નાણામંત્રી સામે GST પર સવાલ ઉઠાવ્યો તો વેપારીને માફી માગવી પડી, વીડિયો જુઓ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે શ્રી અન્નપૂર્ણા હૉટલ શ્રંખલાના માલિક ડી. શ્રીનિવાસનની વાતચીતનો વીડિયો શુક્રવારે વાયરલ થઇ ગયો હતો, જના પર પર રાજકારણ ગરમાઇ ગયું છે. વીડિયો વાયરલ થયા બાદ થોડી જ મિનિટો બાદ DMK, કોંગ્રેસે હૉટલ વ્યવસાયીને કથિત રૂપે નાણાં મંત્રી પાસે માગવા માટે મજબૂર કરવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની નિંદા કરી હતી. જો કે, આ મામલાએ વેગ પકડતા જ તામિલનાડુ ભાજપના પ્રમુખ કે. અન્નામલાઇએ હૉટલ વ્યવસાયી પાસે માફી માગી લીધી.

GST બેઠક દરમિયાન હૉટલ વ્યવસાયી શ્રીનિવાસને કહ્યું હતું કે, મીઠાઇ પર 5 ટકા GST છે, નમકીન પર 12 ટકા અને ક્રીમ પર 18 ટકા, પરંતુ સાદા બન પર કોઇ GST નથી. તેના પર ગ્રાહક મજાક કરતા કહે છે, બસ મને બન આપી દો, ક્રીમ હું પોતે નાખી દઇશ. તેમના એમ કહ્યા બાદ ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા. જો કે, જે વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે તેમાં હૉટલ વ્યવસાયી નાણા મંત્રીને કહે છે કે તેઓ કોઇ પાર્ટી સાથે જોડાયેલા નથી. તેમને માફ કરી દેવામાં આવે.

તેને લઇને તામિલનાડુના ભાજપ પ્રમુખે કહ્યું કે, તેઓ પોતાના પદાધિકારીઓ દ્વારા કરાયેલા આ કૃત્ય માટે માફી માગે છે, જેમણે એક સન્માનિત વ્યવસાયી અને માનનીય નાણાં મંત્રી વચ્ચેની એક અંગત વાતચીતનો વીડિયો શેર કરી દીધો. શ્રીનિવાસન તામિલનાડુના વ્યવસાયીઓની તાકત છે અને તેમણે રાજ્ય અને દેશ બંનેની આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ બધાને અનુરોધ કરે છે કે આ મામલાને સસન્માન સાથે શાંતિથી સમાપ્ત કરી દે.

બીજી તરફ લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના પર સખત આપત્તિ દર્શાવતા X (અગાઉ ટ્વીટર) લખ્યું કે, કોયમ્બતુરમાં અન્નપૂર્ણ રેસ્ટોરાં જેવા નાના વ્યવસાયના માલિકે સરળ GST વ્યવસ્થાની માગ કરી, પરંતુ તેમના અનુરોધને અહંકાર અને ઘોર અનાદર સાથે લેવામાં આવ્યો હતો.

Related Posts

Top News

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
Gujarat 
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Business 
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

કામદેવ કોના પુત્ર હતા?  જાણીએ કામદેવ વિશે...

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર કામદેવ પ્રેમ, ઇચ્છા અને આકર્ષણના દેવતા છે. તેમના માતાપિતા વિશે વિવિધ ગ્રંથોમાં અલગઅલગ માન્યતાઓ છે....
Astro and Religion 
કામદેવ કોના પુત્ર હતા?  જાણીએ કામદેવ વિશે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.