કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવાની કોઈની હિંમત નથી થઈ

ગુજરાતના રાજકારણમાં કેટલીક વ્યક્તિઓ એવી છે કે તેમની હાજરી જ તેમના કદને વ્યક્ત કરે છે. આવા જ એક અડીખમ વ્યક્તિત્વના માલિક છે પરસોત્તમ સોલંકી કોળી સમાજના કદાવર નેતા જેમની હિંમત અને વિશ્વસનીયતાને કારણે ગુજરાતના કોઈ પણ મુખ્યમત્રી એ તેમના મંત્રીમંડળમાંથી બાદ કરવાની હિંમત કરી નથી. મુખ્યમંત્રીઓ બદલાયા, અનેક મંત્રીઓ આવ્યાગયા પરંતુ સોલંકીનું નામ આજે પણ મંત્રીમંડળમાં યથાવત્ છે. આ માત્ર એક સંયોગ નથી પરંતુ તેમના અથાક પ્રયાસો, સમાજસેવા અને ભાજપ પ્રત્યેની અખૂટ નિષ્ઠાનું પરિણામ છે.

03

પરસોત્તમ સોલંકીનો જન્મ કોળી પરિવારમાં થયો. કોળી સમાજ જે ગુજરાતની સૌથી મોટી વોટબેંક છે. તેમના માટે કોળી સમાજ માત્ર એક સમુદાય નથી પરંતુ સમાજસેવાનો આધાર છે. તેમણે યુવાવસ્થાથી જ સમાજસેવાનો માર્ગ અપનાવ્યો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને માછીમારી પર આધારિત કોળી સમાજના લોકો માટે તેમણે પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે અનેક આંદોલનો ચલાવ્યા. તેમના પ્રયાસોથી ગ્રામીણ વિસ્તારોમાં ઇરિગેશન પ્રોજેક્ટ્સ અને માછીમારી કો-ઓપરેટિવ સોસાયટીઓનું વિસ્તરણ થયું જેનાથી હજારો કુટુંબોને આર્થિક આધાર મળ્યો. સમાજસેવક તરીકે તેમનું વ્યક્તિત્વ એવું છે કે તેઓ હંમેશા ખડા પગે હાજર રહે છે ભલે તે સમાજના અધિકારો માટે હોય કે ગરીબોની મદદ માટે. તેમના પરિવારમાં પણ આ ભાવના કેળવાઈ છે; ભાઈ હીરા સોલંકી પણ રાજકારણમાં સક્રિય છે અને કોળી સમાજના પ્રશ્નોના સમાધાન માટે હાર હંમેશ ખડેપગ હાજર હોય છે.

Photo-(2)

રાજકીય ક્ષેત્રે પ્રવેશતાં પરસોત્તમ સોલંકીએ ૧૯૯૮થી ભાજપની ટિકિટ પર ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય તરીકે જીત મેળવી. તેમણે કોંગ્રેસના મજબૂત દાગીના રેવતસિંહ ગોહિલને હરાવીને પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળથી તેમને સ્ટાર પ્રચારક તરીકે મતવિસ્તારોમાં મોકલવામાં આવતા જે તેમની વ્યાપક પ્રભાવી પહોંચ દર્શાવે છે. અનેક સરકારોમાં મંત્રી તરીકે તેમણે કાર્ય કર્યું. તેમની કાર્યશૈલીમાં સેવાનો ગુણ જોવા મળે છે. નશા મુક્તિ અભિયાનોમાં તેમણે કોળી યુવાનોને માર્ગદર્શન આપ્યું અને અનેક કુટુંબોને બચાવ્યા.

02

ભાજપ માટે પરસોત્તમ સોલંકી એક મજબૂત વિશ્વાસુ નેતૃત્વ છે. કોળી સમાજના ૨૩ ટકા મતો પર તેમની પકડ એ પાર્ટી માટે દીવાદાંડી જેવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. ૨૦૨૨ની ચૂંટણીમાં તેમણે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી તરીકે કાર્યરત રહી પાર્ટીની વોટબેંકને મજબૂત કરી. આજે ૨૦૨૫માં પણ મંત્રીમંડળ વિસ્તરણમાં તેમને જગ્યા આપીને ભાજપે તેમના કદને સ્વીકાર્યું છે. તેમની નિષ્ઠા અને કાર્યક્ષમતા પાર્ટીને નિર્ણાયક સમયે સમર્થન આપે છે. પરસોત્તમ સોલંકી જેવા નેતા માટે રાજકારણ માત્ર સત્તાની રાજરમત  નથી પરંતુ સેવાનું માધ્યમ છે.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.