માલદીવમાં વધી રાજકીય લડાઈ, રાષ્ટ્રપતિ મુઈજ્જુનું હઠિલુ વલણ, સાંસદે 3 મંત્રીઓને..

માલદીવમાં ચાલી રહેલો રાજકીય હોબાળો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે માલદીવની સંસદે 2 મંત્રીઓ અને એટર્ની જનરલની નિમણૂક ફગાવી દીધી હતી, પરંતુ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હઠિલુ વલણ અપનાવતા થોડા કલાકો બાદ જ તેમની ફરીથી નિમણૂક કરી દીધા છે. આ અગાઉ કેબિનેટ અપ્રૂવલ માટે બોલાવવામાં આવેલા સ્પેશિયલ સેશનમાં પણ વિપક્ષી પાર્ટીઓએ 4 સાંસદોને કેબિનેટમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ અહી સુધી પહોંચી ગયો કે સાંસદ પરસ્પર ઝઘડી પડ્યા અને લાત-ઘૂસા ચલાવવા લાગ્યા.

માલદીવની ન્યૂઝ વેબસાઇટ મુજબ, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પોતાના મંત્રી મંડળના એ સભ્યોની ફરી નિમણૂક કરી દીધા છે, જેમને વિધાયી સદન (સંસદ)એ નકારતા સમર્થન આપ્યું નહોતું. રવિવારે માલદીવની સંસદે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા નિમણૂક થયેલા 22 કેબિનેટ સભ્યોમાંથી 19ને સમર્થન આપતા તેમના પક્ષમાં મતદાન કર્યું, પરંતુ ઈસ્લામિક બાબતોના મંત્રી ડૉ. મોહમ્મદ શહીમ અલી સઇદ, ભૂમિ અને શહેરી વિકાસ મંત્રી ડૉ. અલી હૈદર અને એટર્ની જનરલ અહમદ ઉશામની સંસદની નિમણૂક ફગાવી દીધી.

ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હઠિલુ વલણ અપનાવતા સંસદના નિર્ણયના થોડા કલાકો બાદ ફરી એક વખત તેમની નિમણૂક કરી દીધી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, બંને મંત્રીઓ અને એટર્ની જનરલે શપથ પણ લઈ લીધા છે. મુઈજ્જુના પ્રમુખ સલાહકાર અબ્દુલ રહીમ અબ્દુલ્લાએ કાલે જ તેના સંકેત આપ્યા હતા કે સરકાર બંને મંત્રીઓ અને એટર્ની જનરલને તેમના પદ ફરીથી આપશે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે સંસદ દ્વારા નકારેલા કેબિનેટ સભ્યોની ફરી નિમણૂક કરવાનો વિવેકાધિકાર છે.

આ અગાઉ માલદીવની સંસદ તરફથી બોલાવવામાં આવેલા સ્પેશિયલ સેશન દરમિયાન પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC), પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (PPM) અને અપોઝિશન માલદીવીયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના સાંસદ રવિવારે પરસ્પર ઝઘડી પડ્યા હતા. સ્થાનિક ઓનલાઇન ન્યૂઝ ચેનલ દ્વારા શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સાંસદ એક-બીજા પર લાત-ઘૂસા ચલાવી રહ્યા છે. એક સાંસદને જમીન પર પટકી દેવામાં આવ્યા અને તેમના ગળા પર બીજા સાંસદે પોતાના પગ રાખ્યા છે. ત્યાં ઉપસ્થિત બાકી સાંસદ તેમને છોડવાવનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.