સૂકી દ્રાક્ષ પલાળીને ખાવાથી થાય છે અઢળક ફાયદા

રેક લોકો દ્રાક્ષ ખાતા હોય છે તે યોગ્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે દ્રાક્ષને રાતના સમયે પલાળીને ખાવાથી ફાયદાકારક છે. જો તમે દરરોજ ફક્ત 10 દ્રાક્ષને રાતના પલાળીને સવારના ખાસો તો ઘણાં પ્રકારના રોગ અને બીમારિઓથી બચી શકશો. સાથે જ જેથી સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. તો આવો જાણીએ દ્રાક્ષથી થતા ફાયદા વિશે.

રાતના પલાળો 10 દ્રાક્ષ

દ્રાક્ષ ખાવાની સૌથી યોગ્ય રીત છે કે તેને રાતના પાણીમાં પલાળી અને સવારે ફૂલી જવા પર ખાઓ અને દ્રાક્ષના પાણીને પી જાઓ. પલાળેલી દ્રાક્ષમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેન્ગેશિયમ અને ફાઇબર ભરપુર હોય છે. તેમાં સામેલ શુગર કુદરતી હોય છે એટલા માટે સામાન્ય રીતે જેથી કોઇ નુકસાન નથી થતું, પરંતુ ડાયાબીટિસના દર્દીએ દ્રાશ ખાવી જોઇએ નહી. દ્રાક્ષ વાસ્તવમાં સૂકાયેલી દ્રાક્ષ હોય છે. દ્રાક્ષ ઘણાં કલરમાં મળતી હોય છે જેમ કે લીલી,કાળી વગેરે. તે સિવાય તમે ઘણી શાકભાજીના સ્વાદ વધારવા માટે પણ દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો.

રોગ થશે દૂર

રાતમાં પલાળેલી દ્રાક્ષ ખાવી અને તેનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. તેમાં સામેલ એન્ટીઓક્સિડેંટ્સના કારણે ઇમ્યૂનિટી સારૂ રહે છે જેથી વાયરસ અને બેક્ટેરિયાથી આપણું શરીર લડવામાં સક્ષમ થાય છે અને આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ નથી કરી શકતાં.

બીપી પણ રહેશે સામાન્ય

રાતના પલાળેલી દ્રાક્ષ આમ તો દરેક માટે ફાયદાકારક છે પરંતુ બીમાર લોકોને પણ લાભ મળે છે. દ્રાક્ષ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં સામેલ પોટેશિયમ તત્વ તમને હાયપરટેન્શનથી બચાવે છે.

શરીરમાં લોહી વધારશે

દ્રાક્ષનું સેવન કરવાથી તમે એનીમિયાથી બચી શકો છો કારણ કે તેમાં આયર્નનો સારો સ્ત્રોત હોય છે. સાથે જ તેમાં વિટામીન બી કોમ્પ્લેક્સ પણ વધું પ્રમાણમાં હોય છે.

દ્રાક્ષ પાંચન ક્રિયા માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે. આ હાડકાંને પણ મજબૂત બનાવે છે. દિવભરમાં 10-12 દ્રાક્ષ ખાવાથી ફાયદો મળે છે. એક વાત હંમેશા ધ્યાન રાખો કે પલાળેલી દ્રાક્ષમાં કેલેરીનું પ્રમાણ ઘણુ વધું હોય છે, એટલા માટે આ વાતનું ધ્યાન રાખો કે તેને વધુ પ્રમાણમાં ન ખાઓ. તેને નિયમિત પોતાના ભોજનમાં લેવાથી ડાઇજેશનમાં રાહત મળે છે.

Related Posts

Top News

ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
National 
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
Sports 
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
Astro and Religion 
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Politics 
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 
Copyright (c) Khabarchhe All Rights Reserved.