નાણામંત્રી સામે GST પર સવાલ ઉઠાવ્યો તો વેપારીને માફી માગવી પડી, વીડિયો જુઓ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે શ્રી અન્નપૂર્ણા હૉટલ શ્રંખલાના માલિક ડી. શ્રીનિવાસનની વાતચીતનો વીડિયો શુક્રવારે વાયરલ થઇ ગયો હતો, જના પર પર રાજકારણ ગરમાઇ ગયું છે. વીડિયો વાયરલ થયા બાદ થોડી જ મિનિટો બાદ DMK, કોંગ્રેસે હૉટલ વ્યવસાયીને કથિત રૂપે નાણાં મંત્રી પાસે માગવા માટે મજબૂર કરવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની નિંદા કરી હતી. જો કે, આ મામલાએ વેગ પકડતા જ તામિલનાડુ ભાજપના પ્રમુખ કે. અન્નામલાઇએ હૉટલ વ્યવસાયી પાસે માફી માગી લીધી.

GST બેઠક દરમિયાન હૉટલ વ્યવસાયી શ્રીનિવાસને કહ્યું હતું કે, મીઠાઇ પર 5 ટકા GST છે, નમકીન પર 12 ટકા અને ક્રીમ પર 18 ટકા, પરંતુ સાદા બન પર કોઇ GST નથી. તેના પર ગ્રાહક મજાક કરતા કહે છે, બસ મને બન આપી દો, ક્રીમ હું પોતે નાખી દઇશ. તેમના એમ કહ્યા બાદ ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા. જો કે, જે વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે તેમાં હૉટલ વ્યવસાયી નાણા મંત્રીને કહે છે કે તેઓ કોઇ પાર્ટી સાથે જોડાયેલા નથી. તેમને માફ કરી દેવામાં આવે.

તેને લઇને તામિલનાડુના ભાજપ પ્રમુખે કહ્યું કે, તેઓ પોતાના પદાધિકારીઓ દ્વારા કરાયેલા આ કૃત્ય માટે માફી માગે છે, જેમણે એક સન્માનિત વ્યવસાયી અને માનનીય નાણાં મંત્રી વચ્ચેની એક અંગત વાતચીતનો વીડિયો શેર કરી દીધો. શ્રીનિવાસન તામિલનાડુના વ્યવસાયીઓની તાકત છે અને તેમણે રાજ્ય અને દેશ બંનેની આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ બધાને અનુરોધ કરે છે કે આ મામલાને સસન્માન સાથે શાંતિથી સમાપ્ત કરી દે.

બીજી તરફ લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના પર સખત આપત્તિ દર્શાવતા X (અગાઉ ટ્વીટર) લખ્યું કે, કોયમ્બતુરમાં અન્નપૂર્ણ રેસ્ટોરાં જેવા નાના વ્યવસાયના માલિકે સરળ GST વ્યવસ્થાની માગ કરી, પરંતુ તેમના અનુરોધને અહંકાર અને ઘોર અનાદર સાથે લેવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.