- Politics
- 51 હજાર વોટથી હાર છતા તેજ પ્રતાપ કેમ ખૂબ ખુશ છે, ભાઈની હાર પર ખુશી ડબલ થઈ ગઈ
51 હજાર વોટથી હાર છતા તેજ પ્રતાપ કેમ ખૂબ ખુશ છે, ભાઈની હાર પર ખુશી ડબલ થઈ ગઈ
બિહાર વિધાનસભાની ચૂંટણીની તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે. NDA મોટા માર્જિનથી જીતી ગયું છે. આ દરમિયાન તેજસ્વીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. આ બધા વચ્ચે RJDથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવનારા તેજ પ્રતાપ યાદવે પોતાના જ ભાઈ તેજસ્વી પર આકરા પ્રહારો કર્યા છે. લાલુ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, ‘અમારી હારમાં પણ જનતાની જીત છે. હું આજના પરિણામોને જનાદેશ તરીકે સ્વીકારું છું. હાર્યા બાદ પણ અમારી જીત થઈ છે, કારણ કે બિહારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજકારણ હવે ભાઈ-ભત્રીજાવાદની નહીં, પરંતુ સુશાસન અને શિક્ષણનું થશે. આ જયચંદની કારમી હાર છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે આ ચૂંટણી બાદ બિહારમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે અને આજે તે સ્પષ્ટ થઈ ગયું છે.
ફેસબુક પોસ્ટમાં તેજ પ્રતાપે આગળ કહ્યું કે, ‘હું તો હારીને પણ જીત્યો છું કારણ કે મને લોકોનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ મળ્યા છે. પરંતુ સત્ય કડવું છે. આ જયચંદોએ RJDને અંદરથી ખોખલું કરી દીધું, બરબાદ કરી દીધું છે. આ કારણે આજે તેજસ્વી ફેલસ્વી થઈ ગયા છે. જેમને પોતાની ખુરશી અને રાજકારણ બચાવવા માટે પોતાના ઘરને આગ લગાવી દીધી, ઇતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે. હું વારંવાર કહું છું કે જનતા જ આપણી માતા-પિતા છે. જનતાનો નિર્ણય માથે, અને એ જ ભાવના સાથે હું તમારા નિર્ણયને સ્વીકારું છું.’
તેમણે કહ્યું કે, હાર અને જીત અલગ વાતો છે, પરંતુ ઇરાદો અને પ્રયાસ જ વાસ્તવિક જીત છે. મહુઆના લોકોને મેં જે વચનો આપ્યા હતા, હું તેને નિભાવવાનો પૂરો પ્રયાસ કરીશ રહીશ. પછી હું ધારાસભ્ય બનુ કે નહીં, મારા દરવાજા હંમેશાં જનતા માટે ખુલ્લા રહેશે. બિહારે સુશાસનની સરકાર પસંદ કરી છે. અમે તેનું સન્માન કરીએ છીએ અને જનતાના હિતમાં દરેક પગલા પર રચનાત્મક ભૂમિકા ભજવીશું. આ જીત આપણા યશસ્વી કર્મઠ વડાપ્રધાન અને વિશ્વના સૌથી મજબૂત નેતા નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને જાદુઈ નેતૃત્વની કમાલ છે.
જનતાએ માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમારના સુશાસનને દિલથી અપનાવ્યા છે. બિહારમાં આ ઐતિહાસિક જીત ભારતના ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય માનનીય અમિત શાહ અને ભારત સરકારમાં મંત્રી અને ભાજપના બિહાર પ્રભારી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની કૂટનીતિ, દૂરદૃષ્ટિ અને દિવસ-રાતની મહેનતનું પરિણામ છે. આ વિજયનું સૌથી મોટું કારણ NDAની અતૂટ એકતા છે.
NDA ગઠબંધનના પાંચેય પાર્ટીઓ- ‘પાંચ પાંડવો’એ એકજૂથ થઈને ચૂંટણી લડી અને લોકોએ પોતાનો વિશ્વાસ, મત અને ભરપૂર સમર્થન આપીને આ એકતાને વિજયની શક્તિમાં બદલી દીધી કરી. આ જીત બિહારના લોકોની છે, આ જીત વિશ્વાસની છે, આ જીત વિકાસ અને સુશાસન માટેના સંકલ્પનો છે. હું બિહારની યુવા શક્તિ, માતૃશક્તિ અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે મને અપાર પ્રેમ આપ્યો, અને આ પ્રેમ મારી સૌથી મોટી પૂંજી છે. જનતાનો અવાજ બનીને, અમે વધુ મજબૂતીથી પરત ફરીશું.’

