માલદીવમાં વધી રાજકીય લડાઈ, રાષ્ટ્રપતિ મુઈજ્જુનું હઠિલુ વલણ, સાંસદે 3 મંત્રીઓને..

માલદીવમાં ચાલી રહેલો રાજકીય હોબાળો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે માલદીવની સંસદે 2 મંત્રીઓ અને એટર્ની જનરલની નિમણૂક ફગાવી દીધી હતી, પરંતુ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હઠિલુ વલણ અપનાવતા થોડા કલાકો બાદ જ તેમની ફરીથી નિમણૂક કરી દીધા છે. આ અગાઉ કેબિનેટ અપ્રૂવલ માટે બોલાવવામાં આવેલા સ્પેશિયલ સેશનમાં પણ વિપક્ષી પાર્ટીઓએ 4 સાંસદોને કેબિનેટમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ અહી સુધી પહોંચી ગયો કે સાંસદ પરસ્પર ઝઘડી પડ્યા અને લાત-ઘૂસા ચલાવવા લાગ્યા.

માલદીવની ન્યૂઝ વેબસાઇટ મુજબ, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પોતાના મંત્રી મંડળના એ સભ્યોની ફરી નિમણૂક કરી દીધા છે, જેમને વિધાયી સદન (સંસદ)એ નકારતા સમર્થન આપ્યું નહોતું. રવિવારે માલદીવની સંસદે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા નિમણૂક થયેલા 22 કેબિનેટ સભ્યોમાંથી 19ને સમર્થન આપતા તેમના પક્ષમાં મતદાન કર્યું, પરંતુ ઈસ્લામિક બાબતોના મંત્રી ડૉ. મોહમ્મદ શહીમ અલી સઇદ, ભૂમિ અને શહેરી વિકાસ મંત્રી ડૉ. અલી હૈદર અને એટર્ની જનરલ અહમદ ઉશામની સંસદની નિમણૂક ફગાવી દીધી.

ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હઠિલુ વલણ અપનાવતા સંસદના નિર્ણયના થોડા કલાકો બાદ ફરી એક વખત તેમની નિમણૂક કરી દીધી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, બંને મંત્રીઓ અને એટર્ની જનરલે શપથ પણ લઈ લીધા છે. મુઈજ્જુના પ્રમુખ સલાહકાર અબ્દુલ રહીમ અબ્દુલ્લાએ કાલે જ તેના સંકેત આપ્યા હતા કે સરકાર બંને મંત્રીઓ અને એટર્ની જનરલને તેમના પદ ફરીથી આપશે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે સંસદ દ્વારા નકારેલા કેબિનેટ સભ્યોની ફરી નિમણૂક કરવાનો વિવેકાધિકાર છે.

આ અગાઉ માલદીવની સંસદ તરફથી બોલાવવામાં આવેલા સ્પેશિયલ સેશન દરમિયાન પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC), પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (PPM) અને અપોઝિશન માલદીવીયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના સાંસદ રવિવારે પરસ્પર ઝઘડી પડ્યા હતા. સ્થાનિક ઓનલાઇન ન્યૂઝ ચેનલ દ્વારા શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સાંસદ એક-બીજા પર લાત-ઘૂસા ચલાવી રહ્યા છે. એક સાંસદને જમીન પર પટકી દેવામાં આવ્યા અને તેમના ગળા પર બીજા સાંસદે પોતાના પગ રાખ્યા છે. ત્યાં ઉપસ્થિત બાકી સાંસદ તેમને છોડવાવનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.