અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

મહારાષ્ટ્ર સરકારે વિવાદાસ્પદ માહિતી અધિકાર (RTI) નિયમોના અમલીકરણને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશો બાદ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરે નવા નિયમો પર રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નિયમોમાં RTI અરજી ફીમાં વધારો, ઓળખ પુરાવા ફરજિયાત બનાવવા અને દરેક અરજીમાં માત્ર એક જ વિષય સુધી મર્યાદિત રાખવા જેવી ઘણી મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ શામેલ હતી. સામાજિક કાર્યકર અન્ના હજારેએ આ નિયમોનો સખત વિરોધ કર્યો હતો અને 5 જુલાઈથી અનિશ્ચિત ભૂખ હડતાળની ચીમકી આપી હતી. ત્યારબાદ, સરકારે નિયમોને હાલ પૂરતા મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ફડણવીસે ગુરુવારે મુખ્ય માહિતી કમિશનરને આ નિયમો પર રોક લગાવવા માટે આદેશો આપ્યા હતા. આ પહેલા, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે 12 જૂને ગેઝેટમાં સૂચના પ્રકાશિત કર્યા પછી તાત્કાલિક અસરથી નિયમો લાગૂ કર્યા હતા.

નવા નિયમો શું હતા, જેના કારણે વિવાદ થયો?

નવા નિયમો હેઠળ, માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ આવેદન કરવા માટે ₹30ની અરજી ફી નક્કી કરવામાં આવી હતી. માહિતી પૂરી પાડવા માટે A4 પેજ દીઠ ₹5ની ફી નક્કી કરવામાં આવી હતી, અને ડિજિટલ અથવા સ્કેન કરેલી નકલો પર પણ આ જ દર લાગૂ કરવામાં આવ્યો હતો.

4

પ્રથમ કલાક માટે રેકોર્ડનું નિરીક્ષણ મફત હતું, પરંતુ ત્યારબાદ પ્રતિ કલાક ₹50ની ફી લાગૂ કરવામાં આવી હતી. BPL હેઠળ રહેતા અરજદારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી હતી; જોકે, તેમને પણ 50 પાનાંથી વધુની માહિતી માટે નિર્ધારિત શુલ્ક ચૂકવવાની જરૂર પડતી.

આ નિયમોમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે RTI અરજી સામાન્ય રીતે એક જ વિષયને લગતી હોવી જોઈએ અને 150 શબ્દોથી વધુ લંબાઈની ન હોવી જોઈએ. જો કોઇ અરજીમાં ઘણા વિષયો સામેલ હોત, તો જાહેર માહિતી અધિકારી (PIO) ફક્ત પ્રથમ વિષય પર જ કાર્યવાહી કરશે અને અરજદારને બાકીના વિષયો માટે અલગ અરજીઓ ફાઇલ કરવાની સલાહ આપશે.

સૌથી વધુ વિવાદ ઉભો કરનારી જોગવાઈ ભારતીય નાગરિકતાનો પુરાવો રજૂ કરવાની ફરજિયાત જરૂરિયાત હતી. નવા નિયમો હેઠળ દરેક RTI અરજી સાથે ભારતીય નાગરિકતા સાબિત કરતું સ્વ-પ્રમાણિત ફોટો ઓળખ કાર્ડ જોડવાનું ફરજિયાત હતું. જો જરૂરી ઓળખ દસ્તાવેજો જોડવામાં ન આવે તો અરજીઓ પરત કરી શકાય છે.

નિયમોમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી કે જો માંગવામાં આવેલી માહિતી સંબંધિત સરકારી વિભાગ અથવા જાહેર સત્તામંડળની સત્તાવાર વેબસાઇટ પર પહેલાથી જ ઉપલબ્ધ હોય, તો જાહેર માહિતી અધિકારી અરજદારને માહિતી ઓનલાઈન માહિતી જોવાનો નિર્દેશ કરી શકે છે, જેનાથી અધિકારીને અલગ નકલો પ્રદાન કરવાની જવાબદારી નહીં રહે.

આ ઉપરાંત, નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, એવી કોઈપણ વ્યક્તિગત જાણકારી, જેનો કોઇ જાહેર પ્રવૃત્તિ અથવા જાહેર હિત સાથે સંબંધિત ન હોય તેવી વ્યક્તિગત માહિતી સામાન્ય રીતે જાહેર કરવામાં આવશે નહીં, જ્યાં સુધી તેને સામે લાવવાના પક્ષમાં કોઇ મોટું જનહિત સાબિત ન થાય.

અપીલ પ્રક્રિયામાં પણ ફેરફારોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. નવા નિયમોમાં મહારાષ્ટ્ર રાજ્ય માહિતી પંચ સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરવા માટે ₹50 અને બીજી અપીલ દાખલ કરવા માટે ₹100 ફી ફરજિયાત કરવામાં આવી હતી. અપીલ સાથે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના હતા. સુનાવણી રૂબરૂમાં અથવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવા માટેની જોગવાઈઓ પણ કરવામાં આવી હતી.

5

નિયમોમાં જાહેર સત્તામંડળના વડાઓની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી હતી. તેમને માહિતી અધિકાર કાયદાની કલમ 4 હેઠળ મહત્તમ માહિતીનો સ્વત: સ્પષ્ટિકરણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ચેતવણી આપવામાં આવી હતી કે આમ કરવામાં નિષ્ફળતાથી સંબંધિત અધિકારીઓ સામે સેવા નિયમો હેઠળ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

સામાજિક કાર્યકર અન્ના હજારે આ નિયમોના સૌથી ઘોર વિરોધી હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મોકલવામાં આવેલા એક આવેદનપત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે નવા નિયમો માહિતી અધિકાર કાયદાની મૂળભૂત ભાવનાને નબળી પાડે છે અને સામાન્ય નાગરિકો માટે માહિતી મેળવવાનું પહેલા કરતા વધુ મુશ્કેલ બનાવશે. હજારેએ દલીલ કરી હતી કે અરજી ફીમાં વધારો, ઓળખ પુરાવા ફરજિયાત બનાવવા, અરજીઓને એક જ વિષય સુધી મર્યાદિત રાખવા અને અપીલ પ્રક્રિયા માટે વધારાના શુલ્ક લાદવા જેવી જોગવાઈઓ પારદર્શિતા અને જવાબદારીની ભાવનાની વિરુદ્ધ છે.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકારે આ નિયમો ઘડતા પહેલા કોઈ જાહેર પરામર્શ કર્યો નથી. હજારેએ માંગ કરી હતી કે સરકાર આ નિયમોને સંપૂર્ણપણે પાછા ખેંચે અને નવા નિયમો બનાવતા પહેલા RTI નિષ્ણાતો, માહિતી કમિશનરો, સામાજિક કાર્યકરો, વકીલો, પત્રકારો અને સામાન્ય નાગરિકો સાથે વ્યાપક ચર્ચા કરે. તેમણે ચેતવણી આપી હતી કે તેઓ આ માંગણીને લઇને 5 જુલાઈથી અનિશ્ચિત ભૂખ હડતાળ શરૂ કરશે.

હજારેના વિરોધ અને વધતા રાજકીય અને સામાજિક દબાણ વચ્ચે રાજ્ય સરકારે નવા નિયમોના અમલીકરણને હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. હવે એવું માનવામાં આવે છે કે સરકાર આ નિયમોની સમીક્ષા કરી શકે છે, અને વિવિધ પક્ષો સાથે પરામર્શ કર્યા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે.

About The Author

Top News

RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (...
Business 
RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

મહારાષ્ટ્ર સરકારે વિવાદાસ્પદ માહિતી અધિકાર (RTI) નિયમોના અમલીકરણને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશો બાદ રાજ્યના...
Politics 
અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ

રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઇટેન્શન લાઇનના વળતર અંગેની માંગણીઓનો સુખદ અંત આણતા એક...
Gujarat 
ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ

9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?

મહારાષ્ટ્રમાં અવિરત ભારે વરસાદ પડવાને કારણે રોજિંદું જનજીવનને ખોરવાઇ ગયું છે અને વરસાદે વિભાગની વ્યવસ્થા અને તૈયારીઓની પોલ ખોલી નાખી...
National 
9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.