દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતી ભજન...

મહેલોનાં વાસી ગરીબી શું જાણે,

દુખીયાના દુઃખને સુખીયા શું જાણે...

પંક્તિઓ વિચારતો કરી ગઈ!!

ગુજરાતના ખેડૂત પરિવારનું લોહી મારી રગમાં વહે અને લોકસાહિત્યનો થોડો રસિયો પણ ખરો એટલે હળવાશની પળોમાં ગુજરાતી ભજનોની મોજ લેવાની મને વ્યક્તિગત આદત.

આ ભજનની પંક્તિમાં ઘણા વિષયો સમાયેલા છે જેમાંથી એક પંક્તિ "દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!" થોડા વિચારોના વમળમાં લઈ ગઈ.

દુઃખ સૌના જીવનમાં આવે અને જાય. પણ જ્યારે જેના જીવનમાં સુખનો સમય ચાલતો હોય ત્યારે તેઓ દુખિયાનું દુઃખ સમજવાથી દૂર ભાગે છે!! અહીં સમજણ કેળવવાની જરૂર મને જણાય છે. જો દુખિયાનું દુઃખ સમજી લઈએ અને અનુભવી લઈએ તો આપણું થોડું સુખ વહેચવાનો આનંદ કેમ ના લેવાય?

આપણે સૌ એક માથું, બે હાથ અને બે પગના માનવી આકાશને ક્યારેય બાથ ભીડી આખું આકાશ પોતાનું કરી શકવાના નથી એવુ જ સુખ દુઃખનું છે, સુખ ક્યારેય તમે પોતાનું કરી શકવાના નથી અને દુઃખ પણ ક્યારેય તમને પકડી રાખવાનું નથી તો પછી સમય અને સંજોગોને સમજીને જો માનવ એકબીજાનો હાથ થામે તો સુખ દુઃખ વહેંચાય જશે અને જીવન જીવવાની મોજ આવી જશે. ખરું કે ખોટું? મોટેભાગે સૌને ખરું લાગ્યું હશે પણ કોઈ કરવામાટે તૈયાર નહીં થાય. બસ આજ આપણી વિટંબણા છે. અહીજ સમાજમાં દુખિયો એકલો પડીજાય છે અને સુખિયો સ્વાર્થી જણાય આવે છે. સુખ સંપદા થોડું વહેંચવાથી થોડી ઘટ આવશે પણ સાવ ઘટી નથી પડવાનું. કોઈકનું દુઃખ ઘટાડવાથી ધન સંપદાની ઘટ સામે પુણ્યનું ભાથું વધશે મારા રામ. ધન સંપદા સાથે નહીં આવે પણ કરેલું પુણ્યનું ભાથું યમ જ્યારે લઈ જશે અને કાયા જ્યારે છૂટી જશે ત્યારે સાથે આવશે.

અગત્યનું:

જીવનમાં જ્યારે આપનો સુખનો સમય ચાલતો હોય ત્યારે દુખિયાને સાથ આપી થોડું પુણ્ય જરૂર કમાજો, આવતા ભવે કામ લાગશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.