દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતી ભજન...

મહેલોનાં વાસી ગરીબી શું જાણે,

દુખીયાના દુઃખને સુખીયા શું જાણે...

પંક્તિઓ વિચારતો કરી ગઈ!!

ગુજરાતના ખેડૂત પરિવારનું લોહી મારી રગમાં વહે અને લોકસાહિત્યનો થોડો રસિયો પણ ખરો એટલે હળવાશની પળોમાં ગુજરાતી ભજનોની મોજ લેવાની મને વ્યક્તિગત આદત.

આ ભજનની પંક્તિમાં ઘણા વિષયો સમાયેલા છે જેમાંથી એક પંક્તિ "દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!" થોડા વિચારોના વમળમાં લઈ ગઈ.

દુઃખ સૌના જીવનમાં આવે અને જાય. પણ જ્યારે જેના જીવનમાં સુખનો સમય ચાલતો હોય ત્યારે તેઓ દુખિયાનું દુઃખ સમજવાથી દૂર ભાગે છે!! અહીં સમજણ કેળવવાની જરૂર મને જણાય છે. જો દુખિયાનું દુઃખ સમજી લઈએ અને અનુભવી લઈએ તો આપણું થોડું સુખ વહેચવાનો આનંદ કેમ ના લેવાય?

આપણે સૌ એક માથું, બે હાથ અને બે પગના માનવી આકાશને ક્યારેય બાથ ભીડી આખું આકાશ પોતાનું કરી શકવાના નથી એવુ જ સુખ દુઃખનું છે, સુખ ક્યારેય તમે પોતાનું કરી શકવાના નથી અને દુઃખ પણ ક્યારેય તમને પકડી રાખવાનું નથી તો પછી સમય અને સંજોગોને સમજીને જો માનવ એકબીજાનો હાથ થામે તો સુખ દુઃખ વહેંચાય જશે અને જીવન જીવવાની મોજ આવી જશે. ખરું કે ખોટું? મોટેભાગે સૌને ખરું લાગ્યું હશે પણ કોઈ કરવામાટે તૈયાર નહીં થાય. બસ આજ આપણી વિટંબણા છે. અહીજ સમાજમાં દુખિયો એકલો પડીજાય છે અને સુખિયો સ્વાર્થી જણાય આવે છે. સુખ સંપદા થોડું વહેંચવાથી થોડી ઘટ આવશે પણ સાવ ઘટી નથી પડવાનું. કોઈકનું દુઃખ ઘટાડવાથી ધન સંપદાની ઘટ સામે પુણ્યનું ભાથું વધશે મારા રામ. ધન સંપદા સાથે નહીં આવે પણ કરેલું પુણ્યનું ભાથું યમ જ્યારે લઈ જશે અને કાયા જ્યારે છૂટી જશે ત્યારે સાથે આવશે.

અગત્યનું:

જીવનમાં જ્યારે આપનો સુખનો સમય ચાલતો હોય ત્યારે દુખિયાને સાથ આપી થોડું પુણ્ય જરૂર કમાજો, આવતા ભવે કામ લાગશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.