કેરળમાં મુખ્યમંત્રી કોણ? રાહુલ ગાંધી પોતે કેમ નક્કી નથી કરી શકતા?

કેરળમાં ચૂંટણી પરિણામો આવ્યાના લગભગ એક અઠવાડિયા પછી પણ CM કોણ બનશે તે અંગેનો નિર્ણય હજુ સુધી થઇ શક્યો નથી. કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF 140 સભ્યોની વિધાનસભામાં 102 બેઠકો જીતી હતી. તેમાંથી એકલા કોંગ્રેસ પાસે 63 બેઠકો છે, જ્યારે મુસ્લિમ લીગ પાસે 22 બેઠકો છે. કેરળમાં આંતરિક જૂથવાદને કારણે CM પદ માટે 4 નામો ચર્ચામાં છે, પાર્ટીના મહાસચિવ KC વેણુગોપાલ, ભૂતપૂર્વ વિપક્ષી નેતા VD સતીશન, વરિષ્ઠ કોંગ્રેસ નેતા રમેશ ચેન્નીથલા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ K. સુધાકરણ. જ્યારે પાર્ટી નિરીક્ષકો અજય માકન અને મુકુલ વાસનિકે કેરળમાં ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરી, ત્યારે બે નામો અગ્રણી દાવેદાર તરીકે ઉભરી આવ્યા.

Kerala-CM-Selection
desh.thefederal.com

આમાંથી, રાહુલ ગાંધીના નજીકના વિશ્વાસુ KC વેણુગોપાલને લગભગ 70-80 ટકા ધારાસભ્યોનો ટેકો હોવાનું કહેવાય છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, જનતા VD સતીશનના પક્ષમાં છે. વિપક્ષના નેતા તરીકે, તેમણે પાયાના સ્તરે ડાબેરી સરકારનો સામનો કર્યો અને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આ દલીલના આધારે, મુસ્લિમ લીગ, અથવા IUML, જે કેરળ કોંગ્રેસનો સાથી પક્ષ છે, તે પણ સતીશનના પક્ષમાં હોય તેવું લાગે છે.

Kerala-CM-Selection
ndtv.in

પ્રિયંકા ગાંધીએ કેરળમાં વાયનાડ બેઠક જીતી. તે મતવિસ્તારમાં મુસ્લિમ વસ્તી 45 ટકા છે. આ સંજોગોમાં, કોંગ્રેસ મુસ્લિમ લીગને નારાજ કરવા માંગતી નથી. મુસ્લિમ લીગે પહેલાથી જ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, 22 બેઠકો જીતી છે. આ કારણોસર, કેરળમાં CM ચહેરો પસંદ કરવાનો મુદ્દો જટિલ બન્યો છે.

Kerala-CM-Selection
ndtv.in

અહેવાલો સૂચવે છે કે રાહુલ ગાંધી પણ વેણુગોપાલના પક્ષમાં છે. જો કે, સમસ્યા એ છે કે, જો તેમને CM બનાવવામાં આવે છે, તો રાજ્યમાં બે પેટાચૂંટણીઓની જરૂર પડશે. પહેલી લોકસભા બેઠક માટે હશે, કારણ કે વેણુગોપાલ અલાપ્પુઝાના સાંસદ છે. બીજું, કોંગ્રેસે તેના એક ધારાસભ્ય પાસેથી રાજીનામું લેવું પડશે, અને પછી તે બેઠક પરથી વેણુગોપાલની જીત સુનિશ્ચિત કરવી પડશે, કારણ કે તેઓ હાલમાં ધારાસભ્ય નથી.

Kerala-CM-Selection
aajtak.in

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો વેણુગોપાલના નામ પર સંમતિ ન બને તો તેમને પાર્ટીમાં વધુ મહત્વપૂર્ણ કાર્યભાર સોંપવામાં આવી શકે છે. મલ્લિકાર્જુન ખડગેનો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો કાર્યકાળ આવતા વર્ષે સમાપ્ત થઈ રહ્યો છે.

મીડિયા અહેવાલો ફેલાઈ રહ્યા છે કે, સતીશને કોંગ્રેસને સ્પષ્ટ કરી દીધું છે કે, જો તેમને ટોચનું પદ નહીં મળે, તો તેઓ અન્ય કોઈ હોદ્દા પર સરકારમાં જોડાશે નહીં. આનાથી તેમના ઇરાદા સ્પષ્ટ થઈ ગયા છે. કેરળમાં ઘણી જગ્યાએ તેમના સમર્થનમાં પોસ્ટર પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આનાથી ગુસ્સે થયા હતા, અને સતીશને કહેવામાં આવ્યું કે, તેઓ તેમના સમર્થકોને કહીને આવા પોસ્ટર દૂર કરી દે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.