જ્યારે આ દેશનો યુવા ઉપનિષદ અને વેદને વિજ્ઞાન સાથે આગળ વધારશે, ત્યારે દેશ નિશ્ચિતપણે આગળ વધશે

(ઉત્કર્ષ પટેલ)

ભારતના યુવાનો માટે પ્રેરણારૂપ વિચાર રૂપ ગૃહમંત્રી અમિત શાહનું આ નિવેદન દીવાદાંડી જેવું છે. આ વાક્યમાં ભારતની આત્મા અને આધુનિકતાનું અદ્ભુત સંગમ છે.

આપણા પ્રાચીન ગ્રંથો, વેદ અને ઉપનિષદ માત્ર ધાર્મિક પુસ્તકો નથી પરંતુ જ્ઞાનની ખાણ છે. તેમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, માનવમનની ઊંડાઈ, ચેતનાનું રહસ્ય અને જીવનના મૂળ સિદ્ધાંતોનું વર્ણન છે. આ જ્ઞાન સાથે જો આજનું વિજ્ઞાન જોડાય તો શું અજાયબી ન થાય? ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો અને ઉપનિષદોના ‘અદ્વૈત’ વચ્ચેની સમાનતા, યોગ અને ન્યુરોસાયન્સનું મિલન, આયુર્વેદ અને જનીન એન્જિનિયરિંગનું સંયોજન આ બધું ભારતીય યુવાનોના હાથમાં છે.

02

આજનો યુવા ભારત ફક્ત એપ બનાવનાર, કોડ લખનાર કે સ્ટાર્ટઅપ કરનાર નથી રહ્યો. તે હવે વિચારક, સંશોધક અને સંસ્કૃતિનો વાહક પણ બની રહ્યો છે. જ્યારે તે વેદોના ‘ઋત’ (કોસ્મિક ઓર્ડર)ને ડેટા સાયન્સની ભાષામાં સમજશે, ઉપનિષદોના ‘આત્મા’ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં શોધશે ત્યારે ભારત ફક્ત ટેક્નોલોજીમાં જ નહીં પરંતુ જ્ઞાનની દુનિયામાં પણ વિશ્વગુરુ બનશે.

આજે જરૂર છે એવા સમયની જ્યાં યુવા પોતાની વારસાને ભૂલ્યા વિના, ભવિષ્યની ઊંચાઈઓ સર કરે. વેદઉપનિષદને પુરાતન ગ્રંથોની ધૂળમાં નહીં પરંતુ લેબોરેટરીઓ, એઆઈ મોડલ્સ અને સ્પેસ મિશનમાં જીવંત કરે. આ સંયોજનથી જ ભારત એક એવી શક્તિ બનશે જે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસાથે ઉચ્ચ શિખરે લઈ જશે.

આજે દેશના યુવાનોના હાથમાં માત્ર કોડ કે ડિગ્રી નથી પરંતુ હજારો વર્ષનું જ્ઞાન અને આગામી સદીઓનું ભવિષ્ય છે. વેદ અને વિજ્ઞાનને હાથમાં હાથ મિલાવી ભારતને ફરી એકવાર વિશ્વનું માનવજ્ઞાનનું કેન્દ્ર બનાવાનું આજના યુવાનોના હાથમાં છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.