ગુજરાતમાં સરકાર સ્થિર છે છતા સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી સૂર કેમ ગુંજી રહ્યો છે? 

ગુજરાતમાં ભાજપની સરકાર લાંબા સમયથી સ્થિર છે અને મોટાભાગની ચૂંટણીઓમાં પણ ભાજપનો સ્પષ્ટ બહુમત જળવાઈ રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર સરકાર વિરોધી વાતાવરણનું વેગ વધતું જોવા મળે છે આનું મુખ્ય કારણ સરકારની નીતિઓ અને વ્યવહારો વચ્ચેનો અંતર છે જેના કારણે વિવિધ વર્ગોમાં અસંતોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ્સ પર આ અસંતોષને વાયરલ થવાની સુલભતા મળે છે જ્યાં લોકો પોતાની વેદનાઓ ઝડપથી વ્યક્ત કરી શકે છે. 

તાજેતરમાં ખેડૂતોની મુશ્કેલીઓ અને કમોસમી વરસાદને કારણે થયેલું નુકસાન સંદર્ભ ચર્ચા હોય તો, કમોસમી વરસાદથી ગુજરાતમાં મગફળી, કપાસ અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં ખેડૂતોએ પાકના પાથરા સળગાવીને અને ઢોલ વગાડીને વિરોધ કર્યો છે. સરકારના ડિજિટલ સર્વેને લઈને પણ આક્ષેપો છે કારણ કે ખેડૂતોને લાગે છે કે તેમની સમસ્યાઓનું યોગ્ય મૂલ્યાંકન નથી થતું. આ વિષયમાં સોશિયલ મીડિયા પર AAP અને કોંગ્રેસના નેતાઓ જેમ કે ગોપાલ ઇટાલિયા અને પ્રતાપ દુધાતે આને 'સર્કસ' કહીને ટીકા કરી છે જે વાયરલ થઈ છે. ખેડૂતોના આક્રોશ ભર્યા વીડિયો (જેમ કે થાળી વગાડવા અને ટ્રેક્ટર રેલી) હજારો વ્યૂઝ મેળવી રહ્યા છે. ગુજરાત સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ એના સંદર્ભે પણ સોશિયલ મીડિયામાં સંતુલિત માહોલ બન્યો નથી. 

કર્મચારીઓ અને આંદોલનો સંદર્ભે જોઈએ તો, ગાંધીનગર સચિવાલયમાં 1,400થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)એ પગાર અને પદોન્નતિના મુદ્દે સરકાર સામે આંદોલનની ચેતવણી આપી છે. તેમને 2031-32 સુધીમાં પગાર વધારો મળે છે પરંતુ જવાબદારીમાં કોઈ ફેરફાર નથી જેને અન્યાય તરીકે જોવામાં આવે છે. આ અંગે 2021થી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

03

રેશનિંગ દુકાનદારો હડતાળ પર ઉતર્યા જેમાં સરકારી બેઠકોમાં કોઈ નિરાકરણ નથી થયું. આવા મુદ્દાઓ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચામાં છે જ્યાં કર્મચારીઓ પોતાની લાગણીઓ શેર કરીને સરકારની ટીકા કરે છે.

ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા અને અન્યાયના આક્ષેપો પર ગંભીરતાથી ચર્ચા છે. સોશિયલ મીડિયા પર  AAPના નેતાઓ જેમ કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વાસવા ભ્રષ્ટાચાર, દારૂબંધીની નિષ્ફળતા, દુષ્કર્મ કેસો અને પોલીસના દુરુપયોગના મુદ્દા ઉઠાવે છે. ઉદાહરણ તરીકે અમરેલીમાં એક કેસમાં પાયલબેનનું સર્ઘસ કાઢવામાં આવ્યું હતું જેને સરકારના વિરોધીઓએ 'અન્યાય' કહ્યું. 

HUDA (હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) વિરુદ્ધ 11 ગામના હજારો ખેડૂતોનું મહાસંમેલન થયું જ્યાં જમીન અને વિકાસના મુદ્દે મહિલાઓએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયા જેમાં સરકારને 'ગુલામી' અને 'તાનાશાહી' કહેવામાં આવ્યું.

02

યુવાનો અને વિદ્યાર્થીઓ પોલીસ ભરતી અને શિક્ષક ભરતીમાં અન્યાય વિરુદ્ધ લાઠીચાર્જનો ભોગ બને છે જેને 'લોકશાહીનો અંત' કહીને ટ્રોલ કરવામાં આવે છે.

હવે સોશિયલ મીડિયાની ભૂમિકા અને વિપક્ષી રણનીતિ સમાજવારૂપ છે. સોશિયલ મીડિયા પર વિરોધી પક્ષો (AAP, કોંગ્રેસ) આ મુદ્દાઓને 'જન સત્યાગ્રહ' અને '#કિસાન_મહાપંચાયત' જેવા હેશટેગ્સથી અસંતોષને વધારે છે.

બીજી તરફ, કેટલાક યુઝર્સ ગુજરાતના વિકાસની પ્રશંસા કરે છે અને વિરોધીઓને 'મફતખોર' કહે છે પરંતુ આવી પોસ્ટ્સ ઓછી વાયરલ થાય છે. 

04

સરકારની સ્થિરતા છતાં આ વિરોધી સૂરનું કારણ મૂળભૂત સમસ્યાઓ જેમ કે આર્થિક અસ્થિરતા, અન્યાય અને અવગણના છે. સોશિયલ મીડિયા આને વધુ ચર્ચાસ્પદ બનાવે છે કારણ કે તે લોકોને જોડે છે અને લાગણીઓ વ્યક્ત કરવાનું સ્વતંત્ર માધ્યમ આપે છે. જો ગુજરાત સરકાર આ મુદ્દાઓ પર સચોટ પરિણાત્મક કાર્યવાહી કરેતો આ વાતાવરણ શાંત થઈ શકે નહીંતર આ અસંતોષ આગળની ચૂંટણીઓમાં પડકારરૂપ બની શકે છે.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.