રાહુલ ગાંધી અંગે એવું બોલ્યા કે દિગ્વિજય સિંહના ભાઈને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા

કોંગ્રેસે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કેસમાં છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ટિપ્પણી કર્યા પછી લક્ષ્મણ સિંહ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ સતત પક્ષ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. આ પછી, થોડા દિવસો પહેલા, શિસ્ત સમિતિએ આ કાર્યવાહીની ભલામણ કરી હતી. તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

Lakshman-Singh
tv9hindi.com

પાર્ટીની શિસ્ત કાર્યવાહી સમિતિના સભ્ય સચિવ તારિક અનવરે બુધવારે બહાર પાડેલી એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી હતી. પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, 'કોંગ્રેસ પ્રમુખ (મલ્લિકાર્જુન ખડગે)એ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહને તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે તાત્કાલિક અસરથી છ વર્ષ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા છે.'

Lakshman-Singh1
mpbreakingnews.in

લક્ષ્મણ સિંહે તાજેતરના સમયમાં ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ટીકાત્મક ટિપ્પણીઓ કરી હતી. થોડા અઠવાડિયા પહેલા જ સિંહે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને 'અણસમજુ' ગણાવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, દેશ તેમની અપરિપક્વતાના પરિણામો ભોગવી રહ્યો છે.

Lakshman-Singh3
inhnews.in

22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, કોંગ્રેસના નેતાએ રોબર્ટ વાડ્રાની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. વાડ્રાએ કહ્યું હતું કે, આતંકવાદીઓએ PM નરેન્દ્ર મોદીને સંદેશ મોકલ્યો હતો કે, 'મુસ્લિમો ભારતમાં પોતાને કમજોર અનુભવી રહ્યા છે.' આ અંગે લક્ષ્મણ સિંહે કહ્યું હતું કે, ઉદ્યોગપતિનું નિવેદન 'દેશની સુરક્ષા માટે ખતરો છે.' તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા આતંકવાદીઓ સાથે 'મેળાપીપણું' હોઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે, 'રોબર્ટ વાડ્રાનું નિવેદન કે આતંકવાદીઓએ મુસ્લિમોને રસ્તા પર નમાજ પઢવા ન દેવાને કારણે હુમલો કર્યો, તે માત્ર બેજવાબદાર જ નથી પણ દેશની સુરક્ષા માટે પણ ખતરો છે. હું આ બધું કેમેરા સામે કહી રહ્યો છું, જેથી કોઈ મૂંઝવણમાં ન રહે. કોંગ્રેસે બોલતા પહેલા 10 વાર વિચારવું જોઈએ, નહીં તો જનતા ચૂંટણીમાં તેનો જવાબ આપશે.'

Related Posts

Top News

‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના...
National 
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
Business 
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
World 
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા,  CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.