જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

દેશભરમાં મુઘલ શબ્દ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. NCERT પુસ્તકોમાંથી મુઘલોને લગભગ ભૂંસી નાખવાની ચર્ચા વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે આજે તેના બજેટ સત્ર દરમિયાન આગ્રામાં મહારાજ શિવાજીના નામે એક ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ નવું સ્મારક આગ્રામાં તે જ જગ્યાએ બનાવવામાં આવશે જ્યાં ઔરંગઝેબે મહારાજા છત્રપતિ શિવાજીને કેદ કર્યા હતા. હવે મહારાષ્ટ્રના DyCM અજિત પવારે જાહેરાત કરી છે કે ત્યાં તાજમહેલ કરતાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.

Agra Fort
tv9hindi.com

આ અગાઉ, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બનાવશે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ કહ્યું હતું કે, UPના CM યોગી આદિત્યનાથ સાથે આ સંદર્ભમાં વાત કરવામાં આવશે અને રાજ્ય સરકાર મીના બજાર નામના સ્થળે સ્મારક બનાવવા માટે જમીન સંપાદન કરશે. CM ફડણવીસે કહ્યું હતું કે, 'આગ્રા કોઠી (જે મીના બજાર તરીકે ઓળખાય છે) ખાતે એક ભવ્ય સ્મારક બનાવવામાં આવશે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજને કેદમાં રાખવામાં આવ્યા હતા. આ માટે મહારાષ્ટ્ર સરકાર જમીન સંપાદન કરશે. ત્યાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. આ માટે હું CM યોગી આદિત્યનાથ સાથે વાત કરીશ.'

Agra Fort
navbharattimes.indiatimes.com

અહીં તમને જણાવી દઈએ કે, ગયા મહિને CM ફડણવીસ અને DyCM એકનાથ શિંદે અને DyCM અજિત પવારની જોડીએ મહારાષ્ટ્રના જુન્નરમાં શિવનેરી કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી. તે જ સમયે, જનતાને સંબોધિત કરતી વખતે, CM ફડણવીસે મહારાષ્ટ્રના કિલ્લાઓ પરથી અતિક્રમણ દૂર કરવા અને તેમને યોગ્ય રીતે વિકસાવવાનું વચન આપ્યું હતું.

Agra Fort
etvbharat.com

આ જ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન, મરાઠા નેતા અને DyCM એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર સરકારે યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ માટે 12 કિલ્લાઓના નામ મોકલ્યા છે, અને શિવનેરી તેમાંથી એક છે. શિવાજી મહારાજના કિલ્લાની માટીનું તિલક લગાવીને, અમે અમારા છેલ્લા શ્વાસ અને લોહીના છેલ્લા ટીપા સુધી મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ. જ્યારે પણ અમે અહીં આવીએ છીએ, ત્યારે અમને પ્રેરણા મળે છે અને એક અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે.'

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.