હજારો લોકો ભેગા થતા તંત્રએ ઝૂકવું પડ્યું, આ શરતો સાથે લીલી પરિક્રમા કરાશે

 

લીલી પરિક્રમા માટે હજારો લોકો જૂનાગઢ આવ્યા, લોકો બોલ્યા- નેતાઓને નથી નડતો કોરોના

કોરોનાની મહામારી સતત બીજા વર્ષે ગીરનારની લીલી પરિક્રમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, 400 સાધુ સંતો જ પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા કરીને પરંપરા જાળવશે. તો બીજી તરફ લીલી પરિક્રમાં કરવા માટે મોટી સંખ્યામાં લોકો જૂનાગઢમાં એકઠા થયા છે.

હજારો યાત્રિકો પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચ્યા હતા. પણ તેમને પરિક્રમા કરવા દેવાની મંજૂરી ન મળતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં રહેલા રોષને જોઈને વહીવટી તંત્ર દ્વારા પોલીસને આગળ કરી દેવામાં આવી છે. તેથી પોલીસ દ્વારા પરિક્રમામાં જતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોવાના પણ દૃશ્યો સામે આવે છે.

તંત્રના આ નિર્ણયને લઇને લોકો એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યારે મંત્રીઓની રેલીઓમાં લોકો ભેગા થાય છે ત્યારે કોરોના કોઈને નથી નડતો? ગીરનારની લીલી પરિક્રમાની લોકોને છૂટ ન હોવા છતાં પણ વહેલી સવારથી ગીરનાર તળેટીએ હજારો લોકો એકઠા થયા હતા.

તો પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને રસ્તા પર બેરીકેડ મૂકીને અટકાવામાં આવી રહ્યા છે. તો લોકોમાં રહેલા રોષને પગલે ગીરનાર તળેટી પર સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પણ જ્યારે લોકોમાં રહેલો રોષ ઉગ્ર બન્યો ત્યારે પોલીસ અધિકારી અને વન વિભાગના અધિકારીઓએ યાત્રિકોને સમજાવવામાં માટે તળેટી ખાતે પહોંચવું પડ્યું.

ભવનાથમાં એકઠા થયેલા હજારો લોકોએ એક જ માગણી કરી છે કે, પરિક્રમાના દરવાજા ખોલવામાં આવે. લોકો કહી રહ્યા છે કે, તંત્રને રાજકીય મેળાવળામાં કોરોના નડતો નથી પણ શ્રદ્ધાના કામમાં કોરોના નડે છે? લોકો પોલીસ અધિકારી અને વન વિભાગના અધિકારીઓને એક જ વાત કહી રહ્યા છે કે, જ્યાં સુધી પરિક્રમાના દરવાજા ખોલવામાં નહીં ત્યાં સુધી અમે અહિયાંથી હટીશું નહીં.

મહત્ત્વની વાત છે કે, વહેલી સવારથી જ લોકો પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઈટવા ગેટ પર જમાડવો કરીને બેસી ગયા છે. તો લોકોએ બપોરના સમયે DFOની ગાડી પણ ગેટની બહાર નીકળવા દીધી નહોતી. ત્યારબાદ અધિકારીને બીજા રસ્તા પરથી રવાના થવું પડ્યું હતું. લોકોએ પરિક્રમાના ગેટ પર જ જમાવડો કરતા સાધુ સંતોની પ્રતિકાત્મક પરિક્રમા કરાવવી તે પણ તંત્ર માટે એક પડકાર રૂપ બન્યું છે.

Related Posts

Top News

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.