દેશનું એક માત્ર રેલવે સ્ટેશન, જ્યાં જવા માટે જરૂર પડે છે વીઝા અને પાસપોર્ટની

આજે અમે તમને દેશના એકમાત્ર એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે કે, જ્યાં જવા માટે વિઝા અને પાસપોર્ટની જરૂરત પડે છે. આ સ્ટેશન 24 કલાક ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓથી ઘેરાયેલું રહે છે.  

ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં કુલ 8338 રેલવે સ્ટેશન છે, જે આખા દેશમાં ફેલાયેલ છે. પરંતુ શું તમે જાણો છો કે, દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે, જ્યાં જવા માટે તમને વિઝા અને પાસપોર્ટની જરૂરત પડે છે. જો કોઈ અહીં વિઝા વગર જાય છે તો તેને જેલમાં પણ જવું પડી શકે છે.

24 કલાક રહે છે સુરક્ષા

આ રેલવે સ્ટેશનનું નામ અટારી (Atari) છે. હવે આ સ્ટેશનને અટારી શ્યામ સિંહ (Atari Shyam Singh) સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં જવા માટે પાકિસ્તાની વિઝા ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓથી 24 કલાક ઘેરાયેલા આ રેલવે સ્ટેશન પર વિઝા વગર જનારા દેશના કોઈ પણ નાગરિક સામે ફોરેન એક્ટ-14 (વિઝા વગર આ રેલવે સ્ટેશન પર આવવાના આરોપ) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જેની જમાનત ખુબ જ મુશ્કેલીથી થાય છે. 

સમજૌતા એક્સપ્રેસને બતાવવામાં આવતી હતી લીલી ઝંડી

આ રેલવે સ્ટેશનથી દેશની સૌથી VVIP ટ્રેન સમજૌતા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે, સમજૌતા એક્સપ્રેસ કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવામાં આવ્યા બાદથી બંધ છે. આ દેશનું પહેલું રેલવે સ્ટેશન છે જ્યાં ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે સરહદ કર વિભાગની સાથો-સાથ ટ્રેનમાં બેઠેલા મુસાફરોની પરવાનગી લેવામાં આવે છે. આ રેલવે સ્ટેશનથી ટીકીટ લેનારા તમામ લોકોનો પાસપોર્ટ નંબર લખવામાં આવે છે અને તેમને કન્ફર્મ સીટ મળે છે.  


 
દેશનું છેલ્લું રેલવે સ્ટેશન

અટારી (Atari) પંજાબમાં હિન્દુસ્તાનનું છેલ્લું રેલવે સ્ટેશન છે. જેની એક બાજુ અમૃતસર તો બીજી બાજુ લાહૌર આવેલું છે. આ સ્ટેશન એટલું મોટું નથી, પરંતુ આ સ્ટેશનની ભૂમિકા ખુબ મોટી છે. ટ્રેન બંધ થયા પછી પણ આ સ્ટેશન પર જરૂરી કામ ચાલતું રહે છે, પરંતુ અહિયાં તે છતાં પણ લોકોને સરળતાથી જવાની પરવાનગી નથી મળતી.

About The Author

Top News

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.