ચાલે છે. બ્રિટન લગભગ આપણા જેટલું જ કામ કરે છે. ભારતની સર્વોચ્ચ અદાલત વર્ષમાં લગભગ 200 દિવસ બેસે છે.

જસ્ટિસ ચંદ્રચૂડ કહે છે કે, ઘણા લોકો એ નથી સમજી શકતા કે વેકેશન દરમિયાન પણ અમારો મોટાભાગનો સમય અનામત રાખવામાં આવેલા કેસોના નિર્ણયો તૈયાર કરવામાં પસાર થાય છે. કારણ કે કામકાજના દિવસોમાં અમારી પાસે સમય જ નથી, અમે સાતેય દિવસ કામ કરીએ છીએ.

તેનું ઉદાહરણ આપતા CJIએ કહ્યું કે, ગત શિયાળાના વેકેશન દરમિયાન હું મારા જ્યુડિશિયલ ક્લાર્ક સાથે ચુકાદાઓ પર કામ કરી રહ્યો હતો. જે મારે પહોંચાડવાનું હતું. આપણે સમજવું પડશે કે, ન્યાયાધીશનું કામ માત્ર કેસોનો નિકાલ કરવાનું નથી. કેસના દરેક પાસાઓ વિશે વિચારવું પડે છે, કાયદો વાંચવો પડે છે. જો તમે ન્યાયાધીશોને વિચારવાની અને સમજવાની તક ન આપો, તો તમે ગુણવત્તાયુક્ત ચુકાદાની અપેક્ષા રાખી શકતા નથી.

અહીં તમને જણાવી દઈએ કે, મીડિયા દ્વારા આયોજિત કોન્ક્લેવમાં જ કાયદા મંત્રી કિરેન રિજિજુએ સુપ્રીમ કોર્ટમાં જજોની રજાઓને યોગ્ય ઠેરવી હતી. રિજિજુએ કહ્યું હતું કે, SC ન્યાયાધીશો પર કામનું ભારે દબાણ છે. આવી સ્થિતિમાં રજાઓ જરૂરી છે.

ભારતની સર્વોચ્ચ અદાલત વર્ષમાં લગભગ 193 દિવસ કામ કરે છે. તેવી જ રીતે હાઈકોર્ટ લગભગ 210 દિવસ કામ કરે છે. ટ્રાયલ કોર્ટ 245 દિવસ કામ કરે છે. અહીં તમને જણાવી દઈએ કે, સેવા નિયમો અનુસાર હાઈકોર્ટ પોતાનું કેલેન્ડર સેટ કરી શકે છે. આનો અર્થ એ છે કે સમયગાળો આગળ-પાછળ જઈ શકે છે.

સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો વર્ષમાં લગભગ ત્રણ વખત રજાઓ પડે છે. વાર્ષિક ઉનાળુ વેકેશન, જે લગભગ 7 અઠવાડિયાનું હોય છે. તે મેના અંતથી શરૂ થાય છે અને પછી જુલાઈમાં કોર્ટ ફરીથી ખુલે છે. આ પછી દશેરા અને દિવાળી દરમિયાન લગભગ એક અઠવાડિયાની રજા હોય છે. તેવી જ રીતે ડિસેમ્બરના અંતમાં બે સપ્તાહની રજા હોય છે.

એવું નથી કે, વેકેશન દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કામકાજ પૂર્ણ રીતે ઠપ થઈ જાય છે. ન્યાયાધીશો તાત્કાલિક કેસોની સુનાવણી માટે ઉપલબ્ધ હોય છે. બે કે ત્રણ ન્યાયાધીશોની બેંચને 'વેકેશન બેન્ચ' કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2017માં ઉનાળાના વેકેશન દરમિયાન, તત્કાલિન CJIની આગેવાની હેઠળની બેન્ચે 6 દિવસ સુધી ટ્રિપલ તલાક સંબંધિત કેસની સુનાવણી કરી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.