9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?

મહારાષ્ટ્રમાં અવિરત ભારે વરસાદ પડવાને કારણે રોજિંદું જનજીવનને ખોરવાઇ ગયું છે અને વરસાદે વિભાગની વ્યવસ્થા અને તૈયારીઓની પોલ ખોલી નાખી છે. ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ જોવા મળી. પાણી ભરાઈ જવું, ખુલ્લા મેનહોલ, ખુલ્લા વીજળીના વાયરો, જર્જરિત ઇમારતો અને સલામતીના પગલાં વિના બાંધકામનું કામ ચાલુ રાખવું વરસાદ વચ્ચે જીવલેણ સાબિત થયું. છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ અકસ્માતોમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાઓ જવાબદાર વિભાગો પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં, 26 વર્ષીય શશી રાહુલ ચક્રને જીવંત વાયરથી વીજળીનો કરંટ લાગ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી જમા થઈ ગયું હતું, જ્યાં જીવંત વીજળીનો વાયર પડ્યો હતો. પાણીમાં કરંટ પ્રસરી ગયો હતો, તેની જાણ ન હોવાથી શશિ તેમાં ઉતરી ગયો. કરંટ લાગતા જ ઘટનાસ્થળ પર તેનો જીવ જતો રહ્યો. સ્થાનિકોનો આરોપ છે કે વીજળી વિભાગને તૂટેલા વાયર વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી, પરંતુ સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

પાલઘર જિલ્લાના ચહાડે ગામનો 28 વર્ષીય કિશન વર્થા માછલી પકડવા માટે નદીમાં ગયો હતો. સતત વરસાદને કારણે નદીમાં પાણી વધી ગયું હતું અને તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. બીજા દિવસે તેનો મૃ*તદેહ મળી આવ્યો હતો. વરસાદ દરમિયાન લોકોને વારંવાર નદીઓમાં પાણી ભરાઈ જવાની ચેતવણી આપવામાં આવી હતી છતા આ દુર્ઘટના બની હતી.

rain
ddindia.co.in

થાણેના મુમ્બ્રા વિસ્તારમાં 17 વર્ષીય આલિયાને વરસાદ દરમિયાન વીજળીનો કરંટ લાગ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ થાંભલા અથવા ખુલ્લા વાયરમાંથી કરંટ પાણીમાં ફેલાઇ ગયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે તેનું વીજ કરંટ લાગતા તેનો જીવ જતો રહ્યો હતો. સ્થાનિક લોકો જણાવે છે કે આ વિસ્તારમાં વીજ સલામતી અંગે અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી.

મુંબઈમાં, 55 વર્ષીય અસલમ શેખ વરસાદ દરમિયાન રસ્તા પર ખુલ્લા મેનહોલમાં પડી ગયો હતો. પાણી ભરાવાને કારણે મેનહોલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે તે સીધો ગટરમાં પડી ગયો અને જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો; તેનો મૃ*તદેહ પાછળથી મળી આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ખુલ્લા મેનહોલ અને મ્યુનિસિપલ બોડીની તૈયારીઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

મુંબઈમાં ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે રસ્તાની બાજુમાં એક ઝાડ અચાનક એક સ્કૂલ બસ પર પડી ગયું. આ અકસ્માતમાં અગિયાર વર્ષના વિહાન શ્રીવાસ્તવનો જીવ જતો રહ્યો, જ્યારે ઘણા અન્ય બાળકો ઇજાગ્રસ્ત થયા. ચોમાસા પહેલા દર વર્ષે વૃક્ષ કાપણી અને સર્વેક્ષણ અંગેના દાવા કરવામાં આવે છે, પરંતુ આ ઘટના તે દાવાઓ પાછળની વાસ્તવિકતા ઉજાગર કરે છે.

rain
thefederal.com

વાલકેશ્વર વિસ્તારમાં એક જૂની ઇમારતનો સ્લેબ 51 વર્ષીય સંતોષ રામચંદ્ર ભાર્સ્કર પર તૂટી પડ્યો. સતત વરસાદ વચ્ચે ઇમારતનો એક ભાગ જમીનદોસ્ત થઈ ગયો, અને કાટમાળ નીચે ફસાઈ જવાથી તેનો જીવ જતો રહ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઇમારત ઘણી જૂની હતી. આ ઘટનાએ જર્જરિત ઇમારતોના માળખાકીય ઓડિટ અને જાળવણી પર પ્રશ્નો ઉભા કર્યા છે.

પનવેલના કામોઠે વિસ્તારમાં, 45 વર્ષીય સુરેશ લોખંડે તેના ઘરની અંદર હતો ત્યારે સતત વરસાદ વચ્ચે ઇમારતનો સ્લેબ તૂટી પડ્યો. કાટમાળ નીચે ફસાઈ જવાથી તેનો જીવ જતો રહ્યો. પ્રાથમિક તપાસમાં મકાનની જર્જરિત હાલત અને સતત વરસાદને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભિવંડીમાં, 28 વર્ષીય મુસ્તફા શેખ રસ્તા પર પડેલા ખુલ્લા જીવંત વીજળીના વાયરના સંપર્કમાં આવી ગયો હતો. વરસાદને કારણે, પાણીમાં વીજ પ્રવાહ ફેલાઈ ગયો હતો. વાયરના સંપર્કમાં આવતા જ તેને વીજ કરંટ લાગ્યો અને તેનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો. સ્થાનિક લોકોએ વીજળી વિભાગની બેદરકારી અને સમયસર સમારકામ ન કરાવવાનો આરોપ લગાવ્યો છે.

પુણેના લોની કાલભોર વિસ્તારમાં, બે વર્ષીય સોહમ લખન કસ્બે તેના ઘરની બહાર રમી રહ્યો હતો. ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડા કોઈપણ બેરિકેડિંગ વિના ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતા. વરસાદી પાણી ભરાઇ જવાને કારણે ખાડો દેખાતો નહોતો. રમતી વખતે સોહમ તેમાં પડી ગયો અને ડૂબવાથી તેનો જીવ જતો રહ્યો. પોલીસે અજાણ્યા કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે.

આ નવ ઘટનાઓ પાછળના કારણો અલગ-અલગ દેખાય છે, પરંતુ તે બધામાં એક વાત સમાન છે- બેદરકારી. ખુલ્લા વીજળીના વાયરો અને ખુલ્લા મેનહોલથી લઈને અધૂરા બાંધકામ, જર્જરિત ઇમારતો અને ચોમાસા પહેલા સલામતીના પગલાં અમલમાં ન મૂકવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે જો સમારકામ, નિરીક્ષણ અને સલામતી વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવી હોત તો શું આ નવ જીવ બચાવી શકાયા હોત? આ જ પ્રશ્ન હવે વહીવટીતંત્ર, સ્થાનિક સંસ્થાઓ અને સંબંધિત વિભાગો સામે છે.

About The Author

Related Posts

Top News

ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

કર્ણાટકમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ મહિલાએ પોતાનું આખું જીવન ભીખ માંગીને વિતાવી દીધું, ...
National 
ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

ગણેશ ચતુર્થીનો હજી દોઢ મહિનો બાકી છે, તે પહેલા જ ગણેશજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા...
Gujarat 
સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.