આદિવાસીઓને ના છેડો, ફેલ કરી દઇશું મિશન 2024, MLA ચૈતર વસાવાની BJPને ચેલેન્જ

યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પર આમ આદમી પાર્ટી BJP કરતા બે ડગલાં આગળ નીકળતી દેખાઈ રહી છે. દેશમાં UCC લાગૂ કરવાની ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવાએ UCCથી આદિવાસીઓને થનારા નુકસાનોને લઇને મોરચો ખોલી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનિફોર્મ સિવિલ કોડને લઇને નિવેદન આપ્યા બાદ આ ચર્ચા ઝડપી બની હતી કે, શું કેન્દ્ર સરકાર મોનસૂન સત્રમાં જ કોઈ કાયદો લાવવા જઈ રહી છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી જોકે, UCCમાંથી કોને-કોને બહાર રાખવામાં આવશે તે હજુ નક્કી નથી. આપ નેતા ચૈતર વસાવા યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પર ડાયરેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાના પર લીધા છે અને કહ્યું કે, આદિવાસીને ના છેડો, નહીં તો 2024માં BJPની રાહ મુશ્કેલ બનશે.

આપની કેન્દ્રીય લીડરશિપે UCCનું સમર્થન કર્યું હતું. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુજરાતના પાર્ટી નેતાઓએ આ મુદ્દા પર અલગ નિવેદન આપ્યા હતા અને પોતાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. દરમિયાન આપના ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવા દિલ્હી પહોંચ્યા હતા અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીથી પાછા આવ્યા બાદ ચૈતર વસાવાએ આદિવાસીઓને UCCમાંથી બહાર રાખવાની માંગ ઉઠાવી હતી. ત્યારબાદ ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં આવનારી ડેડિયાપાડા વિધાનસભાથી UCC વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.

ચૈતર વસાવાનું કહેવુ છે કે, UCCથી આદિવાસીઓને સંવિધાનમાં મળેલા અધિકાર સમાપ્ત થઈ જશે. ચૈતર વસાવાએ 13 જુલાઈએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે UCCથી થનારા નુકસાન ગણાવ્યા. આ અવસર પર તેમણે કહ્યું કે, આ આદિવાસીઓના હક અને અધિકારને બચાવવાનો મામલો છે. આથી, તેઓ અપીલ કરે છે કે તમામ પક્ષોના નેતા આ મુદ્દા પર સાથે આવે. કેન્દ્ર સરકારના ઉત્તર ગુજરાતમાં રાજ્ય સરકાર પહેલાથી જ આ મુદ્દા પર કામ કરી રહી છે. સરકારે ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં UCC લાગૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ એક સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આદિવાસીઓની આબાદી ખૂબ જ વધુ છે. પ્રદેશની 26માંથી 4 લોકસભા સીટો અને 26 વિધાનસભા સીટો આદિવાસીઓ માટે આરક્ષિત છે.

આપે UCCને સમર્થન આપવાની જાહેરાત કરી હતી પરંતુ, હવે પાર્ટીનું સ્ટેન્ડ થોડું બદલાતું દેખાઈ રહ્યું છે. પાર્ટીના નેતાઓનું કહેવુ છે કે, વિસ્તૃત વિચાર વિમર્શ બાદ જ તેને લાગૂ કરવુ જોઈએ. એવામાં પાર્ટી એક તરફ સમર્થન આપી રહી છે તો સાથે જ સવાલ પણ ઊભા કરી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવુ છે કે, આમ આદમી પાર્ટીની નજર રાજ્યની ચાર લોકસભા સીટો પર છે. જ્યાં આદિવાસીઓની બહુમત છે. જો આદિવાસીઓની વચ્ચે UCCનો મુદ્દો આકાર લે તો આમ આદમી પાર્ટી આ સીટો પર BJPની મુશ્કેલી વધારી શકે છે. આપ આ મુદ્દા પર જ્યાં આક્રામક છે તો બીજી તરફ BJP અને કોંગ્રેસના નેતા શાંત છે. આપ નેતા ચૈતર વસાવા પૂર્વમાં આદિવાસીઓ માટે ભીલિસ્તાન બનાવવાની માંગ કરી ચુક્યા છે. ચૈતર વસાવાનું વલણ જોતા લાગી રહ્યું છે કે, આપ UCCના મુદ્દા પર પાછળ હટશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.