ગંગા નદીમાં સતત ડૂબકી મારીને અસ્થિ શોધી રહ્યા છે નાવિકો, જાણો કેમ

કોરોના વાયરસને કારણે સમગ્ર માનવ સમુદાયની જીવનશૈલીમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. બીજી તરફ લોકડાઉનને કારણે રોજગારી સામે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. આવી મહામારીમાં કમાવવાનું વધારે પડકારજનક થઈ પડ્યું છે. આવી સ્થિતિમાં સૌથી કફોડી હાલત મજૂરવર્ગની થઈ છે. પણ માત્ર મજૂર વર્ગ જ નહીં પણ વારાણસીમાં અલગ અલગ ઘાટ પરથી પ્રવાસીઓને બોટિંગ કરાવતા નાવિકોની હાલત દયનીય બની છે. ઠપ થઈ ચૂકેલા પ્રવાસન તથા નૌકા સંચાલનને કારણે આ નાવિકો વિસર્જિત થઈ ચૂકેલી અસ્થિ સાથે પ્રવાહમાં વહેતા સિક્કાઓ તથા આભુષણ ભેગા કરી રહ્યા છે.

કોરોના વાયરસના કારણે દરેક પર્યટન સ્થળ પર એક ભયનો માહોલ યથાવત રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે કાશીના ઘાટ પર ન તો કોઈ પ્રવાસી આવે છે ન કોઈ શ્રદ્ધાળુઓ. છેલ્લા ત્રણ મહિનાથી પણ વધારે સમયથી વારાણસીના 84 ઘાટ પર નૌકા સંચાલન ઠપ થઈ ચૂક્યું છે. લોકડાઉન ખતમ થયું હોવા છતાં અને બોટ માટેની પરવાનગી મળી હોવા છતાં ગંગા કિનારે જૂજ લોકો જોવા મળ્યા હતા. એવામાં નવરા બેસી રહેલા નાવિકોએ પોતાનો મોટાભાગનો સમય ગંગામાં વિસર્જિત અસ્થિ શોધવામાં પસાર કરી રહ્યા છે. જેની સાથે ક્યારેક કેટલાક સિક્કાઓ અથવા નાના મોટા આભુષણના ટુકડા પણ મળી રહે છે.

કારણ કે, અસ્થિ સાથે પૈસા અને આભુષણના ટુકડા પણ ગંગામાં વિસર્જિત કરી દેવામાં આવે છે. નાવિક સુરેન્દ્ર સહાની કહે છે કે, વારાણસીના રામનગરથી આવી દશાશ્વમેઘ ઘાટ પર નૌકા ચલાવું છું. પણ નહીવત કહી શકાય એટલે શ્રદ્ધાળું અને પ્રવાસીઓ હાલમાં ઘાટ પર જોવા મળે છે. જે કોઈ આવે છે તો બોટિંગ કરવા માગતા નથી. અગાઉ ગંગામાં અસ્થિ વિસર્જન માટે દેશ-વિદેશમાંથી લોકો અહીં આવતા હતા. દસ-પાંચ રૂપિયા અસ્થિ કળશમાં મૂકી દેતા. પણ હવે આવા કોઈ શ્રદ્ધાળું આવતા નથી.

સુરેન્દ્રએ કહ્યું કે, એમની સાથે બીજા આવા ચાર નાવિક છે. જે ડૂબકી લગાવી અસ્થિ શોધે છે. આખા દિવસમાં ચાર કલાક સુધી અસ્થિ શોધી લગભગ 100 કે 125 રૂ. કમાય છે. જે પછી અંદરોઅંદર ભાગ પાડી લે છે. અન્ય નાવિક ભોલા કહે છે કે, અત્યારે બોટ ચલાવવામાં કોઈ જોખમ નથી. પણ ગંગા નદીમાં પૂર વખતે આવું કરવું જોખમી સાબિત થાય છે. ક્યારેક અંદર ઊંડાણમાં હાથ-પગ ફસાઈ ન જાય. પણ પેટ માટે આવું જોખમ લેવું પડે છે.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.