શું ગુજરાત ભાજપની પડતી શરૂ થઈ છે?

ગુજરાતમાં ભાજપની રાજકીય સફળતા એક સમયે દેશભર માટે ઉદાહરણ હતી. પરંતુ છેલ્લાં ત્રણચાર વર્ષમાં ગુજરાતમાં પક્ષનું સંગઠન અને સરકાર બંને ચર્ચાના કેન્દ્રમાં છે અને તે પણ નકારાત્મક કારણોસર. પીઢ કાર્યકર્તા અને પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીના તાજેતરના નિવેદનોએ ગુજરાત ભાજપના સંગઠનની નબળાઈઓને ઉજાગર કરી છે. આ નિવેદનો માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ હજારો કાર્યકર્તાઓની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે જેમણે પક્ષના વિકાસ માટે જીવન સમર્પિત કર્યું છે. પ્રશ્ન એ છે કે શું આ ગુજરાત ભાજપની પડતીનો આરંભ છે કે પોતાની ખોવાયેલી ઓળખ પાછી મેળવવાની તક?

BJP
business-standard.com

ગુજરાત ભાજપનું હાલનું સંગઠન સદંતર નિષ્ફળ રહ્યું છે એવું કહેવું અતિશયોક્તિ નથી. શિસ્ત, માન-મર્યાદા અને એકાત્મભાવના જેવાં મૂલ્યો જે ભાજપની ઓળખ હતાં તે આજે લગભગ લુપ્ત થઈ ગયાં છે. કાર્યકર્તાઓની લાગણીઓને જાળવવામાં સંગઠન સદંતર નિષ્ફળ રહ્યું છે. પીઢ કાર્યકર્તાઓનું અપમાન, નેતાઓની ઉદાસીનતા અને વાણીવિલાસનો સિલસિલો એટલો વધી ગયો છે કે ઘણા કાર્યકર્તાઓ પોતાને નાતબહાર જાકારો આપેલા અનુભવે છે. જેમણે દાયકાઓ સુધી ગામડેગામડે ભાજપનો ઝંડો લહેરાવ્યો તેમની વાત આજે પક્ષમાં સાંભળવામાં નથી આવતી. આ નારાજગી નાનુભાઈના શબ્દોમાં ઝળકી છે જે ગુજરાત ભાજપના આંતરિક ભૂકંપનો સંકેત આપે છે.

1538204940kamlam-01

સંગઠનની આ નિષ્ફળતા માત્ર કાર્યકર્તાઓની નારાજગી સુધી સીમિત નથી. સરકારની નીતિઓ અને વહીવટમાં પણ ખામીઓ જોવા મળી રહી છે. જનતાની અપેક્ષાઓ અને સરકારનું પ્રદર્શન વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સંગઠન અને સરકાર વચ્ચેનો સંનાદ નબળો પડી ગયો છે. કાર્યકર્તાઓ જે પક્ષ અને જનતા વચ્ચેનો પુલ હતા આજે પોતાને ઉપેક્ષિત અનુભવે છે. આ ઉપેક્ષાને કારણે ઘણા કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ રહ્યા છે જે ભાજપની ભાવિ માટે ખતરનાક સંકેત છે.

BJP05

આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? પ્રદેશ નેતૃત્વની ઉદાસીનતા, આંતરિક ઈર્ષ્યા ગુંડાગીરી કે પક્ષની મૂળ ઓળખથી દૂર થવું? જવાબ સૌના હૈયામાં છે પરંતુ પક્ષ પ્રત્યેની નિષ્ઠા કાર્યકર્તાઓને ચૂપ રહેવા મજબૂર કરે છે. પરંતુ આ મૌન હવે તૂટી રહ્યું છે. કાર્યકર્તાઓની લાગણીઓને સન્માન આપવું, તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવું અને સંગઠનમાં શિસ્ત પુનઃસ્થાપિત કરવું એ આજની પક્ષની સૌથી મોટી જરૂરિયાત છે.

ભાજપે આજે આત્મનિરીક્ષણ કરવું પડશે. જો પક્ષ પોતાના મૂળ મૂલ્યો શિસ્ત, એકતા અને કાર્યકર્તાઓના સન્માન તરફ નહીં પાછો ફરે તો ગુજરાતમાં ભાજપની કોંગ્રેસ જેવી દુર્દશા થવાની શક્યતા નકારી શકાય નહીં. નેતૃત્વએ ખુલ્લા મનથી કાર્યકર્તાઓની વાત સાંભાળવી, નવા અને જૂના કાર્યકર્તાઓનો સમન્વય સાધવો અને જનતાના વિશ્વાસને પાત્ર બનવા પગલાં ભરવાં જોઈએ.

new-project_1750501472

ગુજરાત ભાજપ માટે આ એક ચેતવણીનો સમય છે પરંતુ સાથે જ પુનઃજન્મની તક પણ. ભાજપે કાર્યકર્તાઓની લાગણીઓને પ્રાથમિકતા આપી, સંગઠનને મજબૂત કરવું જોઈએ. જો આ દિશામાં પગલાં લેવામાં આવે તો ગુજરાત ભાજપ ફરી એકવાર રાજકીય શક્તિનું પ્રતીક બની શકે છે. ટૂંકમાં જો ભાજપનું ગુજરાતનું નિષ્ફળ નેતૃત્વ સમજે તો આ ચિંતનનો સમય છે પક્ષ, કાર્યકર્તાઓ અને ગુજરાતના ભવિષ્ય માટે.

About The Author

Related Posts

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.