રામ મંદિર પર બોમ્બ ફેંકશે,મુસ્લિમોને દોષી ઠેરવશે;કોંગ્રેસ MLAના નિવેદન પર હોબાળો

કોંગ્રેસના ધારાસભ્ય B. R. પાટીલના એક નિવેદનથી કર્ણાટકમાં ખળભળાટ મચી ગયો છે. BJPની ટીકા કરતા તેમણે કહ્યું કે, આ લોકો રામ મંદિર પર બોમ્બ ફેંકાવી શકે છે અને તેના માટે મુસ્લિમ સમુદાયના લોકોને દોષી ઠેરવી શકે છે. તેના દ્વારા તેઓ હિન્દુ મતોને એક કરીને લોકસભાની ચૂંટણી જીતવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો કર્ણાટક BJPએ તેના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર શેર કર્યો છે. BJPએ આ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે માફી માંગવાની માંગ કરી છે.

એટલું જ નહીં, BJP પાર્ટીએ કહ્યું કે, કોંગ્રેસ રામ મંદિરને નુકસાન પહોંચાડીને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ ઉભો કરવા માંગે છે. ત્યાર પછી સરકાર પર દોષનો ટોપલો ઢોળવાની તૈયારી છે. BJP દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય કન્નડમાં બોલતા સાંભળી શકાય છે. તેઓ કહે છે, 'BJP આગામી લોકસભા ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરવા માટે રામ મંદિર પર બોમ્બ ફેંકાવી શકે છે અને પછી તેનું દોષારોપણ મુસ્લિમો પર કરીને હિંદુઓને એક કરવાનો પ્રયાસ કરશે.' B.R. પાટીલનું આ નિવેદન ક્યારેનું છે તે સ્પષ્ટ નથી. પરંતુ BJPએ ચોક્કસપણે આ મુદ્દે તેના પર હુમલો કર્યો છે અને તેને હિન્દુ આસ્થાનું અપમાન ગણાવ્યું છે.

BJPએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'કોંગ્રેસના નેતાઓ, જેઓ વારંવાર હિંદુઓની આસ્થા પર સવાલ ઉઠાવે છે, હવે તેમની ખરાબ નજર રામ મંદિર પર પણ છે. આ લોકો રામ મંદિરને નુકસાન કરીને હિંદુ-મુસ્લિમ વચ્ચે લડાઈ ઉભી કરવા માંગે છે અને દોષનો ટોપલો સરકાર પર નાખવાની યોજના બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે, પાર્ટીના એક મંત્રી આવી વાત કરી રહ્યા છે.' અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી કર્ણાટક પણ એક મહત્વપૂર્ણ રાજ્ય છે.

અહીં લોકસભાની કુલ 28 બેઠકો છે, જેમાંથી 2019માં BJPએ 25 બેઠકો જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો વિજય થયો હતો. તેથી, તે લોકસભાની ચૂંટણીમાં પણ પોતાના માટે મજબૂત સંભાવનાઓ જોઈ રહી છે. જ્યારે BJPએ જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કર્યું છે અને તેને 4 બેઠકો આપવા માટે પણ સહમતિ દર્શાવી છે. એવું માનવામાં આવે છે કે JDS અને BJP સાથે મળીને વિરોધી પક્ષો માટે એક સખત પડકાર રજૂ કરશે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.