દિલ્હી ચૂંટણી હાર્યા બાદ 10 દિવસ પંજાબમાં રહેશે અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી (AAP)ને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર મળી છે.  આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પોતે પણ ચૂંટણી જીતી શક્યા નથી.  દિલ્હીમાં તેમની પાર્ટીની સત્તા ગુમાવ્યાના લગભગ એક મહિના પછી, અરવિંદ કેજરીવાલ મંગળવારે 10 દિવસના વિપશ્યના સત્ર માટે પંજાબની મુલાકાત લેશે.  પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી છે. 

arvind-kejriwal1

 15 માર્ચ સુધી વિપશ્યના સત્રમાં હાજરી આપશે કેજરીવાલ

AAP સૂત્રોએ જણાવ્યું કે કેજરીવાલ મંગળવારે ધ્યાન શિબિર માટે હોશિયારપુર રવાના થશે.  સૂત્રોએ જણાવ્યું કે તે 5 માર્ચથી 15 માર્ચ સુધી ત્યાંના એક સેન્ટરમાં વિપશ્યના સત્રમાં ભાગ લેશે.  કેજરીવાલે ડિસેમ્બર 2023માં હોશિયારપુરના આનંદગઢ, ધમ્મ ધજા વિપશ્યના કેન્દ્રમાં 10 દિવસના સત્રમાં હાજરી આપી હતી. 

પહેલા પણ અહીં આવી ચુક્યા છે કેજરીવાલ 

અગાઉ, તે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી સમન્સ પ્રાપ્ત કર્યા પછી હોશિયારપુર ગયા હતા.  5 ફેબ્રુઆરીની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હીની બેઠક હારી ગયા પછી, કેજરીવાલ જાહેરમાં દેખાયા નથી અને પોતાને પક્ષ સંબંધિત પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત રાખ્યા છે. 

દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની થઈ હાર

આમ આદમી પાર્ટીને જબરજસ્ત જનાદેશ સાથે 2015 થી 2024 સુધી દિલ્હી પર શાસન કર્યું હતું પરંતુ આ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, તે 70 સભ્યોના ગૃહમાં 22 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.  48 બેઠકો જીતીને ભાજપે અહીં કેજરીવાલની પાર્ટીનું વર્ચસ્વ ખતમ કરી નાખ્યું.  મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન અને સોમનાથ ભારતી સહિત AAPના ઘણા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા. 

arvind-kejriwal2

પંજાબમાં ઉડી રહી છે અનેક પ્રકારની અફવાઓ 

હાર બાદ, AAPનું દિલ્હી એકમ સંગઠનાત્મક બેઠકો કરી રહ્યું છે. તેના કન્વીનર ગોપાલ રાયે જણાવ્યું હતું કે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનારા નેતાઓને જ સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવશે. કેજરીવાલની પંજાબ મુલાકાત કોંગ્રેસના દાવાને ધ્યાનમાં રાખીને પણ મહત્વપૂર્ણ છે, કે ઘણા AAP ધારાસભ્યો તેમના છાવણીમાં જોડાવા માટે તૈયાર છે. AAP એ ભગવંત માનને રાજ્યના મુખ્યમંત્રી પદ પરથી હટાવવા સહિતની આવી બધી અફવાઓને નકારી કાઢી છે.

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.