પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની તો ગાડી ચાલુ જ ન થઈ. તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ લોકોએ જે પેટ્રોલ ટાંકીમાંથી ડીઝલ ભરાવ્યું હતું, જેમાં તેલને બદલે પાણી આવી રહ્યું હતું. ત્યાર પછી લોકોએ પંપ માલિકને ફરિયાદ કરી.

જ્યારે મામલો વહીવટીતંત્ર સુધી પહોંચ્યો, ત્યારે તપાસ હાથ ધરવામાં આવી. વરસાદને કારણે પેટ્રોલ પંપના ઓઇલ ટેન્કરમાં પાણી ભરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું. ત્યાર પછી, વાહનોમાં એ જ તેલ/ડીઝલ ભરવામાં આવ્યું, જેના કારણે વાહનો થોડે દૂર ગયા પછી જ્યાં ત્યાં અટકી જવા લાગ્યા.

Water Diesel Scam
uptak.in

હકીકતમાં, મહારાજગંજ જિલ્લાના નિચલૌલ રોડ પર સ્થિત વિજય ફિલિંગ સ્ટેશને અચાનક ડીઝલને બદલે પાણી નીકળવાનું શરૂ થયું હતું, જેના કારણે ઘણા વાહનો બગડી ગયા અને વિવિધ સ્થળોએ અટકી જવા લાગ્યા. ડીઝલ ભર્યા પછી વાહન અચાનક બંધ થઈ જવાથી ગ્રાહકો હેરાન થઈ ગયા અને પંપ માલિકને આ અંગે ફરિયાદ કરી.

જેના પર પંપ ઓપરેટરે લોકોના વાહનોમાંથી પાણી કાઢવા માટે મિકેનિકને બોલાવ્યો પરંતુ એક વાહન માલિકે સ્થાનિક મિકેનિક દ્વારા પાણી કાઢવાનો ઇનકાર કર્યો. તેણે કહ્યું કે અમે અમારા વાહનની તપાસ ફક્ત અધિકૃત એજન્સીના વર્કશોપમાં જ કરાવીશું, ત્યારપછી મામલો વધુ બગડ્યો અને મુદ્દો પુરવઠા વિભાગ સુધી પહોંચ્યો. વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે વરસાદી પાણી પંપના ઓઇલ ટેન્કરમાં ઘૂસી ગયું હતું અને જ્યારે તે વાહનોમાં ઠાલવવામાં આવ્યું ત્યારે વાહનો બંધ થવા લાગ્યા હતા.

Water Diesel Scam
aajtak.in

ગ્રાહક વિવેક મિશ્રાએ જણાવ્યું કે, જ્યારે અમે ડીઝલ ભરવા માટે પંપ પર આવ્યા ત્યારે તેમણે ડીઝલને બદલે પાણી ભરી આપ્યું, જેના કારણે થોડે દૂર ગયા પછી મારું વાહન અચાનક બંધ થઈ ગયું. આ અંગે ફરિયાદ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગ્રાહકે પોતાના વાહનના મીટર બોક્સથી ચેક કરતા તેમાં પાણી હોવાના સંકેત મળતાં જ મૂંઝાયેલા ગ્રાહકને શંકા ગઈ કે ડીઝલની જગ્યાએ કંઈક બીજું જ ભરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન, પંપ મેનેજર અંકિતે કહ્યું કે, એક ટેન્કર હમણાં જ ખાલી કરવામાં આવ્યું છે, વરસાદ પડ્યો હતો તેથી શક્ય છે કે તેમાંથી પાણી આવ્યું હોય. ફરિયાદ મળ્યા પછી, અમે એક મિકેનિકને બોલાવ્યો અને વાહનોનું ચેકીંગ કરાવ્યું. આ ઘટનાએ જિલ્લા વહીવટીતંત્ર અને તેલ કંપનીઓની દેખરેખ પ્રણાલી પર પ્રશ્નો ઉભા કર્યા છે. જો ઇંધણની ગુણવત્તા નિયમિતપણે તપાસવામાં ન આવે તો, આવા અકસ્માતો મોટા નુકસાનનું કારણ બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે પુરવઠા વિભાગની તપાસમાં આ બેદરકારી માટે કોને જવાબદાર ઠેરવવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, શું પેટ્રોલ પંપ બેદરકારીના કેન્દ્રો બની રહ્યા છે? શું સામાન્ય લોકોના વાહનો અને જીવન સાથે રમત રમનારાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે? આ કેસ માત્ર ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન નથી પણ વહીવટીતંત્ર માટે ઊંઘ હરામ કરી દે તેવી ચેતવણી પણ છે. જાહેર હિતમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોનું પુનરાવર્તન ન થાય.

Related Posts

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.