કાજલે પ્રેમી આકાશ સાથે મળીને પતિ અનિલનું કાસળ કાઢી નાખ્યું, પહેલા પકડાઈ ગઈ ત્યારે સાસરિયાઓએ જ...

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે પતિ પત્નીના ભરોસાના સંબંધો પરના વિશ્વાસને ડગમગાવી દીધો છે. અહીં, એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું, જે સાંભળીને દરેક સ્તબ્ધ થઇ ગયા. એક લગ્નેતર સંબંધમાં, પત્નીએ તેના પતિને નશાની ગોળીઓ આપીને બેભાન કરી દીધો, પછી તેનું ગળું દબાવીને તેને નહેરમાં ફેંકી દીધો. પોલીસે આ હત્યાનો પર્દાફાશ કર્યો છે અને આરોપી પત્ની, તેના પ્રેમી અને અન્ય એક માણસની ધરપકડ કરી છે.

આ સનસનાટીભર્યો કિસ્સો મેરઠના રોહતા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રસુલપુર ગામમાં બન્યો છે. આ ગામમાં રહેતા 32 વર્ષીય અનિલે 8 વર્ષ પહેલાં કાજલ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને ત્રણ નાના બાળકો પણ છે. કાજલનું તે જ ગામના એક યુવાન આકાશ સાથે અફેર ચાલુ હતું.

Meeruts Kajal
aajtak.in

આ ઘટના 26 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી, જ્યારે અનિલ અચાનક ગુમ થઈ ગયો હતો. તેના ભાઈએ રોહતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે પોલીસ શોધખોળ કરી રહી હતી. ઘણા દિવસો સુધી અનિલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરિવાર પરેશાન હતો, પરંતુ કોઈને શંકા નહોતી કે તેમના જ પરિવારમાંથી જ કોઈએ કાવતરું રચ્યું છે.

5 નવેમ્બરના રોજ, અનિલના ભાઈએ ફરીથી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી, જેમાં સ્પષ્ટપણે આરોપ લગાવવામાં આવ્યો કે, અનિલની પત્ની કાજલ, તેના પ્રેમી આકાશ અને આકાશના મિત્ર બાદલે અનિલનું અપહરણ કર્યું છે અને તેની હત્યાનું કાવતરું ઘડ્યું છે. ત્યારપછી, પોલીસે કેસ નોંધીને તપાસમાં ઝડપ લાવી હતી.

Meeruts Kajal
aajtak.in

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કાજલ અને ગામના રહેવાસી આકાશ તેમના લગ્નના થોડા વર્ષો પછી વધુને વધુ નજીક આવી ગયા હતા. ગામલોકોને તેમના અફેરની જાણ થઈ. ગ્રામ પંચાયત પણ યોજાઈ હતી, પરંતુ કાજલના સાસરિયાઓએ સામાજિક કલંકના ડરથી મામલો દબાવી દીધો. પંચાયત પછી પણ, કાજલ અને આકાશ ચોરીછુપી રીતે મળતા રહ્યા.

પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેમની પૂછપરછ કરી. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, કાજલ જ સમગ્ર હત્યાની મુખ્ય સૂત્રધાર હતી. તેના પ્રેમી આકાશે તેને નશાની ગોળીઓ આપી હતી. ત્યારપછી કાજલે તેના પતિ અનિલને આ ગોળીઓ ખવડાવી હતી. જ્યારે અનિલ બેભાન થઈ ગયો, ત્યારે કાજલ અને આકાશ, તેમના ત્રીજા સાથી બાદલની મદદથી, તેને બાઇક પર બેસાડીને સિવાલ ખાસ ગંગ નહેરના પુલ પર લઈ ગયા.

નહેર પર પહોંચ્યા પછી, કાજલે તેના પતિનું દુપટ્ટા વડે ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનિલ તરત મૃત્યુ પામ્યો નહીં. ત્યારપછી ત્રણેયે બેભાન અનિલને પુલ પરથી નહેરમાં ફેંકી દીધો અને હત્યામાં વપરાયેલ દુપટ્ટો નજીકની ઝાડીઓમાં છુપાવી દીધો. ત્યારપછી તેઓ ત્રણેય ત્યાંથી ભાગી ગયા.

Meeruts Kajal
uptak.in

પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ કરી, ત્યારે તેઓએ ગુનો કબૂલ્યો. આરોપીના નિર્દેશ પર, હત્યામાં વપરાયેલ દુપટ્ટો ઝાડીઓમાંથી મળી આવ્યો. કાજલના ઘરેથી એ ગોળીઓની પત્તીઓ પણ મળી આવી.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે, કાજલ અને આકાશે સાથે મળીને આ આખું કાવતરું ઘડ્યું હતું, અને આકાશે તેના મિત્ર બાદલને કાવતરામાં સામેલ કર્યો હતો. અનિલના પરિવારે શરૂઆતમાં તેના ગુમ થવાની જાણ કરી હતી, પરંતુ થોડા દિવસોમાં, તેમને ખ્યાલ આવ્યો કે તેની હત્યા કરવામાં આવી છે. ત્યારપછી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી અને કેસ દાખલ કર્યો. અનિલના મૃતદેહની શોધ હાલમાં ચાલી રહી છે. પોલીસ કહે છે કે મૃતદેહને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે.

About The Author

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.