મોદી સરકારના બજેટથી કેમ ખુશ છે તાલિબાન?

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં મોદી સરકારના કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં અફઘાનિસ્તાન માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, એ હેઠળ ભારત વિકાસ કર્યો માટે અફઘાનિસ્તાનને 2.5 કરોડ ડૉલરની ધનરાશિ આપશે. ભારત સરકારે સતત બીજા વર્ષે બજેટમાં અફઘાનિસ્તાન માટે આર્થિક મદદ યથાવત રાખી છે. ગયા વર્ષના બજેટમાં પણ અફઘાનિસ્તાન માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

બજેટમાં અફઘાનિસ્તાનને મહત્ત્વ આપવાની જાહેરાત બાદ હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે સ્વાગત કર્યું છે. તાલિબાનના નેગોસિએશન ટીમના પૂર્વ સભ્ય સુહેલ શાહીને કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગના વખાણ કરીએ છીએ. તેનાથી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થશે અને વિશ્વાસ વધશે. ભારત છેલ્લા 2 વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રકચર પરિયોજનાઓ, માનવીય સહાયતા, શિક્ષણ સંબંધિત ઘણા સેક્ટર્સમાં અફઘાનિસ્તાનની મદદ કરી રહ્યું છે.

તેની સાથે જ ભારતે અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધો પર ભાર આપ્યો છે. કોરોના કાળમાં ભારત વેક્સીન અને ઘઉં સહિત ઘણા જરૂરી સામાન કાબૂલ મોકલાઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન અને ભારતના સંબંધ બાધિત થયા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના એ મોટા ભાગના પ્રોજેક્ટ્સ બંધ પડી ગયા હતા, જેમાં ભારત આર્થિક મદદ કરી રહ્યું હતું.

ત્યારબાદ તાલિબાન સરકારે ભારતને આ પરિયોજનાઓનું કામ ચાલુ કરવાનો અનુરોધ કર્યો હતો. શાહીને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં એવા ઘણા પ્રોજેક્ટ છે, જેમને ભારત ફંડ કરી રહ્યું છે. જો ભારત આ પ્રોજેક્ટ પર કામ ચાલુ કરી દે છે તો તેનાથી બંને દેશોમાં સંબંધોમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના લોકો ગરીબી અને બેરોજગારીથી ઝઝૂમી રહ્યા છે. દેશને અત્યારે વિકાસ સંબંધિત પરિયોજનાઓની વધુ જરૂરિયાત છે.

વર્ષ 2023-24 માટે ભારતનું બજેટ ખૂબ મહત્ત્વ ધરાવે છે કેમ કે દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. સંસદનું બજેટ સત્ર મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થયું હતું, ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, આગામી નાણાંકી વર્ષ (2023-24) માટે વર્ષી બજેટની તૈયારી કરવાની ઔપચારિક કવાયત 10 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની GDP 6 થી 6.5 ટકાની સીમમાં વધવાની આશા છે.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.