સરકાર સામે BJP સાંસદનો સવાલ- શું જયશ્રી રામ અને ભારત માતાની જય બોલવાથી કામ થશે?

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ વરુણ ગાંધીનું કડક તેવર જોવા મળ્યું છે. પહેલેથી જ ચર્ચા થઈ રહી છે કે શું ભાજપ 2024ની ચૂંટણીમાં વરુણ ગાંધીને ટિકિટ આપશે? હવે આ સવાલ વધુ ઘેરો બન્યો છે.પોતાના સંસદીય મતવિસ્તારમાં બે દિવસના પ્રવાસે પહોંચેલા વરુણે પોતાની જ પાર્ટીના નારા, સરકારી યોજનાઓની સ્થિતિ અને ભ્રષ્ટાચાર અને બેરોજગારી અંગે સવાલો ઉઠાવ્યા છે.

તાજેતરના વરૂણ ગાંધીના તેવર પછી એવું માનવામાં આવી રહ્યું છે કે વરૂણ પોતાની લાઇન મોટી કરવાના મૂડમાં છે. વરુણ ગાંધીએ કહ્યું છે કે જે લોકો લોન ચૂકવી શકશે નહીં, તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેની મિલકતની હરાજી કરવામાં આવશે. તેણે સવાલના સ્વરમાં કહ્યું કે હવે મારે પૂછવું છે કે આનો ઉકેલ શું છે? માત્ર સૂત્રોચ્ચાર? વરુણે વધુમાં કહ્યું કે જય શ્રી રામ, ભારત માતા કી જય, આનાથી કામ થઈ જશે?

ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ કહ્યું કે, હું ભારત માતાને મારી માતા માનું છું. હું હનુમાનજીનો ભક્ત છું, હું ભગવાન રામને મારા પ્રિય માનું છું. પરંતુ મારે તમને એક વાત પૂછવી છે. દરેક વ્યક્તિ આજે પીડિત છે,તે મૂળભૂત સમસ્યાઓથી પીડાય છે. તેમણે પૂછ્યું કે શું તે સૂત્રો દ્વારા ઉકેલ આવશે કે નીતિ સુધારણા દ્વારા?

વરૂણ ગાંધીએ પોતાની જ સરકારની ઉજ્જવલા યોજના પર નિશાન સાધીને કહ્યું કે આ યોજના હેઠળ 7 કરોડ લોકોને સિલિન્ડર આપવામાં આવ્યા. હવે બીજી વખત આ લોકો સિલિન્ડર ભરાવી શકતા નથી.

બેરોજગારી પર સવાલ ઉભો કરીને વરૂણે કહ્યું કે, સરકારી વિભાગોમાં 1 કરોડ પદ ખાલી છે, શા માટે આ પદ ભરવામાં નથી આવતા? તેમણે કહ્યુ કે, સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી, જે લોકો ઉભા નથી થઇ શકતા તેમને મદદ કરવાનું છે.

મોંઘવારીના મુદ્દા પર પણ વરૂણ ગાંધીએ પોતાની સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લાં 7 વર્ષમાં લોકોના વાસ્તિવક પગારમાં વાર્ષિક માત્ર 1 ટકાનો વધારો થયો છે. એની સામે એ 7 વર્ષમાં દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે. દુઘ, કાંદા, વેગણના ભાવો 50થી 70 ટકા વધ્યા છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ તેમના સંસદીય ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરતા એમ પણ કહ્યું કે દેશમાં સામાન્ય માણસ માટે ન તો લોન છે કે ન તો નોકરીઓ. ભ્રષ્ટાચાર અંગે વરુણે કહ્યું હતું કે દેશના ઉદ્યોગપતિઓને હજારો કરોડ રૂપિયા સરળતાથી મળી જાય છે અને જો કોઈ સામાન્ય માણસ નાની લોન લેવા માંગે છે તો તેણે બેંકના ચક્કર કાપવા પડે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.