નાણામંત્રી સામે GST પર સવાલ ઉઠાવ્યો તો વેપારીને માફી માગવી પડી, વીડિયો જુઓ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે શ્રી અન્નપૂર્ણા હૉટલ શ્રંખલાના માલિક ડી. શ્રીનિવાસનની વાતચીતનો વીડિયો શુક્રવારે વાયરલ થઇ ગયો હતો, જના પર પર રાજકારણ ગરમાઇ ગયું છે. વીડિયો વાયરલ થયા બાદ થોડી જ મિનિટો બાદ DMK, કોંગ્રેસે હૉટલ વ્યવસાયીને કથિત રૂપે નાણાં મંત્રી પાસે માગવા માટે મજબૂર કરવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની નિંદા કરી હતી. જો કે, આ મામલાએ વેગ પકડતા જ તામિલનાડુ ભાજપના પ્રમુખ કે. અન્નામલાઇએ હૉટલ વ્યવસાયી પાસે માફી માગી લીધી.

GST બેઠક દરમિયાન હૉટલ વ્યવસાયી શ્રીનિવાસને કહ્યું હતું કે, મીઠાઇ પર 5 ટકા GST છે, નમકીન પર 12 ટકા અને ક્રીમ પર 18 ટકા, પરંતુ સાદા બન પર કોઇ GST નથી. તેના પર ગ્રાહક મજાક કરતા કહે છે, બસ મને બન આપી દો, ક્રીમ હું પોતે નાખી દઇશ. તેમના એમ કહ્યા બાદ ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા. જો કે, જે વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે તેમાં હૉટલ વ્યવસાયી નાણા મંત્રીને કહે છે કે તેઓ કોઇ પાર્ટી સાથે જોડાયેલા નથી. તેમને માફ કરી દેવામાં આવે.

તેને લઇને તામિલનાડુના ભાજપ પ્રમુખે કહ્યું કે, તેઓ પોતાના પદાધિકારીઓ દ્વારા કરાયેલા આ કૃત્ય માટે માફી માગે છે, જેમણે એક સન્માનિત વ્યવસાયી અને માનનીય નાણાં મંત્રી વચ્ચેની એક અંગત વાતચીતનો વીડિયો શેર કરી દીધો. શ્રીનિવાસન તામિલનાડુના વ્યવસાયીઓની તાકત છે અને તેમણે રાજ્ય અને દેશ બંનેની આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ બધાને અનુરોધ કરે છે કે આ મામલાને સસન્માન સાથે શાંતિથી સમાપ્ત કરી દે.

બીજી તરફ લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના પર સખત આપત્તિ દર્શાવતા X (અગાઉ ટ્વીટર) લખ્યું કે, કોયમ્બતુરમાં અન્નપૂર્ણ રેસ્ટોરાં જેવા નાના વ્યવસાયના માલિકે સરળ GST વ્યવસ્થાની માગ કરી, પરંતુ તેમના અનુરોધને અહંકાર અને ઘોર અનાદર સાથે લેવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.