બ્રિટનમાં ઋષિ સુનકની કારમી હાર કેમ થઇ?

બ્રિટનમાં ઋષિ સુનકની કર્ન્ઝવેટીવ પાર્ટીની કારમી હાર થઇ છે અને તેમણે પ્રધાનમંત્રી પદ છોડવું પડ્યું છે. બ્રિટનમાં 4 જુલાઇએ થયેલી ચૂંટણીના 5 જુલાઇએ પરિણામો જાહેર થયા તેમાં લેબર પાર્ટી બહુમતી સાથે જીતી ગઇ હતી. બ્રિટનમાં કુલ 650 બેઠકો છે અને બહુમત માટે 326 બેઠકોની જરૂર પડે, પરંતુ લેબર પાર્ટી 405 કરતા વધારે બેઠકો જીતી ગઇ છે. 14 વર્ષ પછી લેબર પાર્ટી ફરી સત્તામાં આવી છે અને કીર સ્ટાર્મર પ્રધાનમંત્રી બનશે.

ઋષિ સુનકની હાર થવાના કારણો વિશે ત્યાના જાણકારોનું કહેવું છે કે સુનક માટે જે રેટીંગ જાહેર કરાયું તે 30 ટકા કરતા પણ નીચે હતું, જે અત્યાર સુધીના બ્રિટનના પ્રધાનમંત્રીની સરખામણીમાં સૌથી નીચું રેટીંગ હતું.

બ્રિટનમાં 45 દિવસ માટે પ્રધાનમંત્રી રહેલા લિઝ ટ્રસે પાર્ટીને મોટું નુકશાન પહોંચાડ્યું હતું અને એ કાંટાળો તાજ સુનકના માથે આવ્યો હતો. પરંતુ સુનક એમાં સુધારો લાવી ન શક્યા. ઉપરાંત બ્રિટનમાં જે અશાંતિ ફેલાઇ તેમાં પણ સુનક પ્રભાવશાળી ન રહ્યા. તેમણે આપેલા અનેક વાયદાઓ પણ પુરા ન થયા.

About The Author

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.