વર્લ્ડ કપની ફાઇનલમાં કપિલ દેવને આમંત્રણ ન મળવા પર ગુસ્સે થયા કોંગ્રેસ નેતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ફાઇનલ રમાઈ હતી. મેચ દરમિયાન અત્યાર સુધીના બધા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનો સામેલ થયા હતા, પરંતુ તેમાં કપિલ દેવ નહોતા. તેને લઈને કોંગ્રેસ નેતા જયરામ રમેશ કહ્યું કે, એ પૂરી રીતે અસ્વીકાર્ય છે કે કપિલ દેવને અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે BCCIએ આમંત્રિત ન કર્યા. બેદીની જેમ કપિલ દેવ પણ પોતાની વાત કહેવા માટે જાણીતા છે અને તેઓ થોડા મહિના અગાઉ આંદોલનકારી મહિલા પહેલવાનોના સમર્થનમાં ખૂલીને સામે આવ્યા હતા.

BCCI તરફથી જાહેર કરવામાં આવેલા પ્લાન મુજબ રવિવારે મેચ દરમિયાન વિશ્વ વિજેતા ટીમોના કેપ્ટનોને સન્માન કરવાનું હતું, જેના માટે કપિલ દેવને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. તો કપિલ દેવે દાવો કર્યો કે, તેમને વર્લ્ડ કપમાં ફાઇનલ માટે આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. વર્ષ 1983માં ભારતને પહેલી વન-ડે ટ્રોફી અપાવનારા કપિલ દેવે કહ્યું કે, હું પોતાના બાકી સાથીઓ સાથે યાત્રા કરવા માગતો હતો, પરંતુ મને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યો નહોતો. મને તેમણે ન બોલાવ્યો એટલે હું ન ગયો.

તેમણે આગળ કહ્યું કે, હું ઈચ્છતો હતો કે ત્યાં મારી સાથે આખી 1983ની ટીમ રહે, પરંતુ મને લાગે છે કે આ આટલું મોટું આયોજન છે અને લોકો જવાબદારી સંભળવામાં એટલા વ્યસ્ત છે કે ક્યારેક ક્યારેક તેઓ ભૂલી જાય છે. રવિવાર બપોરથી જ સોશિયલ મીડિયા પર વીડિયો શેર થઈ રહ્યો હતો. આ મામલો વેગ પકડી શકે છે કેમ કે કપિલ દેવાની લિડરશીપમાં જ ભારતને પહેલી વખત વર્લ્ડ કપની ટ્રોફી મળી હતી. ત્યારે 60 ઓવરની મેચ રહેતી હતી અને ભારત સામે વેસ્ટ ઇન્ડીઝની શાનદાર ટીમ ફાઇનલમાં હતી.

જો વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા શરૂઆત પણ શાનદાર કરી, પરંતુ ત્યારબાદ સતત વિકેટ પડતી રહી. ભારતે પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન જ બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 66 રન કેએલ રાહુલે કર્યા, જ્યારે કોહલીએ 54 રનની ઇનિંગ રમી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું અને ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી હતી.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.